August 6, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડ

દમણ જિલ્લા કોળી સમાજના કાર્યવાહક પ્રમુખ તરીકે પ્રો.ડો. નાનુભાઈ પટેલની વરણીઃ ઠેર ઠેરથી આવકાર

દમણ જિલ્લા કોળી સમાજની સ્‍થાપનાથી માંડી અત્‍યાર સુધી પહેલી વખત પક્ષીય અને સામાજિક રાજકારણથી હટી એક શિક્ષણશાષાીને સોંપેલી સમાજની કમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.05
દમણ જિલ્લા કોળી સમાજના કાર્યવાહક પ્રમુખ તરીકે પ્રો. ડો.નાનુભાઈ પટેલની વરણી કરી કોળી પટેલ સમાજે હવે પોતાની દિશા બદલી હોવાની પ્રતિતિ કરાવી છે. દમણ જિલ્લા કોળી સમાજની સ્‍થાપનાથી માંડી અત્‍યાર સુધી પહેલી વખત પક્ષીય અને સામાજિક રાજકારણથી હટી એક શિક્ષણશાષાીને સમાજની કમાન સોંપી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ જિલ્લા કોળી સમાજની વાડી સોમનાથભવન ખાતે મળેલી બેઠકમાં પ્રો. ડો. નાનુભાઈ પટેલની સમાજના કાર્યવાહક પ્રમુખ તરીકે એક વર્ષના કાર્યકાળ માટે વરણી કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. જેમાં કોળી પટેલ સમાજના આગેવાન શ્રી જયંતિભાઈ પટેલની મુખ્‍ય ભૂમિકા રહી હતી.
દમણ જિલ્લામાં બહુમતિ ધરાવતા કોળી પટેલ સમાજના પ્રો. ડો. નાનુભાઈ પટેલને કર્ણધાર બનાવાતા હવે શિક્ષણ, ધંધા-રોજગારના ક્ષેત્રે યુવાનોને નવી દિશા મળી શકવાની સાથે સમાજ એક તાંતણે બંધાઈને રહેશે એવી અપેક્ષા પણ વ્‍યક્‍ત થઈ રહી છે અને રાજકીય અને સામાજિક ક્ષેત્રે પણ દમણ જિલ્લા કોળી સમાજ પોતાનું એક નવું પ્રકરણ ઉમેરી શકશે એવી આશા-અપેક્ષા પણ વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

આજથી શરૂ થઈ રહેલ ધોરણ 10ની પરીક્ષામાં સંઘપ્રદેશના 8207 અને ધોરણ 12ના 5705 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

vartmanpravah

વાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્‍યોતિબા ફૂલેજીની જન્‍મજયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગણદેવી તાલુકાના નાંદરખામાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ અંતર્ગત એલ એન્‍ડ ટી કંપની દ્વારા ખેડૂતોની જમીનનો ભાડા કરાર કરાવી માટી ખનન કરી બિન ઉપજાવ બનાવી યોગ્‍ય વળતર ન ચૂકવી છેતરપીંડી કરી હોવાની કરેલી રજૂઆત

vartmanpravah

સરીગામ પંચાયતે રૂ.15 લાખના ખર્ચે નિર્માણ થનારા વિકાસના કામોના કરેલા ખાતમુહૂર્ત

vartmanpravah

ઉમરગામ તાલુકાના અચ્‍છારી ગામની 73 વર્ષિય વયોવૃદ્ધ મહિલાની જમીન હડપી લેવાના કાવતરાંમાં ઉમરગામના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્‍ય શંકરભાઈ વારલીને ભિલાડ પોલીસનું તેડું: ભેદભરમ બહાર આવવાની સંભાવના

vartmanpravah

ધરમપુરના નડગધરી ગામે પ્રા.શાળામાં અંધશ્રધ્‍ધાનું તૂત: 12 મરઘા અને બકરીની બલી ચઢાવાઈ

vartmanpravah

Leave a Comment