(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.03: નવસારી એસીબી પાસેથી પ્રાપ્ત વિગત મુજબ સાદકપોર ગામે ફરિયાદી કેરીનો વેપાર કરવાનો હોય જમીન ભાડે રાખવા માટે ગ્રામ પંચાયતની એનઓસીની જરૂરિયાત હોય તેણી તેને જગ્યાની વ્યવસ્થા કરી આપનાર સાદકપોરના છોટુભાઈ મગનભાઈ પટેલે તેમની ખેરગામ રોડ ઉપર ગોલવાડમાં આવેલ દુકાન પર ઈન્ચાર્જ સરપંચ સંજયભાઈ સાથે વાતચીત કરાવી હતી જેમાં છોટુભાઈએ એનઓસી મેળવવા 10,000 રૂપિયા પોતાના અને 10000 રૂપિયા સરપંચના મળી વ્યવહાર પેટે 20,000 ની માંગણી કરી હતી જેમાં નવસારી એસીબીની ટીમે છટકુ ગોઠવતા ચીખલી ખેરગામ રોડ ઉપર ગોલવાડના ટેકરા ફળિયા સ્થિત જલ ઓઈલ સેન્ટર નામની દુકાનમાં છોટુભાઈને લાંચની 15000 રૂપિયાની રકમ સ્વીકારતા ઝડપી લીધો હતો અને આ પૂર્વે શરૂઆતમાં પણ 5000 રૂપિયા ફરિયાદીએ છોટુભાઈને આપ્યા હતા.
આ લાંચની રકમમાં છોટુભાઈ સાથે હેતુલક્ષી વાતચીત કરતા એસીબીએ ઈન્ચાર્જ સરપંચ સંજયકુમાર મગનભાઈ પટેલ (ઉ.વ-40,રહે.સાદકપોરગોલવાડ તા.ચીખલી) તથા છોટુભાઈ મગનલાલ પટેલ (-જાજન) (ઉ.વ-75,રહે.સાદકપોર ગોલવાડ તા.ચીખલી) સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.
સાદકપોર ગામના સરપંચ સામે થોડા દિવસ પૂર્વે જ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા ડેપ્યુટી સરપંચ સંજયભાઈને સરપંચનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.