(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
સેલવાસ ઝંડાચોક શાળાની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના અહેવાલ ‘વર્તમાન પ્રવાહ’મા આવ્યા બાદ દાનહ પોલીસ અધિક્ષકે સેલવાસની દરેક શાળા અને કોલેજના આચાર્ય સાથે પોલીસ હેડક્વાર્ટર ખાતે બેઠકનું આયોજન કરવામા આવ્યુ હતું.
જેમા શાળા ખુલવાના સમયે અને બંધ થવાના સમયે અવરજવર, છેડછાળ,ભીડ નિયંત્રણ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામા આવી હતી. સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ટ્રાફિક સ્ટાફ, સબંધિત બીટ અધિકારીઓ, સ્કાઉટ ગાઈડ અને એનસીસીની ટીમની સાથે એક સ્થાયી તંત્રને લાગુ કરવાનુ આશ્વાસન આપ્યું હતું.
પોલીસ અધિક્ષકશ્રીએ પોલીસ સ્ટાફને પણ નિર્દેશ આપ્યા છે કે શાળા પ્રશાસનની સાથે સમન્વય કરી સગીર ચાલકો દ્વારા થતાં ઉલ્લંઘનને રોકવા માટે પગલા લેવામા આવશે.