April 28, 2024
Vartman Pravah
Breaking NewsOtherતંત્રી લેખ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા કરાયેલા લોક કલ્‍યાણના અનેક કામોથી દાનહ લોકસભા બેઠક ઉપર ઝડપથી બદલાઈ રહેલા સમીકરણોઃ ભાજપ માટે એડવાન્‍ટેજનું વાતાવરણ

2021ની પેટા ચૂંટણીમાં સાંસદ કલાબેન ડેલકરે આપેલા વાયદાઓ પૈકી એક પણ વાયદો પૂર્ણ નહીં કરતા લોકો મોહભંગ

2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ 400 બેઠકો પાર કરી ફરી મોદી સરકારનું ગઠન નિશ્ચિત હોવાના સર્વત્ર અહેવાલો

ગઈકાલ સુધી ભારતીય જનતા પાર્ટી માટે અસુરક્ષિત ગણાતી દાદરા નગર હવેલી બેઠક હવે જીતી શકવાની કગાર ઉપર આવી ગઈ હોવાનું તટસ્‍થ રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. કારણ કે, 2019ની લોકસભા ચૂંટણી અને ત્‍યારબાદ 2021માં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો કરૂણ રકાસ થયો હતો. 2021માં યોજાયેલી પેટા ચૂંટણી દરમિયાન સહાનુભૂતિનું મોજું હતું. પરંતુ હવે ધીરે ધીરે તે ગાયબ થઈ રહ્યું છે અને પેટા ચૂંટણીમાંઆપેલા વાયદાઓ પૈકી એક પણ વાયદો પૂર્ણ કરવા હાલના સાંસદ અને શિવસેના (ઉદ્ધવ જૂથ) સરેઆમ નિષ્‍ફળ રહ્યું છે.
બીજી બાજુ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને મોદી સરકાર 400 બેઠકના લક્ષ્યાંક સાથે ફરી સરકાર બનાવી રહ્યા હોવાનો દરેક જગ્‍યાએ દૃઢ મત છે. દાદરા નગર હવેલીમાં સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરની તથાકથિત ઉદાસિનતા વચ્‍ચે પણ સંઘપ્રદેશ પ્રશાસને અનેક મહત્‍વપૂર્ણ કરેલા વિકાસના કામોથી લોકોનું જીવન-ધોરણ બદલાયું છે.
દાદરા નગર હવેલીના આદિવાસી યુવાનોમાં ઉઘડેલી શિક્ષણની ભૂખથી તેઓ પોતાનું હિત સમજતા થયા છે. કોઈની દયા ઉપર જીવવા કરતા સ્‍વનિર્ભર બની સ્‍વાભિમાન સાથે જીવવાનો મંત્ર પણ આદિવાસી યુવાનોને મળ્‍યો છે.
દાદરા નગર હવેલીમાં સ્‍થપાયેલા ઉદ્યોગોનો લાભ બહુમતિ આદિવાસી સમુદાયને મળી શક્‍યો નથી. 1992-’93 સુધી ટ્રેનમાં દિલ્‍હીની મુસાફરી કરવાનું પરવડતું નહીં હતું તેવા આદિવાસી નેતાઓ ઉદ્યોગગૃહો પાસે ખંડણી-હપ્તા ઉઘરાવી 10 વર્ષમાં પોતાનું વિમાન ખરીદી શકે એટલા કદાવર બની ગયા હતા. પરંતુ છેવાડેના આદિવાસીની સ્‍થિતિ જેમની તેમ રહેવા પામી હતી.
આદિવાસીના વિકાસ માટે જરૂરી શિક્ષણનો પ્રચાર-પ્રસાર નહીં થાય તેની તકેદારી જે તે સમયના કેટલાક ચોક્કસ આદિવાસી નેતાઓએ લીધી હતી. જેનાકારણે જ 2011-’12 સુધી દાદરા નગર હવેલીમાં ફક્‍ત ગ્રેજ્‍યુએટ બનાવતી સરકારી કોલેજ પણ શરૂ થઈ શકી નહીં હતી.
આજે સંઘપ્રદેશ પ્રશાસને કરેલા પ્રયાસના કારણે દાદરા નગર હવેલીના હજારો યુવાન-યુવતિઓનું ભાગ્‍ય બદલાયું છે. ડોક્‍ટર, નર્સ, એન્‍જિનિયર, વકિલ, પેરા મેડિકલ સેવા જેવા વ્‍યવસાયમાં જવાની તક છેવાડેના આદિવાસીને મળી છે અને તેઓ પોતાના પહેલી પેઢીના ડોક્‍ટર, એન્‍જિનિયર, વકિલ કે નર્સ બની રહ્યા છે. જેના પરિણામે ગામ, ફળિયા(પાડા), મહોલ્લા તથા જિલ્લા અને પ્રદેશનું વાતાવરણ પણ બદલાઈ રહ્યું છે. જેનો શ્રેય મોદી સરકારને મળશે એવું નિશ્ચિત દેખાઈ છે. જેના કારણે એવું લાગે છે કે 2024ની ચૂંટણીમાં દાદરા નગર હવેલી બેઠક ભાજપની ઝોળીમાં જઈ શકે છે.

Related posts

ધરમપુરની ખારવેલ પ્રાથમિક શાળામાં તા.11-12 ઓક્‍ટો.એ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે

vartmanpravah

વાપીની દેગામ મુખ્‍ય પ્રાથમિક શાળામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ કરાયેલી ઉજવણી

vartmanpravah

પ્રદૂષણમુક્‍ત જીવન માટે વલસાડ નેચર કલબ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સાઈકલિંગનુ આયોજન કરાયું

vartmanpravah

ગૃહમંત્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષસ્‍થાને આજે ગાંધીનગરમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની મળનારી બેઠકઃ ગુજરાત રાજ્‍યના મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન ગામને સંઘપ્રદેશમાં જોડવા બાબતે લેવાનારો નિર્ણય

vartmanpravah

વલસાડની કકવાડી પ્રા. શાળાને ગ્રીન સ્કૂલ સ્પર્ધામાં રાષ્ટ્રીય એવોર્ડ અને 4 લાખનું ઈનામ એનાયત

vartmanpravah

સરપંચ શંકરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત કડૈયા ગ્રામ પંચાયતની મળેલી ગ્રામસભા

vartmanpravah

Leave a Comment