July 20, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવની સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ સભ્‍યો સહિત બહુમતિ ગામવાસીઓએ બાંધેલી ભાજપની કંઠી

કેન્‍દ્રમાં બહુમતિ સાથેની ભાજપ સરકાર અને પ્રદેશનો સીધો વહીવટ કેન્‍દ્ર સરકાર હસ્‍તક રહેતો હોવાથી સાઉદવાડી ગ્રામ પંચાયતે ડબ્‍બલ એન્‍જિનની સરકાર ઉપર મહોર મારી ગામના વિકાસ માટે લીધેલો સાર્થક નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.08
પ્રદેશના વિકાસ માટે ડબ્‍બલ એન્‍જિનવાળી સરકાર હોવી જરૂરી હોવાથી દીવની સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ, સભ્‍યો સહિત બહુમતિ ગામલોકોએ ભાજપની કંઠી બાંધી પોતાના ગામના વિકાસને પ્રાધાન્‍ય આપ્‍યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચશ્રી શંકરભાઈ ભગવાનભાઈ બારિયા તથા સભ્‍યો અને ગામલોકોએ સાગમટે ભાજપનો ભગવો ધારણ કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ ઉપર મહોર મારી છે. આજે ભાજપના રાષ્‍ટ્રીય સચિવ અને સંઘપ્રદેશના પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકર, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપિનભાઈ શાહ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, ભાજપના ઉપ પ્રમુખ શ્રી કિરીટભાઈ વાજા સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિમાં સરપંચ, સભ્‍યો અને બહુમતિ ગામલોકોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, કેન્‍દ્રમાં બહુમતિસાથેની ભાજપ સરકાર છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવ કેન્‍દ્ર શાસિત પ્રદેશ હોવાથી કેન્‍દ્ર સરકારનો સીધો હસ્‍તક્ષેપ રહે છે. દમણ-દીવમાં સાંસદ પણ ભાજપના છે. તેમજ દીવ જિલ્લા પંચાયતમાં શાસન પણ ભાજપનું હોવાથી ગ્રામ પંચાયતના વિકાસ માટે આ તમામ એન્‍જિનો શક્‍તિ પુરી પાડવા સમર્થ છે. તેથી સાઉદવાડી ગ્રામ પંચાયતે લીધેલો નિર્ણય ખુબ જ સાર્થક હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Related posts

રવિવારે દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણ દાભેલના ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ કાનૂની જાગૃતતા શિબિર

vartmanpravah

મોતીવાડાના ચકચારી રેપ વીથ મર્ડર કેસને સફળતાપૂર્વક ઉકેલવા બદલ વલસાડ પોલીસ ટીમનું ગાંધીનગરમાં સન્‍માન કરાયું

vartmanpravah

રખોલી પîચાયતે પાન-ગુટખાના લારી-ગલ્લાઓ ઉપર રેડ પાડી ૩૦ કિલો તîબાકુનો જથ્થો જપ્ત કર્યો

vartmanpravah

સંઘપ્રદેશમાં પૂર અને તોફાનની આફત સામે લડવા યોજાઈ મૉક ડ્રિલ

vartmanpravah

સેલવાસની ગુરુદેવ સોસાયટીમાં કોઈક વ્‍યક્‍તિએ ઝેરયુક્‍ત ખોરાક ખવડાવતા પાંચ ગલુડિયાંના થયેલા મોત

vartmanpravah

Leave a Comment