Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલી તાલુકામાં એક જ પશુ ચિકિત્‍સકને પગલે પશુપાલકોને હાલાકીભોગવવાની આવેલી નોબત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.23
પશુ તબીબની ત્રણ જગ્‍યા ખાલી છે. તાલુકાના 67 ગામોમાં 97હજાર જેટલા પશુઓની સંખ્‍યા છે. ત્‍યારે પશુપાલન વિભાગ દ્વારા ખાલી જગ્‍યાઓ ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ચીખલી તાલુકામાં ખેતી સાથે પશુપાલનનો વ્‍યવસાય પણ મોટાપાયે વિકસિત થયેલો છે અને ગાય, ભેંસ જેવા દુધાળા પશુઓની સંખ્‍યા વિશેષ છે અને અનેક પરિવારો પશુપાલનના વ્‍યવસાયથી ઘરઆંગણે રોજગારી મેળવી રહ્યા છે. ચીખલી તાલુકામાં ચીખલી, રાનકુવા, રૂમલા અને રાનવેરી કલ્લા એમ ચાર જેટલા સરકારી પશુ દવાખાના કાર્યરત છે અને તાલુકાના 67 ગામોમાં 97હજાર જેટલા પશુઓની સંખ્‍યા છે. પરંતુ ચાર પશુ દવાખાના પૈકી ચીખલીમાં માત્ર એક જ દવાખાનામાં પશુચિકિત્‍સક છે. જ્‍યારે ત્રણ જેટલી જગ્‍યાઓ ખાલી છે.
ઉપરોક્‍ત સંજોગોમાં પશુઓ બીમાર થાય કે અન્‍ય કોઈ તકલીફ ઊભી થાય તો સમયસર સારવારનો અભાવ રહેતો હોય છે. બીજી તરફ ખાનગી તબીબો પાસે સારવારમાં પશુપાલકોને વધુ ખર્ચ થતો હોય છે. સમયસર સારવારના અભાવે ઘણીવાર લાખો રૂપિયાનું પશુધનમાંથી હાથ ધોવાનો વારો આવતો હોય છે. જેને પગલે પશુપાલકોને આર્થિક ફટકો પણ લાગતો હોય છે. ત્‍યારે પશુપાલન વિભાગ દ્વારા તાલુકામાં પશુચિકિત્‍સકોનીખાલી તમામ ત્રણ જગ્‍યાઓ પર નિમણૂક કરી દેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અને આ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ રસ દાખવે તે જરૂરી છે.
ચીખલીના પશુચિકિત્‍સક કે.ડી.પટેલના જણાવ્‍યાનુસાર પશુ તબીબોના પ્રમોશનને પગલે ચીખલીમાં એક જ પશુ તબીબ છે. પરંતુ બદલીના હુકમો થતા ખાલી જગ્‍યાઓ પર નિમણૂક થઈ જશે.

તસવીર દિપક સોલંકી

Related posts

દીવ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નવનિયુક્‍ત દીવ કલેકટર અને નવનિયુક્‍ત એસપી સાથે શુભેચ્‍છા મુલાકાત કરી

vartmanpravah

વાપી ડાભેલ ચેકપોસ્‍ટ પરથી પોલીસે રોહિત રમેશ ગુપ્તા અને શિવમ રાયસાહેબ તિવારી નામના બે ઈસમોને દારૂના જથ્‍થા સાથે ઝડપી પાડ્‍યા હતા.

vartmanpravah

વલસાડમાં જયેષ્ઠ નાગરિક મંડળની વાર્ષિક સભા યોજાઈ: 75 વર્ષથી વધુ વયના પેન્‍શનર્સનું સન્‍માન કરાયુ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૫ વર્ષમાં ૨૬૦૧૯ દસ્તાવેજો મહિલાઓના નામે થયા, સરકારે રૂ. ૨૮.૬૪ કરોડની નોંધણી ફી કરી માફ

vartmanpravah

દમણમાં કોરોનાના બે પોઝિટિવ કેસ મળતાં તહેવારની મોસમમાં ચિંતાનું કિરણઃ દાનહમાં શૂન્‍ય

vartmanpravah

એસ.આઈ.એ.ની અર્ધવાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

Leave a Comment