Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અનિલ કુમાર સિંઘની દિલ્‍હી બદલીઃ વિકાસ આનંદ નવા પ્રશાસકશ્રીના સલાહકાર બનશે

સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ એ.મુથમ્‍માની પુડ્ડુચેરી બદલીઃ દિલ્‍હીથી 2012 બેચના આઈ.એ.એસ. અધિકારી એ. ગોપી ક્રિષ્‍ણાનું સંઘપ્રદેશ આગમન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અનિલ કુમાર સિંઘ અને સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ શ્રીમતી એ.મુથમ્‍માની બદલીના આદેશો ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્‍યા છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના સલાહકાર 1995 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી અનિલ કુમાર સિંઘની દિલ્‍હી બદલીનો આદેશ કરાયો છે. તેમના સ્‍થાને પ્રશાસશ્રીના સલાહકાર તરીકે 2002 બેચના શ્રી વિકાસ આનંદની બદલી કરાઈ છે.
2009બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રીમતી એ.મુથમ્‍માની પુડ્ડુચેરી બદલીનો આદેશ કરાયો છે. તેમના સ્‍થાને 2012 બેચના શ્રી એ. ગોપી ક્રિષ્‍ણાને મુકાયા છે.
અત્રે નોંધનીય છે કે, પ્રશાસકશ્રીના સલાહકાર તરીકે નિયુક્‍ત કરાયેલા 2002 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી વિકાસ આનંદ ભૂતકાળમાં દીવ અને દમણના કલેક્‍ટર તરીકેની ફરજ બજાવી ચુક્‍યા છે.

Related posts

12 જાન્‍યુઆરીએ ધરમપુરમાં વિવેકાનંદજીની જન્‍મજયંતિ નિમિત્તે યુવા રેલી અને યુવા સંમેલન

vartmanpravah

દાનહના ખેડપામાં બે બાઈક સામસામે ટકરાતા બે યુવાનોના ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

લોકસભા ચૂંટણી-૨૦૨૪ના સંદર્ભમાં આદર્શ આચારસંહિતાના ભાગરૂપે દમણમાં સર્વેલન્‍સ ટીમે એક સપ્તાહમાં 13.23 લાખની રોકડ અને 5.80 લાખનો જપ્ત કરેલો દારૂ

vartmanpravah

સલવાવના સંત પૂજ્ય કપિલ સ્વામીજીની વિશ્વ પ્રવાસી ધર્મ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદે નિયુક્તિ

vartmanpravah

સંઘપ્રદેશના લોકો હવે ઘરબેઠાં ટેલી માનસ સેવાનો લાભ ઉઠાવી શકશે

vartmanpravah

દેહ વેપારના ચુંગલમાંથી મુક્ત કરાવાયેલી પશ્ચિમ બંગાળની યુવતીનું સખી વન સ્ટોપે પરિવાર સાથે મિલન કરાવ્યું

vartmanpravah

Leave a Comment