October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલી તાલુકામાં એક જ પશુ ચિકિત્‍સકને પગલે પશુપાલકોને હાલાકીભોગવવાની આવેલી નોબત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.23
પશુ તબીબની ત્રણ જગ્‍યા ખાલી છે. તાલુકાના 67 ગામોમાં 97હજાર જેટલા પશુઓની સંખ્‍યા છે. ત્‍યારે પશુપાલન વિભાગ દ્વારા ખાલી જગ્‍યાઓ ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ચીખલી તાલુકામાં ખેતી સાથે પશુપાલનનો વ્‍યવસાય પણ મોટાપાયે વિકસિત થયેલો છે અને ગાય, ભેંસ જેવા દુધાળા પશુઓની સંખ્‍યા વિશેષ છે અને અનેક પરિવારો પશુપાલનના વ્‍યવસાયથી ઘરઆંગણે રોજગારી મેળવી રહ્યા છે. ચીખલી તાલુકામાં ચીખલી, રાનકુવા, રૂમલા અને રાનવેરી કલ્લા એમ ચાર જેટલા સરકારી પશુ દવાખાના કાર્યરત છે અને તાલુકાના 67 ગામોમાં 97હજાર જેટલા પશુઓની સંખ્‍યા છે. પરંતુ ચાર પશુ દવાખાના પૈકી ચીખલીમાં માત્ર એક જ દવાખાનામાં પશુચિકિત્‍સક છે. જ્‍યારે ત્રણ જેટલી જગ્‍યાઓ ખાલી છે.
ઉપરોક્‍ત સંજોગોમાં પશુઓ બીમાર થાય કે અન્‍ય કોઈ તકલીફ ઊભી થાય તો સમયસર સારવારનો અભાવ રહેતો હોય છે. બીજી તરફ ખાનગી તબીબો પાસે સારવારમાં પશુપાલકોને વધુ ખર્ચ થતો હોય છે. સમયસર સારવારના અભાવે ઘણીવાર લાખો રૂપિયાનું પશુધનમાંથી હાથ ધોવાનો વારો આવતો હોય છે. જેને પગલે પશુપાલકોને આર્થિક ફટકો પણ લાગતો હોય છે. ત્‍યારે પશુપાલન વિભાગ દ્વારા તાલુકામાં પશુચિકિત્‍સકોનીખાલી તમામ ત્રણ જગ્‍યાઓ પર નિમણૂક કરી દેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અને આ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ રસ દાખવે તે જરૂરી છે.
ચીખલીના પશુચિકિત્‍સક કે.ડી.પટેલના જણાવ્‍યાનુસાર પશુ તબીબોના પ્રમોશનને પગલે ચીખલીમાં એક જ પશુ તબીબ છે. પરંતુ બદલીના હુકમો થતા ખાલી જગ્‍યાઓ પર નિમણૂક થઈ જશે.

તસવીર દિપક સોલંકી

Related posts

વાપી સ્‍ટેશને માથા ફરેલ બેખોફ રીક્ષા ચાલકે મહિલાને બિભત્‍સ ભાષા બોલી શરમજનક વર્તન કર્યું: રીક્ષા ચાલક હવાલાતમાં

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વચ્‍છ ભારત મિશનના સ્‍વપ્‍નને સાર્થક કરતી વાપીની ‘એસએચ એન્‍જીટેક’

vartmanpravah

SUVમાં પગ મૂકવાના ભાગે બનાવેલા ચોર ખાનામાંથી દારૂ ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્‍ટેશન દ્વારા 835 પિધ્‍ધડો ઝડપાયા

vartmanpravah

કેવડિયા કોલોનીના નાયબ કલેકટર નિલેશ દુબેએ આદિવાસી સમાજ વિશે જે અપશબ્‍દો બોલી ટીપ્‍પણી કરવામાં આવતા  ભીલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના વલસાડ જિલ્લાના ઉપ પ્રમુખ સુમનભાઈ માહ્યાવંશીના નેતૃત્‍વમાં વલસાડ જીલ્લા કલેક્‍ટરશ્રીની આવેદનપત્ર અપાયું

vartmanpravah

અયોધ્‍યા ખાતે યોજાનારા ઐતિહાસિક શ્રી રામ જન્‍મ ભૂમિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના ઉપલક્ષમાં સોમવાર તા.22મી જાન્‍યુ.એ સંઘપ્રદેશ દાનહ, દમણ અને દીવ જિલ્લામાં દારુ-બિયરની દુકાનો અને નોનવેજનું વેચાણ બંધ રહેશે

vartmanpravah

Leave a Comment