Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગાંધીનગરમાં ખાણ ખનીજ વિભાગ સાથે ક્‍વોરી એસોસિએશનની કોર કમિટિની યોજાયેલ બેઠકમાં કોઈ નિરાકરણ ન આવતા ચીખલી સહિત રાજ્‍યના ક્‍વોરી ઉદ્યોગોની હડતાળ યથાવત્‌

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: ક્‍વોરી ઉદ્યોગના પાયાના પ્રશ્નોનું સરકાર દ્વારા અવાર નવાર લેખિત બાહેંધરી અપાયા બાદ પણ નિરાકરણ ન લાવવામાં આવતા ગુજરાત રાજ્‍ય બ્‍લેક ટ્રેપ ક્‍વોરી ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશનના હડતાળને પગલે ચીખલી તાલુકા સહિત સમગ્ર રાજ્‍યમાં બીજી ઓક્‍ટોબરના રોજથી ક્‍વોરી ઉદ્યોગ બંધ પાડી ઉત્‍પાદન અને વેચાણ બંધ કરી દેતા સરકારના અનેક વિકાસના કામો અને ખાનગી બાંધકામો પર બ્રેક લાગી જવા પામી છે. અને ક્‍વોરી ઉદ્યોગ સાથે સંલગ્ન ટ્રાન્‍સપોર્ટ અનેબાંધકામ સહિતના ઉદ્યોગો થકી રોજગારી મેળવતા હજ્‍જારો લોકોની રોજગારી સામી દિવાળીએ બંધ થતાં તહેવાર બગડવાની સ્‍થિતિ ઉભી થવા પામી છે.
આ દરમ્‍યાન ગાંધીનગરમાં ખાણ ખનીજ કમિશનર ધવલભાઈ પટેલ અને ક્‍વોરી એસોસિએશનની કોર કમિટીની યોજાયેલી બેઠકમાં ખાણ ખનીજ વિભાગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે બાહેંધરી અપાઈ હોવાનું જાણવા મળ્‍યું હતું. પરંતુ મહત્‍વનો એવો પર્યાવરણીય મંજુરી (ઇસી) નો પ્રશ્ન અન્‍ય વિભાગનો એટલે કે જીપીસીબીનો હોય તમામ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હડતાળ યથાવત રહેવા પામી છે.
ક્‍વોરી ઉદ્યોગના પ્રશ્નોની બાબતમાં સરકારના સંબંધિત વિભાગોમાં જરૂરી સંકલન, તાલમેલનો અભાવ જોવા મળી રહ્યો છે. અને જેને પગલે નિર્ણાયક સરકારના દાવા કરતી સરકારના શાસનમાં ક્‍વોરી ઉદ્યોગની હડતાળના 13-દિવસ બાદ પણ કોઈ હકારાત્‍મક નિર્ણય આવ્‍યો નથી. અને હજ્‍જારો લોકોએ રોજગારી ગુમાવવા સાથે મુસીબત વેઠવાની નોબત આવી છે. જોકે સીએમ કાર્યાલયમાંથી પણ કોર કમિટીને તેડુ આવ્‍યું હોવાની માહિતી સાંપડી છે. ત્‍યારે સરકાર જડ વલણ છોડી હકારાત્‍મક અભિગમ દાખવી નિરાકરણ લાવવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું.

Related posts

વિશ્વ પ્રવાસી સામાજિક અને સાંસ્‍કૃતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીયસંસ્‍થા) દ્વારા વાપી ખાતે 16 સપ્‍ટેમ્‍બરે ભવ્‍ય શોભાયાત્રા યોજાશે

vartmanpravah

બાતમીના આધારે દાનહ એક્‍સાઇઝ વિભાગ અને પોલીસની ટીમે સંયુક્‍ત રીતે પાડેલી રેડમાં ખાનવેલની એક કરિયાણાની દુકાનમાંથી અખાદ્ય ગોળ અને ગુટખાનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

સેલવાસ આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવા પ્રશાસનનો ઈરાદો

vartmanpravah

ચીખલી તાલુકામાં સરપંચ અને સભ્‍યોના ઉમેદવારી પત્રકો પરત ખેંચવાના દિવસે એક માત્ર હોન્‍ડ ગ્રામ પંચાયત સમરસ બની

vartmanpravah

દાનહ પોલીસ અધિક્ષક હરેશ્વર સ્‍વામીએ ભારત સ્‍કાઉટ ગાઈડનું કરેલું વિશેષ સન્‍માન

vartmanpravah

દાનહમાં શિવસેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી ઉજવવામાં આવી

vartmanpravah

Leave a Comment