September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ ચિસદા ગામનો રસ્‍તો જર્જરિત હોવાને કારણે લોકોને હાલાકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17
દાદરા નગર હવેલીના ચિસદા ખોખરપાડા વિસ્‍તારનો રસ્‍તો ઘણા વર્ષો પહેલા પાકો બન્‍યો હતો. જે હાલમાં એકદમ જર્જરિત થઈ જવાને કારણે હાલમાં ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ રસ્‍તા અંગે જિલ્લા પંચાયત સભ્‍ય સરપંચ સહિત અધિકારીઓને પણ રજૂઆત કરવામા આવી છે પરંતુ આ રસ્‍તો હજી સુધી રીપેર કરવામા આવ્‍યો નથી.
આ ગામમાં કોઈ બીમાર પડે તો 108 એમ્‍બ્‍યુલન્‍સ પણ સમય પર પહોંચી શકતી નથી. થોડા દિવસો બાદ ચોમાસુ શરુ થનાર છે. જો આ રસ્‍તો ચોમાસા પહેલા રીપેર નહી કરવામા આવશે તો વાહનચાલકો સાથે ગ્રામજનોને ઘણી જ તકલીફો પડશે. તેથી પ્રશાસન દ્વારા આ રસ્‍તાને જલ્‍દીથી જલ્‍દી રીપેર કરવામા આવે એવી ગ્રામજનોની માંગ છે.

Related posts

વલસાડ હાઈવે ઉપર પ્રેસ લખેલી કારમાં દારૂનો જથ્‍થો ઝડપાયો : ત્રણની અટક

vartmanpravah

દાનહ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલ હરિ ટી. ખંડારેનું હૃદય રોગના હૂમલાથી નિધનઃ પોલીસબેડામાં ફેલાયેલી શોકની લાગણી

vartmanpravah

કુવૈતમાં યોજાયેલ એશિયન યુથ એથ્‍લેટિક્‍સ ચેમ્‍પિયનશીપમાં બે સિલ્‍વર મેડલ જીતવા બદલ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની દિકરી મુબાસીન મોહમ્‍મદને રૂા.10 લાખ અને કોચને રૂા.2.5 લાખના ઈનામની કરેલી જાહેરાત

vartmanpravah

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 સંદર્ભે મતદાર યાદી નિરિક્ષક ડી.એચ.શાહની અધ્‍યક્ષતામાં રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી

vartmanpravah

વાપી રોફેલ-રોટરી કલબ દ્વારા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના જન્‍મદિનની ઉજવણી રક્‍તદાન કેમ્‍પ સાથે કરી

vartmanpravah

વલસાડમાં ‘‘હર ઘર ધ્‍યાન” કાર્યક્રમમાં 1000 થી વધુ લોકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

Leave a Comment