September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગાંધીનગરમાં ખાણ ખનીજ વિભાગ સાથે ક્‍વોરી એસોસિએશનની કોર કમિટિની યોજાયેલ બેઠકમાં કોઈ નિરાકરણ ન આવતા ચીખલી સહિત રાજ્‍યના ક્‍વોરી ઉદ્યોગોની હડતાળ યથાવત્‌

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: ક્‍વોરી ઉદ્યોગના પાયાના પ્રશ્નોનું સરકાર દ્વારા અવાર નવાર લેખિત બાહેંધરી અપાયા બાદ પણ નિરાકરણ ન લાવવામાં આવતા ગુજરાત રાજ્‍ય બ્‍લેક ટ્રેપ ક્‍વોરી ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશનના હડતાળને પગલે ચીખલી તાલુકા સહિત સમગ્ર રાજ્‍યમાં બીજી ઓક્‍ટોબરના રોજથી ક્‍વોરી ઉદ્યોગ બંધ પાડી ઉત્‍પાદન અને વેચાણ બંધ કરી દેતા સરકારના અનેક વિકાસના કામો અને ખાનગી બાંધકામો પર બ્રેક લાગી જવા પામી છે. અને ક્‍વોરી ઉદ્યોગ સાથે સંલગ્ન ટ્રાન્‍સપોર્ટ અનેબાંધકામ સહિતના ઉદ્યોગો થકી રોજગારી મેળવતા હજ્‍જારો લોકોની રોજગારી સામી દિવાળીએ બંધ થતાં તહેવાર બગડવાની સ્‍થિતિ ઉભી થવા પામી છે.
આ દરમ્‍યાન ગાંધીનગરમાં ખાણ ખનીજ કમિશનર ધવલભાઈ પટેલ અને ક્‍વોરી એસોસિએશનની કોર કમિટીની યોજાયેલી બેઠકમાં ખાણ ખનીજ વિભાગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે બાહેંધરી અપાઈ હોવાનું જાણવા મળ્‍યું હતું. પરંતુ મહત્‍વનો એવો પર્યાવરણીય મંજુરી (ઇસી) નો પ્રશ્ન અન્‍ય વિભાગનો એટલે કે જીપીસીબીનો હોય તમામ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હડતાળ યથાવત રહેવા પામી છે.
ક્‍વોરી ઉદ્યોગના પ્રશ્નોની બાબતમાં સરકારના સંબંધિત વિભાગોમાં જરૂરી સંકલન, તાલમેલનો અભાવ જોવા મળી રહ્યો છે. અને જેને પગલે નિર્ણાયક સરકારના દાવા કરતી સરકારના શાસનમાં ક્‍વોરી ઉદ્યોગની હડતાળના 13-દિવસ બાદ પણ કોઈ હકારાત્‍મક નિર્ણય આવ્‍યો નથી. અને હજ્‍જારો લોકોએ રોજગારી ગુમાવવા સાથે મુસીબત વેઠવાની નોબત આવી છે. જોકે સીએમ કાર્યાલયમાંથી પણ કોર કમિટીને તેડુ આવ્‍યું હોવાની માહિતી સાંપડી છે. ત્‍યારે સરકાર જડ વલણ છોડી હકારાત્‍મક અભિગમ દાખવી નિરાકરણ લાવવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું.

Related posts

ચીખલીના વંકાલમાં ક્રિસમસની ઉજવણીની આડમાં ધર્માંતરણ થઈ રહ્યાની ઉઠેલી બૂમ

vartmanpravah

દમણના નસરવાનજી પેટ્રોપ પંપ પર આયુષ્‍માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના શિબિર યોજાઈ

vartmanpravah

દાનહની કંપનીઓ દ્વારા મેઘવાળની ખાનગી જગ્‍યામાં કેમિકલવાળો દુર્ગંધયુક્‍ત કચરો ઠાલવી દેતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલના ડીસ્‍ટ્રીક્‍ટ 3232એફ2 ની રીજીયન 5 અને 6 વલસાડ જિલ્લામાં આવતી લાયન્‍સ ક્‍લબ દ્વારા ધરમપુર ખાતે નિઃશુલ્‍ક વિકલાંગ શિબિર યોજાશે

vartmanpravah

સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે જીપીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા 103 સ્‍કાઉટ ગાઈડ વૈષ્‍ણોદેવી કેમ્‍પની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ

vartmanpravah

Leave a Comment