Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જહાજ, બંદરો અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

દમણ-દીવ અને લક્ષદ્વીપ સમુદ્ર સાથે જોડાયેલા પ્રદેશો હોવાથી કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલ સાથેની પ્રશાસક પ્રફુલભાઈ પટેલની મુલાકાતનું વધેલું મહત્‍વ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવી દિલ્‍હી, તા.05
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શનિવારે દિલ્‍હી ખાતે જહાજ, બંદરો અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનેવાલ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી વિવિધ મહત્‍વના મુદ્દાઉપર ચર્ચા-વિચારણા પણ કરી હતી.
અત્રે નોંધનીય છે કે, દમણ અને દીવ તથા લક્ષદ્વીપનો મોટો હિસ્‍સો સમુદ્ર સાથે જોડાયેલો છે. હાલમાં જળમાર્ગે લક્ષદ્વીપના આવન-જાવન માટે કેરલા ઉપર આધાર રાખવો પડે છે. જ્‍યારે દીવ અને દમણ વચ્‍ચે જળમાર્ગે ટ્રાન્‍સપોર્ટેશનનો પ્રસ્‍તાવ વિચારાધીન છે. ત્‍યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની જહાજ બંદરો અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનેવાલ સાથેની મુલાકાતનું પ્રદેશના વિકાસ માટે ખુબ જ મહત્‍વ હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.

Related posts

સંદર્ભઃ દાનહના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં કરેલી રજૂઆત સંઘપ્રદેશ પ્રશાસનની અસામાજિક તત્‍વો અને સ્‍થાપિત હિતો સામે અપનાવેલી નો ટોલરન્‍સ નીતિનો પડઘો

vartmanpravah

ચીખલીમાં સ્‍વામિનારાયણ સંપ્રદાય દ્વારા તિથલ મંદિરના રજત જયંતિ મહોત્‍સવ નિમિત્તે અક્ષર પુરુષોત્તમ વધામણાની યોજાયેલ નગરયાત્રા

vartmanpravah

દાનહ ટુરીઝમ વિભાગ દ્વારા દૂધની સરકારી શાળામાં વારલી પેઈન્‍ટિંગ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

દીવ ન.પા.ના નવનિર્વાચિત પ્રમુખ હેમલતાબેન સોલંકીનું ભામટી ખાતે અનુ.જાતિ સમાજ દ્વારા કરવામાં આવેલું શાહી સન્‍માન

vartmanpravah

વલસાડ અબ્રામામાં કપચી ભરેલ ચાલુ ટ્રકનું ટાયર નિકળી જતા મોટો અકસ્‍માત થતા રહી ગયો

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયત સ્‍કૂલ ફળિયા મુકામે રાત્રી ચોતરાસભા (ચૌપાલ)યોજાઈ

vartmanpravah

Leave a Comment