April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ ચિસદા ગામનો રસ્‍તો જર્જરિત હોવાને કારણે લોકોને હાલાકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17
દાદરા નગર હવેલીના ચિસદા ખોખરપાડા વિસ્‍તારનો રસ્‍તો ઘણા વર્ષો પહેલા પાકો બન્‍યો હતો. જે હાલમાં એકદમ જર્જરિત થઈ જવાને કારણે હાલમાં ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ રસ્‍તા અંગે જિલ્લા પંચાયત સભ્‍ય સરપંચ સહિત અધિકારીઓને પણ રજૂઆત કરવામા આવી છે પરંતુ આ રસ્‍તો હજી સુધી રીપેર કરવામા આવ્‍યો નથી.
આ ગામમાં કોઈ બીમાર પડે તો 108 એમ્‍બ્‍યુલન્‍સ પણ સમય પર પહોંચી શકતી નથી. થોડા દિવસો બાદ ચોમાસુ શરુ થનાર છે. જો આ રસ્‍તો ચોમાસા પહેલા રીપેર નહી કરવામા આવશે તો વાહનચાલકો સાથે ગ્રામજનોને ઘણી જ તકલીફો પડશે. તેથી પ્રશાસન દ્વારા આ રસ્‍તાને જલ્‍દીથી જલ્‍દી રીપેર કરવામા આવે એવી ગ્રામજનોની માંગ છે.

Related posts

દાનહ અને દમણ-દીવના વીજ ગ્રાહકો માટે ગયા વર્ષની તુલનામાં 2024નો પ્રારંભ નોંધપાત્ર બચત કરવાની સાથે શરૂ થયો

vartmanpravah

ખોટી નંબર પ્‍લેટ લગાવી દારૂની હેરાફેરી કરનારાને વાપી ટાઉન પોલીસે ઝડપી પાડયા વાહનની કિંમત 10 લાખ, દારૂનો જથ્‍થો 1.61 લાખ મળી કુલ રૂા.11.67 લાખનો મુદ્દામાલ કબજે લીધો

vartmanpravah

મતદાન જાગૃતિનો અદ્‌ભૂત નજારો: મોબાઈલના ફલેશ દ્વારા મતદાન જાગૃતિનો અનોખો સંદેશ

vartmanpravah

આજે વિશ્વ આદિવાસી દિવસઃ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે આદિવાસી મહિલા અગ્રેસર

vartmanpravah

રીવર લીંક પ્રોજેક્‍ટની વિરોધ રેલીમાં ધરમપુરમાં આદિવાસીઓનું ઘોડાપુર ઉમટયુ

vartmanpravah

કલાબેન ડેલકર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર બનતાં દાનહઃ ડેલકર જૂથમાં આંતરકલહ-ભાજપમાં ભારેલો અગ્નિ

vartmanpravah

Leave a Comment