(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: દાદરા નગર હવેલી અને દમણ દીવ ખેલ અને યુવા વિભાગ સેલવાસ દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત ત્રણ દિવસીય ઓપન લેવલ પ્રતિયોગિતા-2022નું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત સીઈઓ ડો. અપૂર્વ શર્માના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં અલગ અલગ ઉંમરના છોકરા-છોકરીઓ ભાગ લઈ રહ્યા છે. પ્રતિયોગિતામાં વિજેતા બનનાર ખેલાડીઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે.