April 27, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

પતિએ છીનવી લીધેલા ત્રણ માસના દીકરાનું ૧૮૧ અભયમે જનેતા સાથે મિલન કરાવ્‍યું

વલસાડ તા.૧૮: વલસાડ જિલ્લાના પારડી તાલુકા નજીકના વિસ્‍તારમાં વર્ષ પહેલા પરણેલી યુવતી ઉપર તેના પતિ ખોટી શંકા કરવા ઉપરાંત વ્‍યસની હોવાના કારણે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. આ બાબતે મહિલાના પિયર પક્ષ મામલો થાળે પાડવા આવ્‍યા હતા, પરંતુ સુલેહ થઇ ન હતી. પીડિત મહિલાને ધક્કો મારી પિયર જતી રહે એવો ઠપકો આપી ઘરમાંથી કાઢી મુકી ધાવતું બાળક પણ પતિએ લઈ લીધું હતું. આ ઘટનાથી ચિંતાગ્રસ્‍ત માતાએ ૧૮૧ ને ફોન કરી મદદ માંગી હતી. બાળક માત્ર માતા ઉપર આધારિત છે, જે પતિએ છીનવી લીધું છે, તેમ માતાએ જણાવ્‍યું હતું. ૧૮૧ ની ટીમ મહિલાને સાથે લઈને તેના સાસરીએ પહોંચી હતી. જ્‍યાં ૧૮૧ અભયમે બન્ને પક્ષોનું કુશળતાથી કાઉન્‍સેલિંગ કરી ઘરેલું ઝઘડા બાબતે સમાધાન કરી બાળક માતાને સોંપવામાં આવ્‍યું હતું તથા મહિલાને ઘર સંસાર બાબતે નિર્ણય કરવા થોડો સમય આપવામાં આવ્‍યો, જેથી તે પોતાનું દાંપત્‍યજીવન બાબતે યોગ્‍ય નિર્ણય લઈ શકે. આમ માતા બાળકનું સુખદ મિલન કરવામાં આવ્‍યું હોવાનું ૧૮૧-અભયમના કાઉન્‍સેલર ગાયત્રી રાઠોડ દ્વારા જણાવાયું છે.

Related posts

નારગોલના ભુનવાળી ફળિયા ખાતે મકાનમાં આગ લાગવાની બનેલી ઘટના

vartmanpravah

વલસાડ લોકસભાની બેઠક માટે ઉમેદવારોની લાઈન લાગી : 9 જેટલા ટિકિટ વાંચ્‍છુઓએ ઉમેદવારી જતાવી

vartmanpravah

ધરમપુરમાં બિલપુડીની બી.આર.એસ કોલેજમાં થીમ બેઝ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ ઓવરબ્રિજ ઉપર કારને બચાવવા જતા પાઈપ ભરેલ ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

સલવાવ શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલનું ગૌરવ

vartmanpravah

નવસારી જિલ્લા સેવા સદન ખાતે મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા દિવંગતોને પ્રાર્થના સભા યોજી શ્રધ્‍ધાંજલિ આપી

vartmanpravah

Leave a Comment