July 22, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર અનિલ કુમાર સિંઘની દિલ્‍હી બદલીઃ વિકાસ આનંદ નવા પ્રશાસકશ્રીના સલાહકાર બનશે

સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ એ.મુથમ્‍માની પુડ્ડુચેરી બદલીઃ દિલ્‍હીથી 2012 બેચના આઈ.એ.એસ. અધિકારી એ. ગોપી ક્રિષ્‍ણાનું સંઘપ્રદેશ આગમન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અનિલ કુમાર સિંઘ અને સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ શ્રીમતી એ.મુથમ્‍માની બદલીના આદેશો ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવ્‍યા છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના સલાહકાર 1995 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી અનિલ કુમાર સિંઘની દિલ્‍હી બદલીનો આદેશ કરાયો છે. તેમના સ્‍થાને પ્રશાસશ્રીના સલાહકાર તરીકે 2002 બેચના શ્રી વિકાસ આનંદની બદલી કરાઈ છે.
2009બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રીમતી એ.મુથમ્‍માની પુડ્ડુચેરી બદલીનો આદેશ કરાયો છે. તેમના સ્‍થાને 2012 બેચના શ્રી એ. ગોપી ક્રિષ્‍ણાને મુકાયા છે.
અત્રે નોંધનીય છે કે, પ્રશાસકશ્રીના સલાહકાર તરીકે નિયુક્‍ત કરાયેલા 2002 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી વિકાસ આનંદ ભૂતકાળમાં દીવ અને દમણના કલેક્‍ટર તરીકેની ફરજ બજાવી ચુક્‍યા છે.

Related posts

ગાંધીનગરમાં ખાણ ખનીજ વિભાગ સાથે ક્‍વોરી એસોસિએશનની કોર કમિટિની યોજાયેલ બેઠકમાં કોઈ નિરાકરણ ન આવતા ચીખલી સહિત રાજ્‍યના ક્‍વોરી ઉદ્યોગોની હડતાળ યથાવત્‌

vartmanpravah

ધરમપુર જાગીરીના હેમ આશ્રમના 136 વિદ્યાર્થીઓએ બીલીમોરા-વઘઇ હેરિટેજ ટ્રેનનો પ્રવાસ માણ્‍યો

vartmanpravah

દાનહ પોલીસે લૂંટ અને હત્યાનો પ્રયાસ કરનાર છ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

વાપી બલીઠા હાઈવે ઉપર કાર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક સાથે ભટકાતા ગંભીર અકસ્‍માત સર્જાયો : ચાલકનો બચાવ

vartmanpravah

સેલવાસના બે સામાજીક કાર્યકર્તાઓનું હૃદય રોગના હૂમલામાં મોત

vartmanpravah

આગામી 6ઠ્ઠી નવેમ્‍બરે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની નાનાપોંઢામાં જંગી જાહેરસભા યોજાશે

vartmanpravah

Leave a Comment