April 25, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતદમણદેશપારડીવલસાડવાપીસેલવાસ

દમણ કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશન પરિસરમાં ફરી દિપડો દેખાતા પ્રશાસન અને વન વિભાગ સક્રિય

દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર મોહિત મિશ્રાએ સલાહ પત્ર જારી કરી નાગરિકો અને પ્રવાસીઓને સજાગ રહેવા કરેલી તાકીદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23
દમણ કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશનના પરિસરમાં થોડા દિવસોના અવકાશ બાદ ફરી દિપડો દેખાતા પ્રશાસન અને વન વિભાગ સક્રિય બન્‍યું છે. આ વખતે દિપડાને કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશનની બહાર જતા દેખાયો હોવાનું વિશ્વનીય વર્તુળોએ જણાવ્‍યું હતું, તેથી દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ સલાહ પત્ર જારી કરી નાગરિકો અને પ્રવાસીઓને સજાગ રહેવા ચેતવણી પણ જારી કરી છે.
દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ જારી કરેલા સલાહ પત્રમાં જણાવ્‍યું છે કે, તા.રરમી મે, ર0રરના રોજ સવારે લગભગ 1ર.40 વાગ્‍યેમધ્‍યરાત્રિએ ભારતીય કોસ્‍ટ ગાર્ડે એર સ્‍ટેશન, દમણના પરિસરમાં એક જંગલી પ્રાણી(દિપડો) નજરે પડયો હતો. સાવચેતીના પગલા રૂપે, કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશન દમણની આસપાસના વિસ્‍તારમાં ચાંપતી નજર રાખી રહ્યું છે.
વધુમાં ઉલ્લેખ કરતા શ્રી મોહિત મિશ્રાએ જણાવ્‍યું હતું કે આ બાબતે અગાઉ પણ તા. 26/04/2022ના રોજ સલાહ જારી કરી હતી.
આજ ક્રમમાં કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશન દમણની નજીક તમામ નાગરિકો અને પ્રવાસીઓને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ રાત્રે એકલા મુસાફરી નહી કરે. સાવચેતીના પગલા તરીકે નાના બાળકો અને ઘરેલું પ્રાણીઓને સુરક્ષિત રાખવાની સલાહ આપવામાં આવે છે.
વધુમાં રાત્રે બહાર અથવા ખુલ્લા ટેરેસ/વિસ્‍તારમાં સુવાનું ટાળવા, પ્રવાસીઓ તેમજ પગપાળા જનાર વ્‍યક્‍તિઓને સૂચના આપવામાં આવે છે કે જ્‍યાં સુધી જંગલી પ્રાણીને બચાવી લેવામાં નહી આવે અથવા આગળની સૂચના ન મળે ત્‍યાં સુધી એકાંત સ્‍થળોથી દૂર રહો અથવા જવાનું ટાળવા જણાવાયું છે.

Related posts

ઉમરગામ તાલુકાના અચ્‍છારી ગામની 73 વર્ષિય વયોવૃદ્ધ મહિલાની જમીન હડપી લેવાના કાવતરાંમાં ઉમરગામના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્‍ય શંકરભાઈ વારલીને ભિલાડ પોલીસનું તેડું: ભેદભરમ બહાર આવવાની સંભાવના

vartmanpravah

સાદડવેલ ગામે કાર અને બાઈક વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બાઈક સવારનું સ્‍થળ ઉપર મોત

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વચ્‍છ ભારત મિશનના સ્‍વપ્‍નને સાર્થક કરતી વાપીની ‘એસએચ એન્‍જીટેક’

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી

vartmanpravah

દાનહમાં થયેલા ઔદ્યોગિકરણનો લાભ પ્રદેશના કેટલા આદિવાસીને મળ્‍યો અને કોના ‘જીવન-ધોરણમાં’ સુધારો આવ્‍યો?

vartmanpravah

વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝમાં પાર્ક કરેલ ટ્રકમાં આગ લાગતા અફરા તફરીના દૃશ્‍યો સર્જાયા

vartmanpravah

Leave a Comment