December 1, 2025
Vartman Pravah
Other

દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસના દિશા-નિર્દેશ હેઠળ રેવન્‍યુ શિબિર યોજાઈ : 450થી વધુ લોકોએ આ રેવન્‍યુ સેવાનો લીધેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24

દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસના દિશા-નિર્દેશ હેઠળ રેવન્‍યુ વિભાગ દાદરા પટેલાદના નિવાસીઓ માટે દાદરા પંચાયત હોલ ખાતે રેવન્‍યુ સેવાઓ પ્રદાન કરવા માટે તા.23/04/2022ના રોજ રેવન્‍યુ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શિબિરમાં રેવન્‍યુ વિભાગ, સર્વે અને બંદોબસ્‍ત કાર્યાલય, નાયબ-નોંધણી વિભાગ, ખાદ્ય અને આપૂર્તિ વિભાગ, દાનહ અને દમણ-દીવ, એસ.સી./એસ.ટી., ઓ.બી.સી. અને માઈનોરીટી ફાઈનાન્‍સ એન્‍ડ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન લી., જિલ્લા પંચાયત અને આધારકાર્ડ વિભાગના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. લગભગ 450થી વધુ લોકોએ આ રેવન્‍યુ સેવાઓનો લાભ લીધો હતો. જેમાં તમામ પ્રકારના પ્રમાણપત્ર, વારસાઈની કાર્યવાહી, લગ્ન રજીસ્‍ટ્રેશન, ઈ-સ્‍ટેમ્‍પિંગ, આધારકાર્ડ અને અન્‍ય દિશા-નિર્દેશ જેવી રેવન્‍યુ સેવાઓનો લાભ લેવા માટે ઉપસ્‍થિત રહ્યા હતા.
ઉપરોક્‍ત શિબિરમાં ઈ-સ્‍ટેમ્‍પિંગની-169, પ્રમાણપત્ર માટે-126, આધારકાર્ડ માટે-18, ડીએનએચ એન્‍ડ ડીડીએસ.સી/એસ.ટી/ઓબીસી એન્‍ડ માઈનોરીટી ફાઈનાન્‍શિયલ એન્‍ડ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન લી.-15, ખાદ્ય અને આપૂર્તિ વિભાગ-12, વારસાઈ માટે -04, લગ્ન નોંધણી-03, જિલ્લા પંચાયત (વિધવા પેન્‍શન)-03, નક્‍શા માટેની અરજી-02, એફિડેવિટ-0રની અરજીઓ પ્રાપ્ત થઈ હતી.

Related posts

અયોધ્યા ખાતે શ્રી રામ લલ્લાની પ્રાણપ્ર­તિષ્ઠામાં ­પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનો મૂળપાઠ:- શ્રી રામના વિચારો માનસની સાથે સાથે જનમાનસમાં પણ હોવા જાઈઍ, આ રાષ્ટ્ર નિર્માણ તરફનું પગલું છે

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા સેલવાસના અટલ ભવન ખાતે સદસ્‍યતા અભિયાન કાર્યશાળા યોજાઈ

vartmanpravah

જિલ્લા માહિતી કચેરી વલસાડ ખાતેથી કારર્કિદી માર્ગદર્શન વિશેષાંક મળશે

vartmanpravah

આજે સંઘપ્રદેશ તથા વાપી વિસ્‍તારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઘણાં વર્ષોથી રેગ્‍યુલર સરકારી નોકરી માટેની ભરતીઓ નહીં કરાતા પ્રદેશના શિક્ષિત બેરોજગારો હતાશ

vartmanpravah

સેલવાસના મંદિર ફળિયામાં પાણીની પાઈપલાઈન તુટી જતા વ્યર્થ વહી જતું પાણી

vartmanpravah

Leave a Comment