Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં લેબર કોન્‍ટ્રાક્‍ટરની દાદાગીરી : આદિવાસી પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા એટ્રોસીટી હેઠળ ફરિયાદ દાખલ કરવા એસપીને રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18
સેલવાસના ડોકમરડી વિસ્‍તારમાં રહેતા આદિવાસી પરિવારની મહિલાને મજૂરીના પૈસા નહી આપતા અને લેબર કોન્‍ટ્રાકટર દ્વારા એમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ અરજી આપવામા આવી હતી. પરંતુ હજી સુધી લેબર કોન્‍ટ્રાકટર સામે કાયદેસરની કાર્યવાહી નહી થતા સેલવાસ નગરપાલિકા સભ્‍ય મનોજ દયાત દ્વારા લેબર કોન્‍ટ્રાકટર બલદેવ તિવારી ઉપર અનુસૂચિત જનજાતિ અત્‍યાચાર નિવારણ અધિનિયમ 1989 મુજબ કાર્યવાહી કરવા એસપીને લેખિત રજૂઆત કરવામા આવી છે.
જેમાં જણાવ્‍યા અનુસાર લેબર કોન્‍ટ્રાકટર બલદેવ તિવારી દ્વારા અભદ્ર ભાષાનો જે ઓડિયો સોશિયલ મિડિયામા વાયરલથયેલ છે જેનાથી સમસ્‍ત આદિવાસી સમુદાયને અપમાનિત કરવામા આવેલ છે. જેથી બલદેવ તિવારી ઉપર અનુસૂચિત જનજાતિ અત્‍યાચાર નિવારણ અધિનિયમ 1989 મુજબ સખ્‍ત કાર્યવાહી થવી જોઈએ એવી દરખાસ્‍ત છે.

Related posts

21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરના ડો.અક્ષય નાડકર્ણીએ આંતરરાષ્‍ટ્રીય કેન્‍સર કોન્ફરન્સ લંડનમાં આયુષ્‍યમાન ભારત યોજનાની પ્રશંસા કરીનેભારત અને વાપીને વૈશ્વિક પ્‍લેટફોર્મ પર મુકયું

vartmanpravah

નવેમ્‍બરના અંતમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સંઘપ્રદેશ મુલાકાતનો ગોઠવાતો તખ્‍તોઃ સંઘપ્રદેશના લોકો આવકારવા આતુર

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનનો માનવીય અને સંવેદનશીલ અભિગમ સેલવાસ વિભાગની વિવિધ હાયર સેકન્‍ડરી સ્‍કૂલોમાં રેવન્‍યુ શિબિર યોજાઈઃ કુલ 587 આવેદકોને જારી કરાયા આવકના  દાખલા

vartmanpravah

દાનહ ટુરીઝમ વિભાગ દ્વારા દૂધની સરકારી શાળામાં વારલી પેઈન્‍ટિંગ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

ચીખલી-રૂમલાના આંબાપાડા અને ચિકારપાડામાં મોબાઈલ નેટવર્ક નહીં પકડાતા ધારાસભ્‍યને રાવ

vartmanpravah

દાદરા નગર હવેલી ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદેદારોની નિમણૂક કરાઈ

vartmanpravah

Leave a Comment