Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતદમણદેશપારડીવલસાડવાપીસેલવાસ

દમણ કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશન પરિસરમાં ફરી દિપડો દેખાતા પ્રશાસન અને વન વિભાગ સક્રિય

દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રાએ સલાહ પત્ર જારી કરી નાગરિકો અને પ્રવાસીઓને સજાગ રહેવા કરેલી તાકીદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23
દમણ કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશનના પરિસરમાં થોડા દિવસોના અવકાશ બાદ ફરી દિપડો દેખાતા પ્રશાસન અને વન વિભાગ સક્રિય બન્‍યું છે. આ વખતે દિપડાને કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશનની બહાર જતા દેખાયો હોવાનું વિશ્વનીય વર્તુળોએ જણાવ્‍યું હતું, તેથી દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ સલાહ પત્ર જારી કરી નાગરિકો અને પ્રવાસીઓને સજાગ રહેવા ચેતવણી પણ જારી કરી છે.
દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ જારી કરેલા સલાહ પત્રમાં જણાવ્‍યું છે કે, તા.રરમી મે, ર0રરના રોજ સવારે લગભગ 1ર.40 વાગ્‍યેમધ્‍યરાત્રિએ ભારતીય કોસ્‍ટ ગાર્ડે એર સ્‍ટેશન, દમણના પરિસરમાં એક જંગલી પ્રાણી(દિપડો) નજરે પડયો હતો. સાવચેતીના પગલા રૂપે, કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશન દમણની આસપાસના વિસ્‍તારમાં ચાંપતી નજર રાખી રહ્યું છે.
વધુમાં ઉલ્લેખ કરતા શ્રી મોહિત મિશ્રાએ જણાવ્‍યું હતું કે આ બાબતે અગાઉ પણ તા. 26/04/2022ના રોજ સલાહ જારી કરી હતી.
આજ ક્રમમાં કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશન દમણની નજીક તમામ નાગરિકો અને પ્રવાસીઓને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ રાત્રે એકલા મુસાફરી નહી કરે. સાવચેતીના પગલા તરીકે નાના બાળકો અને ઘરેલું પ્રાણીઓને સુરક્ષિત રાખવાની સલાહ આપવામાં આવે છે.
વધુમાં રાત્રે બહાર અથવા ખુલ્લા ટેરેસ/વિસ્‍તારમાં સુવાનું ટાળવા, પ્રવાસીઓ તેમજ પગપાળા જનાર વ્‍યક્‍તિઓને સૂચના આપવામાં આવે છે કે જ્‍યાં સુધી જંગલી પ્રાણીને બચાવી લેવામાં નહી આવે અથવા આગળની સૂચના ન મળે ત્‍યાં સુધી એકાંત સ્‍થળોથી દૂર રહો અથવા જવાનું ટાળવા જણાવાયું છે.

Related posts

દાનહઃ ગ્રામ પંચાયત દપાડાના સહયોગથી બાલ ગૃહમાં બાળસભા યોજાઈ

vartmanpravah

મુંબઈ થી વડોદરા માલ ખાલી કરવા જઈ રહેલ પિકઅપ ટેમ્‍પોને ચીખલી નજીક અકસ્‍માત નડતા ડ્રાઈવરનું દબાઈ જતા મોત નીપજ્‍યું

vartmanpravah

નવી રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષઃ સંઘપ્રદેશમાં નવી શિક્ષણ નીતિની સફળતાના સંદર્ભમાં યોજાયો વાર્તાલાપ

vartmanpravah

ધરમપુરમાં બીએપીએસ મંદિરનો મૂર્તિપ્રતિષ્‍ઠા મહોત્‍સવ રંગેચંગે સંપન્ન, વનવાસીઓને સત્‍સંગનો લાભ મળશે: મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવમાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

આજે ગરીબ કલ્‍યાણ મેળામાં રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે  રૂા.2.10 કરોડના ખર્ચે તૈયાર થયેલ 1પ ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ કરાશે

vartmanpravah

ઉમરગામની સગીરા સાથે દુષ્‍કર્મ આચરનાર આરોપીના વલસાડ પોસ્‍કો કોર્ટે જામીન ફગાવ્‍યા

vartmanpravah

Leave a Comment