Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ ચિસદા ગામનો રસ્‍તો જર્જરિત હોવાને કારણે લોકોને હાલાકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17
દાદરા નગર હવેલીના ચિસદા ખોખરપાડા વિસ્‍તારનો રસ્‍તો ઘણા વર્ષો પહેલા પાકો બન્‍યો હતો. જે હાલમાં એકદમ જર્જરિત થઈ જવાને કારણે હાલમાં ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ રસ્‍તા અંગે જિલ્લા પંચાયત સભ્‍ય સરપંચ સહિત અધિકારીઓને પણ રજૂઆત કરવામા આવી છે પરંતુ આ રસ્‍તો હજી સુધી રીપેર કરવામા આવ્‍યો નથી.
આ ગામમાં કોઈ બીમાર પડે તો 108 એમ્‍બ્‍યુલન્‍સ પણ સમય પર પહોંચી શકતી નથી. થોડા દિવસો બાદ ચોમાસુ શરુ થનાર છે. જો આ રસ્‍તો ચોમાસા પહેલા રીપેર નહી કરવામા આવશે તો વાહનચાલકો સાથે ગ્રામજનોને ઘણી જ તકલીફો પડશે. તેથી પ્રશાસન દ્વારા આ રસ્‍તાને જલ્‍દીથી જલ્‍દી રીપેર કરવામા આવે એવી ગ્રામજનોની માંગ છે.

Related posts

સંઘપ્રદેશમાં ઉચ્‍ચ શિક્ષણના ક્ષેત્રે સ્‍વર્ણિમ પળઃ રાષ્‍ટ્રીય ફેશન ટેક્‍નોલોજી સંસ્‍થા (NIFT) તેમના 18મા કેમ્‍પસની સ્‍થાપના કરશે

vartmanpravah

દિલ્‍હીમાં યોજાયેલ સીપી દિલ્‍હી કપ ટી-ર0 ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં રનર્સ અપ બનેલી થ્રીડીની પોલીસ ટીમને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલા અભિનંદન

vartmanpravah

નવસારી ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ અને ઘરેલું હિંસા અધિનીયમ-૨૦૦૫ જાગૃતતા સેમિનાર યોજાયો

vartmanpravah

શ્રી સ્‍વામી સમર્થ સેવા કેન્‍દ્ર વાપી, દમણ (દિંડોરી પ્રણિત) દ્વારા નાની દમણ ખારીવાડ ઝરીમરી માતાના મંદિરમાં એક દિવસીય બાળ સંસ્‍કાર શિબિર યોજાઈ

vartmanpravah

દાનહ-દમણમાં છેલ્લા 24 કલાકમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

દમણગંગા નદીનું પાણી અત્‍યંત પ્રદૂષિત થતા નદીકાંઠાના ગામડાઓની પ્રજામાં વ્‍યાપેલો રોષ

vartmanpravah

Leave a Comment