April 19, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવની સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ સભ્‍યો સહિત બહુમતિ ગામવાસીઓએ બાંધેલી ભાજપની કંઠી

કેન્‍દ્રમાં બહુમતિ સાથેની ભાજપ સરકાર અને પ્રદેશનો સીધો વહીવટ કેન્‍દ્ર સરકાર હસ્‍તક રહેતો હોવાથી સાઉદવાડી ગ્રામ પંચાયતે ડબ્‍બલ એન્‍જિનની સરકાર ઉપર મહોર મારી ગામના વિકાસ માટે લીધેલો સાર્થક નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.08
પ્રદેશના વિકાસ માટે ડબ્‍બલ એન્‍જિનવાળી સરકાર હોવી જરૂરી હોવાથી દીવની સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ, સભ્‍યો સહિત બહુમતિ ગામલોકોએ ભાજપની કંઠી બાંધી પોતાના ગામના વિકાસને પ્રાધાન્‍ય આપ્‍યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચશ્રી શંકરભાઈ ભગવાનભાઈ બારિયા તથા સભ્‍યો અને ગામલોકોએ સાગમટે ભાજપનો ભગવો ધારણ કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ ઉપર મહોર મારી છે. આજે ભાજપના રાષ્‍ટ્રીય સચિવ અને સંઘપ્રદેશના પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકર, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપિનભાઈ શાહ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, ભાજપના ઉપ પ્રમુખ શ્રી કિરીટભાઈ વાજા સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિમાં સરપંચ, સભ્‍યો અને બહુમતિ ગામલોકોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, કેન્‍દ્રમાં બહુમતિસાથેની ભાજપ સરકાર છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવ કેન્‍દ્ર શાસિત પ્રદેશ હોવાથી કેન્‍દ્ર સરકારનો સીધો હસ્‍તક્ષેપ રહે છે. દમણ-દીવમાં સાંસદ પણ ભાજપના છે. તેમજ દીવ જિલ્લા પંચાયતમાં શાસન પણ ભાજપનું હોવાથી ગ્રામ પંચાયતના વિકાસ માટે આ તમામ એન્‍જિનો શક્‍તિ પુરી પાડવા સમર્થ છે. તેથી સાઉદવાડી ગ્રામ પંચાયતે લીધેલો નિર્ણય ખુબ જ સાર્થક હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Related posts

પ્રમુખ દામજીભાઈ કુરાડાની અધ્‍યક્ષતામાં દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની મળેલી સામાન્‍ય સભા

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની શાળાઓમાં ગુરૂ પૂર્ણિમા પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના અધ્‍યક્ષ તરીકે સર્વાનુમતે સત્‍યેન્‍દ્ર કુમારની વરણીઃ ‘સબકા સાથ, સબકા વિકાસ’ની સાથે ‘સબકા પ્રયાસ’થી ઉદ્યોગોની સમસ્‍યાના સમાધાન માટે આપેલો કોલ

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ ઝૂંબેશને સંદર્ભે ભીમપોરમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અને કાઉન્‍સેલિંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડના ધારાસભ્‍યએ ગૃહમંત્રીને પત્ર લખ્‍યો: મુસ્‍લિમોના તાજીયા 15 પૂટથી ઊંચા માટે છૂટ-ગણેશ મૂર્તિ માટે 9 ફૂટનો પરિપત્ર

vartmanpravah

Leave a Comment