December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડીવલસાડ

વાપી પાસે આવેલ અંબાચ ગામે ખાનગી જમીન પચાવનાર સરોધીના 4 સહિત અધિકારી સામે ફરિયાદ:  મૂળ જમીન માલિકે પારડી પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલ ફરિયાદ બાદ થયેલ કાર્યવાહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.17
છેલ્લા દશકામાં જમીનોના ભાવો આસમાને પહોંચતા અનેક જગ્‍યાએ ગામોમાં ખોટા દસ્‍તાવેજ સરકારી બાબુઓની રહેમ હેઠળ બનાવીને જમીન પચાવી પાડવાનાકિસ્‍સા રોજીંદા બની રહ્યા છે તેવો બનાવ વાપી નજીક આવેલ અંબાચ ગામે જમીનના પેપરો સાથે ચેડાં કરીને અસલી માલિકની જાણ બહાર જમીન પચાવી દેવાતા જમીન માલિકે પારડી પોલીસ સ્‍ટેશનમાં સરોધીના 4 સહિત મામલતદાર કચેરીના અધિકારી-કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી.
ઘટના પ્રાપ્ત ટૂંક વિગતો મુજક પારડી તાલુકાના સરોઘીમાં રહેતા વિજય બાબુલાલ પટેલે અંબાચ ખાતે આવેલ જુનો બ્‍લોક નં. 408 અને નવા બ્‍લોક નં.રરપ0 વાળી જમીન ગત તા. 14/03/69ના રોજ દિનુભાઈ ઉર્ફે રામુભાઈ લલ્લુભાઇ ચિમનભાઈ લલ્લુભાઈ અને છોટુભાઈ લલ્લુભાઈ પાસેથી રૂા.399માં શાંતાબેન છીબુભાઈ પટેલ રહે. સરોધી સિંઘા ફળિયાએ વેચાણ રાખી હોવાની ખોટી એન્‍ટ્રી આધારે શાંતાબેનના અવસાન બાદ અમો એમના વારસદાર છીએ. વિજય છીબુ પટેલ, વિનય છીબુ પટેલ, સંજય છીબુ પટેલ અને એમા હેમા છીબુ પટેલે એક સાથે મેળાપીપણામાં ખોટા બનાવતી સરકારી દસ્‍તાવેજોમાં ચેડાં કરીને પારડી મામલતદાર કચેરીના કર્મચારી-અધિકારીઓ સાથે મળીને જમીન પચાવી પાડી હતી. જેથી મૂળ માલિક દોલત ચીમનભાઈ મૈસુરીયા રહે.વલસાડ વિનાયક સોસાયટીએ આ તમામ વિરુદ્ધ પારડી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિવિધ કલમો હેઠળ આગળની તપાસ હાથ ધરીછે. જેમાંકચેરીના કયાં અધિકારી-કર્મચારીની આ પ્રકરણમાં સંડોવણી છે તે તપાસમાં ખુલશે.

Related posts

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ અંગેના પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

વાપીમાં લઘુઉદ્યોગ ભારતી મીટિંગ યોજાઈ : એસ.એસ.આઈના વિકાસ અને પ્રશ્નો અંગે ઉદ્યોગપતિ સાથે પરામર્શ કરાયો

vartmanpravah

ઈન્‍સ્‍ટાગ્રામ પર દમણમાં પરપ્રાંતિય યુવકની પ્રેમજાળમાં ફસાયેલી વાપીની યુવતીને 181 અભયમે બચાવી

vartmanpravah

સેલવાસ ઝંડાચોક શાળા નજીક સ્‍કૂલવાન અને ઇલેક્‍ટ્રીક બસના સ્‍ટોપેજના કારણે વારંવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્‍યા

vartmanpravah

સેલવાસ ભુરકુડ ફળિયામાંથી ક્રાઇમ બ્રાન્‍ચે રેડ પાડી બે કિલો ગાંજો જપ્ત કર્યો

vartmanpravah

ગૃહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવીએ ધરમપુર અને વલસાડ ખાતે ગણેશોત્‍સવના ગણેશ પંડાલોમાં ભગવાન શ્રી ગણેશના પૂજન-અર્ચન કરી ધન્‍યતા અનુભવી

vartmanpravah

Leave a Comment