April 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદીવદેશ

કોઈ પણ સર્જક આખરે તો શબ્‍દ બ્રહ્મની સાધના કરે છે, કવિ માટે સર્જન જ શબ્‍દની સાધનાછેઃ સંજુ વાળા

દીવમાં કવિ સંજુ વાળાનું સન્‍માનઃ કવિના સર્જન, જીવન વિશે થઈ રસપ્રદ વાતોઃ બોન એપીટીટ ગાર્ડન રેસ્‍ટોરન્‍ટ ખાતે યોજાયો કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ તા. 05
દીવમાં સાહિત્‍ય પ્રેમીઓ માટે એક સરસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના પ્રતિષ્‍ઠિત કવિ શ્રી સંજુ વાળાનું અભિવાદન બોન એપીટાઇટ ગાર્ડન રેસ્‍ટોરન્‍ટ ખાતે કરવામાં આવ્‍યું હતું .
કવિશ્રીએ તાજેતરમાં જ પ્રકાશિત થયેલા પોતાના છ પુસ્‍તકો શિક્ષણવિદ્‌ શ્રી માનસિંગભાઈ બાંભણીયાને અર્પણ કર્યા હતા. સાહિત્‍ય, સંગીતના ભાવક, જાણતલ એવાં શ્રી આર.પી. જોશીએ કવિ શ્રી સંજુ વાળાના કાવ્‍યકર્મ વિશે વિશદ અને વિદ્વત્તાપૂર્ણ છણાવટ કરી હતી. શ્રી સંજુ વાળાની કવિતાના વિવિધ પ્રદેશમાં એમણે ભાવકોને લટાર મરાવી હતી. શ્રી સંજુ વાળાને મળેલા એવોર્ડ, એમના સર્જન, પુસ્‍તકો વિશે વાત કરી હતી.
કવિ શ્રી સંજુ વાળાના ગીતોના આસ્‍વાદના પુસ્‍તકો છેક શિખરની મજા વિશે પ્રો. ડૉ. દલપત ચાવડાએ વાત કરી હતી. જ્‍યારે સંજુ વાળાના અભિવાદન ગ્રંથ સહજ જડી સરવાણીના પ્રકાશન અને શ્રી સંજુ વાળાના જીવન વિશે પત્રકાર – લેખક જ્‍વલંત છાયાએ ચર્ચા કરી હતી.
પ્રતિભાવ આપતાં કવિ શ્રી સંજુ વાળાએ કહ્યું કે કોઈ પણ સર્જક આખરે તો શબ્‍દ બ્રહ્મની સાધનાકરે છે. કવિ માટે સર્જન જ શબ્‍દની સાધના છે. માટે આ સન્‍માન મારું નથી પરંતુ શબ્‍દનું છે.
સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુચારુ સંચાલન પ્રો. ડો. સુનીલ જાદવે કર્યું હતું. શ્રી સંજુ વાળાના જીવન, સર્જન, એમની કવિતાની વિશાળ રેન્‍જ વિશે ડૉ. જાદવે રસપ્રદ ચર્ચા કરી હતી. એમના વિશિષ્ટ સર્જનના વિસ્‍તાર વિશે એમણે સંકેતો આપ્‍યા હતા.
આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં જાણીતા સાહિત્‍ય રસિક શ્રી ઉકાભાઇ વઘાસિયા, શ્રી રામભાઈ રાઠોડ તથા અન્‍ય ભાવકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શાળા પ્રવેશોત્‍સવ અને ઉત્‍કૃષ્‍ટ શૈક્ષણિક પર્યાવરણની અસરથી સંઘપ્રદેશમાં હવે ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ વળી રહેલા વિદ્યાર્થીઓઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વલસાડના 17 વર્ષીય વિદ્યાર્થીએ 200 કિલો વજન ઉપાડી 2 ગોલ્‍ડ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું

vartmanpravah

વાપી પાલિકાએ વેરો ના ભરતા ચલા વિસ્‍તારના રો-હાઉસ માલિકોને નોટિસો ફટકારી, બે ઓફિસોને તાળાં માર્યા

vartmanpravah

દીવ જિલ્લાની આંગણવાડીઓમાં હવેથી લાભાર્થીઓને બાલશક્‍તિ તેમજ માતૃશક્‍તિ મિશ્રણ આપવામાં આવશે

vartmanpravah

દાનહમાં એક મહિના બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

સેલવાસના નવયુવાનોની અનોખી પહેલ: અન્નદાનમ સંસ્‍થાએ સામાજીક પ્રસંગોમાં બચતા ભોજનને જરૂરિયાતમંદ લોકો સુધી પહોચાડવાની કરેલી પહેલ

vartmanpravah

Leave a Comment