March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલી તાલુકામાં એક જ પશુ ચિકિત્‍સકને પગલે પશુપાલકોને હાલાકીભોગવવાની આવેલી નોબત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.23
પશુ તબીબની ત્રણ જગ્‍યા ખાલી છે. તાલુકાના 67 ગામોમાં 97હજાર જેટલા પશુઓની સંખ્‍યા છે. ત્‍યારે પશુપાલન વિભાગ દ્વારા ખાલી જગ્‍યાઓ ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ચીખલી તાલુકામાં ખેતી સાથે પશુપાલનનો વ્‍યવસાય પણ મોટાપાયે વિકસિત થયેલો છે અને ગાય, ભેંસ જેવા દુધાળા પશુઓની સંખ્‍યા વિશેષ છે અને અનેક પરિવારો પશુપાલનના વ્‍યવસાયથી ઘરઆંગણે રોજગારી મેળવી રહ્યા છે. ચીખલી તાલુકામાં ચીખલી, રાનકુવા, રૂમલા અને રાનવેરી કલ્લા એમ ચાર જેટલા સરકારી પશુ દવાખાના કાર્યરત છે અને તાલુકાના 67 ગામોમાં 97હજાર જેટલા પશુઓની સંખ્‍યા છે. પરંતુ ચાર પશુ દવાખાના પૈકી ચીખલીમાં માત્ર એક જ દવાખાનામાં પશુચિકિત્‍સક છે. જ્‍યારે ત્રણ જેટલી જગ્‍યાઓ ખાલી છે.
ઉપરોક્‍ત સંજોગોમાં પશુઓ બીમાર થાય કે અન્‍ય કોઈ તકલીફ ઊભી થાય તો સમયસર સારવારનો અભાવ રહેતો હોય છે. બીજી તરફ ખાનગી તબીબો પાસે સારવારમાં પશુપાલકોને વધુ ખર્ચ થતો હોય છે. સમયસર સારવારના અભાવે ઘણીવાર લાખો રૂપિયાનું પશુધનમાંથી હાથ ધોવાનો વારો આવતો હોય છે. જેને પગલે પશુપાલકોને આર્થિક ફટકો પણ લાગતો હોય છે. ત્‍યારે પશુપાલન વિભાગ દ્વારા તાલુકામાં પશુચિકિત્‍સકોનીખાલી તમામ ત્રણ જગ્‍યાઓ પર નિમણૂક કરી દેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અને આ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ રસ દાખવે તે જરૂરી છે.
ચીખલીના પશુચિકિત્‍સક કે.ડી.પટેલના જણાવ્‍યાનુસાર પશુ તબીબોના પ્રમોશનને પગલે ચીખલીમાં એક જ પશુ તબીબ છે. પરંતુ બદલીના હુકમો થતા ખાલી જગ્‍યાઓ પર નિમણૂક થઈ જશે.

તસવીર દિપક સોલંકી

Related posts

રાજ્‍યના આઠ જિલ્લાના આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્‍થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કર્યો આત્‍મીય સંવાદ

vartmanpravah

બે વર્ષ બાદ કોરોનાનું વિઘ્‍ન ટળતા વાપી-વલસાડમાં અનેક મંડળો દ્વારા ગણેશોત્‍સવની ધામધૂમથી કરાયેલી સ્‍થાપના

vartmanpravah

દાદરા ખાતે રાજસ્‍થાન સેવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને પરસોત્તમ રૂપાલાની કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સ્‍ટેજ ફીઅર દૂર કરવા માટે વલસાડમાં નવરંગ મેગા ટેલેન્‍ટ શો યોજાયોઃ 110 લોકોએ પ્રતિભાના દર્શન કરાવ્‍યા

vartmanpravah

દાનહમાં સરકારી વ્‍યાજબી ભાવની દુકાનો(કંટ્રોલ)માંથી દર મહિને અનાજ નહીં ઉઠાવતા લાભાર્થીઓને પૂછાનારૂંકારણ

vartmanpravah

Leave a Comment