(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17
દાદરા નગર હવેલીના ચિસદા ખોખરપાડા વિસ્તારનો રસ્તો ઘણા વર્ષો પહેલા પાકો બન્યો હતો. જે હાલમાં એકદમ જર્જરિત થઈ જવાને કારણે હાલમાં ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ રસ્તા અંગે જિલ્લા પંચાયત સભ્ય સરપંચ સહિત અધિકારીઓને પણ રજૂઆત કરવામા આવી છે પરંતુ આ રસ્તો હજી સુધી રીપેર કરવામા આવ્યો નથી.
આ ગામમાં કોઈ બીમાર પડે તો 108 એમ્બ્યુલન્સ પણ સમય પર પહોંચી શકતી નથી. થોડા દિવસો બાદ ચોમાસુ શરુ થનાર છે. જો આ રસ્તો ચોમાસા પહેલા રીપેર નહી કરવામા આવશે તો વાહનચાલકો સાથે ગ્રામજનોને ઘણી જ તકલીફો પડશે. તેથી પ્રશાસન દ્વારા આ રસ્તાને જલ્દીથી જલ્દી રીપેર કરવામા આવે એવી ગ્રામજનોની માંગ છે.