October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

બે દિવસીય મુલાકાતના સમાપન સાથે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ઔર વધુ શ્રેષ્‍ઠ દાનહના નિર્માણનો સંકલ્‍પ

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે બે દિવસીય દાનહ મુલાકાત દરમિયાન વિવિધ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોના નિરીક્ષણ સાથે વિવિધ વિસ્‍તારની પણ કરેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પોતાની બે દિવસીય દાદરા નગર હવેલીની મુલાકાતનું સમાપન કરતા પહેલાં વિવિધ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોનું નિરીક્ષણ કર્યું હતું અને વધુ શ્રેષ્‍ઠ દાદરા નગર હવેલીના નિર્માણ માટે પોતાનો સંકલ્‍પ પણ દોહરાવ્‍યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે યાત્રી નિવાસ ફલાય ઓવરબ્રિજ, શહિદ ચોકથી યાત્રી નિવાસ સુધીના સેમ્‍પલ રોડનું અવલોકન, સાયલી ખાતે નિર્માણાધિન મેડિકલ કોલેજ, શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલની નવી બિલ્‍ડીંગ તથા ઝંડાચોક સ્‍કૂલનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની ક્ષમતા પ્રમાણેનું કામ નહીં કરાતા જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓ અને એન્‍જિનિયરોને વિવિધ મુદ્દા ઉપર સખત ઠપકો આપ્‍યો હોવાનું વિશ્વસનીય સાધનોએ જણાવ્‍યું હતું. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માપદંડ ઉપર લગભગ જાહેર બાંધકામ વિભાગની અત્‍યાર સુધીનીકામગીરી માંડ સરેરાશ સુધીની રહી હોવાનું પણ માનવામાં આવે છે. પ્રશાસકશ્રી સ્‍વયં એન્‍જિનિયર હોવાથી પ્રોજેક્‍ટના ડ્રોઈંગથી માંડી તેના એલીવેશન અને બીજી અનેક બાબતોનું ધ્‍યાન સ્‍વયં રાખતા હોય છે. જેના કારણે કોન્‍ટ્રાક્‍ટરો અને એન્‍જિનિયરોને પણ સૂચિત ક્‍વોલીટી સાથે બાંધછોડ કરવાની તક જ મળી શકતી નથી. પરંતુ પ્રોજેક્‍ટના સમયને લંબાવવા તથા બીજી નાની-મોટી આંટીઘૂંટી સર્જવાની થતી કોશિષ સામે પણ પ્રશાસકશ્રીની બાજ નજર ફરી વળતી હોવાથી અત્‍યાર સુધી જાહેર બાંધકામ વિભાગના એન્‍જિનિયરો અને અધિકારીઓનો હેતુ સિદ્ધ થઈ શક્‍યો નથી.
દાદરા નગર હવેલી ખાતે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વિવિધ પ્રોજેક્‍ટોના કરેલા નિરીક્ષણ બાદ સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકિદ કરી હતી.

Related posts

વલસાડના સુખેજ ગામે 170મું સરસ્‍વતી ધામનું લોકાર્પણ કરાયું

vartmanpravah

સેલવાસની દેવકીબા કોલેજ ખાતે MODI@20: Dreams Meet Delivery પુસ્‍તક પર સેમીનાર યોજાયો

vartmanpravah

અવસર લોકશાહીનોઃ વલસાડ જિલ્લામાં મતદાન જાગૃત્તિ ફેલાવવા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ કાર્યક્રમોની ભરમાર

vartmanpravah

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તામંડળ સચિવ એસ.એમ.ભોંસલેના માર્ગદર્શનમાં દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસમાં થઈ રહેલ દેહવ્‍યાપારનો પર્દાફાશઃ ત્રણ મહિલા સહિત એક પુરૂષની ધરપકડ

vartmanpravah

મુક્‍તિના 60 વર્ષ દરમિયાન દમણ-દીવે સામાજિક સાંસ્‍કૃતિક શૈક્ષણિક ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે મેળવેલી અનેરી સિદ્ધિ

vartmanpravah

Leave a Comment