(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24
દાનહના કલેક્ટર ડો. રાકેશ મિન્હાસના દિશા-નિર્દેશ હેઠળ રેવન્યુ વિભાગ દાદરા પટેલાદના નિવાસીઓ માટે દાદરા પંચાયત હોલ ખાતે રેવન્યુ સેવાઓ પ્રદાન કરવા માટે તા.23/04/2022ના રોજ રેવન્યુ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં રેવન્યુ વિભાગ, સર્વે અને બંદોબસ્ત કાર્યાલય, નાયબ-નોંધણી વિભાગ, ખાદ્ય અને આપૂર્તિ વિભાગ, દાનહ અને દમણ-દીવ, એસ.સી./એસ.ટી., ઓ.બી.સી. અને માઈનોરીટી ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લી., જિલ્લા પંચાયત અને આધારકાર્ડ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 450થી વધુ લોકોએ આ રેવન્યુ સેવાઓનો લાભ લીધો હતો. જેમાં તમામ પ્રકારના પ્રમાણપત્ર, વારસાઈની કાર્યવાહી, લગ્ન રજીસ્ટ્રેશન, ઈ-સ્ટેમ્પિંગ, આધારકાર્ડ અને અન્ય દિશા-નિર્દેશ જેવી રેવન્યુ સેવાઓનો લાભ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરોક્ત શિબિરમાં ઈ-સ્ટેમ્પિંગની-169, પ્રમાણપત્ર માટે-126, આધારકાર્ડ માટે-18, ડીએનએચ એન્ડ ડીડીએસ.સી/એસ.ટી/ઓબીસી એન્ડ માઈનોરીટી ફાઈનાન્શિયલ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લી.-15, ખાદ્ય અને આપૂર્તિ વિભાગ-12, વારસાઈ માટે -04, લગ્ન નોંધણી-03, જિલ્લા પંચાયત (વિધવા પેન્શન)-03, નક્શા માટેની અરજી-02, એફિડેવિટ-0રની અરજીઓ પ્રાપ્ત થઈ હતી.