July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બાલદા એલ એન્‍ડ ટી કંપનીમાં બે દિવસ અગાઉ જ કામ કરવા આવેલા કામદારનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.19: પારડીના બાલદા ખાતે એલ એન્‍ડ ટી કંપનીના સાઈડ પર બે દિવસ અગાઉ ગત તા.18 એપ્રિલના રોજ ઝારખંડ, હાડ મલ્લીથી મંજૂરી કામે આવેલો કામદાર અશરફુલ સૈયદ શેખ ઉવ 43 એલ એન્‍ડ ટી ના પ્રબલ કળષ્‍ણકાંતા રોયના કોન્‍ટ્રાકટમાં ગત મંગળવારના રોજ કામ કર્યા બાદ બપોરે મેસમાં જમ્‍યા પછી બીજા કંપનીના માણસો સાથે કંપનીના રૂમમાં સૂતા હતા. જે બાદ સાંજે ઉઠ્‍યા બાદ છાતીમાં દુખાવો થતો હોવાની અશરફુલે સાથી કામદારોને ફરિયાદ કરતાં સાથી કામદારોસુપરવાઈઝરને જાણ કરી એમ્‍બુલન્‍સ મારફતે પારડી સીએચસી હોસ્‍પિટલ લઈ ગયા હતા. જ્‍યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જોકે તેના મોતનું સાચું કારણ જાણવા પારડી પોલીસે ફરિયાદ આધારે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક ખેલ મહોત્‍સવ યોજાયો

vartmanpravah

દમણના મગરવાડા ખાતે દુધી માતા મંદિર પરિસરમાં વિશ્વ પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતાબેન રબારીના દરબારમાં ઉમટેલો માનવ મહેરામણ

vartmanpravah

ચીખલી તાલુકાની ગ્રામ પંચાયતોમાં બે દિવસથી સર્વર ધીમું ચાલતા લોકોને પડી રહેલી હાલાકી

vartmanpravah

દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીનું ભામટી ખાતે અનુ.જાતિ સમાજ દ્વારા કરવામાં આવેલું શાહી સન્‍માન

vartmanpravah

કલીયારીના કુવામાંથી આહવાના પુરૂષની લાશ મળી

vartmanpravah

ઉમરગામ તાલુકામાં કોંગ્રેસની હાલત કફોડી

vartmanpravah

Leave a Comment