June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લાનું ઘોરણ 10નું 65.12 ટકા પરિણામ: A1 ગ્રેડમાં 118 અને A2 ગ્રેડમાં 950 વિદ્યાર્થીઓ ઝળકયા

જિલ્લામાં વલસાડ હાલર રોડ કેન્‍દ્રનું સૌથી વધુ 83.18% અને ગલોંડા કેન્‍દ્રનું સૌથી ઓછું 36.90% પરિણામ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.06
ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી ધોરણ-10નું કુલ 65.18% પરિણામ જાહેર કરાયું હતું. વલસાડ જિલ્લામાં ઘોરણ 10ની કુલ 21,218 વિદ્યાર્થીઓ પૈકી કુલ 20714 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 13,489 વિદ્યાર્થીઓ પાસ થતા જિલ્લાનું 65.12% પરિણામ જાહેર થયું છે. જ્‍યારે 7,225 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા.
જિલ્લામાં જેમાં ખ્‍1 ગ્રેડમાં 118 વિદ્યાર્થીઓ, ખ્‍2 ગ્રેડમાં 956 વિદ્યાર્થીઓ, A1 ગ્રેડમાં 2,199 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 3,566 વિદ્યાર્થીઓ, B1 ગ્રેડમાં 4,058 વિદ્યાર્થીઓ, B2 ગ્રેડમાં 2,433 વિદ્યાર્થીઓ, C ગ્રેડમાં159 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો.
વલસાડ જિલ્લાના કુલ 31 કેન્‍દ્રો ઉપર ધોરણ 10ની પરીક્ષા લેવાઈ હતી, જેમાં વલસાડ હાલર રોડ કેન્‍દ્રનું સૌથી વધુ 83.18% પરિણામ આવ્‍યું હતૂ઼, જ્‍યારે ગલોંડા કેન્‍દ્રનું સૌથી ઓછુ 36.90% પરિણામ આવ્‍યું હતું. આ વર્ષે જિલ્લાનું પરિણામ વર્ષ 2020ના પરિણામ કરતા 6.6% વધુ આવ્‍યું છે. જિલ્લાની 6(છ) શાળાઓનું 100% જ્‍યારે 5(પાંચ) શાળાઓનું 0% પરિણામ આવ્‍યું હતું.
આ પ્રસંગે સફળ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્‍ય માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સહિત જિલ્લા વહિવટી તંત્રે અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દાનહ: સિલી સ્થિત કેએલજે ગ્રુપ ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ યુનિટ નંબર-2 કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી ખુલ્લેઆમ છોડાતા ખેતરોની જમીન સહિત પાકને થઈ રહેલું નુકસાન

vartmanpravah

દાનહની પંચાયત સરપંચ અને સભ્‍યની પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ ભર્યા ફોર્મ

vartmanpravah

સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે રજૂ કરેલી વ્‍યથા દાનહના વિવિધ સરકારી ઓફિસોમાં કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા ડેઇલી વેજીસ કર્મઓને સમયસર નહીં મળતો પગારઃ કલેક્‍ટરને દરમિયાનગીરી માટે રજૂઆત

vartmanpravah

દમણના ગૌરવ એવા પ્રભાબેન શાહનું રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રી પુરસ્‍કારથી કરેલું સન્‍માન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકો માટે પાંચ દિવસીય વૈદિક ગણિત તાલીમનો પ્રારંભ

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજનાના પરિપત્ર વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

Leave a Comment