Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ જગન્નાથ સેવા સમિતિ દ્વારા 13મી જગન્નાથ રથયાત્રા 1 જુલાઈના રોજઆયોજીત કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28
જગન્નાથ મંદિર સેવા સમિતિ સાયલી લીમ્‍બારપાડા દ્વારા આયોજીત 13મી પવિત્ર જગન્નાથ રથયાત્રા મહોત્‍સવ 1જુલાઈથી 9જુલાઈ સુધી મનાવવામા આવશે. 29 જૂનના રોજ સાંજે 6:00 વાગ્‍યાથી રાત્રે 10:00 વાગ્‍યા સુધી મહાપ્રભુજીના નવયૌવન દર્શન નેત્રોત્‍સવ પણ જલારામ સાંઈનાથ મંદિર સંકુલ બાવીસા ફળીયા ઉમરકુઇ રોડ ખાતે મનાવવામાં આવશે. તા.1 જુલાઈને શુક્રવારના રોજ સવારે 6:30 વાગ્‍યે સૂર્યપૂજા અને હોમ હવન બાદ 10:00 વાગ્‍યે જલારામ સાંઈનાથ મંદિર બાવીસા ફળિયાથી પવિત્ર રથયાત્રાનો શુભારંભ થશે અને સેલવાસ શહેરની પરિક્રમા યાત્રા સાથે સાંજે 7:00 વાગ્‍યે નરોલી રોડ રીંગરોડ ચાર રસ્‍તાની બાજુમાં ગુલમોહર રંગ મંડપ અસ્‍થાયી ગુંદીચા મંદિર પર જશે. 2જુલાઈથી 8 જુલાઈ સુધી રોજ દૈનિક પૂજા ભોગ આરતી હોમ હવન સંકલ્‍પ પૂજા અને મહાપ્રસાદનું આયોજન કરવામા આવશે અને રાત્રે સાંસ્‍કળતિક કાર્યક્રમ અને ભગવત વચન કથા કરવામા આવશે. 9 જુલાઈના રોજ સવારે 11 વાગ્‍યે ગુલમહોર રંગ મંડપ શ્રી ગુંડિચા મંદિરથી બાહુડા યાત્રાનો શુભારંભ કરી નગર પરિક્રમા કરતા સાંજે 7:30 વાગ્‍યે જલારામ સાંઈનાથ મંદિર સંકુલ બાવીસા ફળીયા પર સંપન્ન થશે જ્‍યા ભગવાન રાત્રી વિશ્રામ કરશે અને મહાપ્રસાદસેવનનું આયોજન કરવામાં આવ્‍યું છે. 10જુલાઈના રોજ સવારે 9વાગ્‍યે સોનવેશ પૂજા શરૂ કરવામાં આવશે મહાપ્રભુજીની મહાઆરતી રાત્રે 7:30 વાગ્‍યે થશે અને ઉત્‍થાપન વિધિ રાત્રે 9:30 વાગ્‍યે થશે. 13મી પવિત્ર જગન્નાથ રથયાત્રાનો લાભ લેવા માટે ટ્રસ્‍ટી પ્રમુખ શ્રી અશોક પટેલ ઉપ પ્રમુખ શ્રી આશિષ ઠક્કર દ્વારા ભાવિકભક્‍તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામા આવ્‍યું છે.

Related posts

વાપી જીઆઈડીસીમાં કારમાં ઘાતક હથિયાર લઈને આવેલા પાંચ શખ્‍સોએ યુવાન ઉપર હુમલો કર્યો

vartmanpravah

વાપી તાલુકા પંચાયતનાં એટીડીઓ ભરતભાઈ પટેલને અપાયું ભવ્‍ય નિવૃત્તિ વિદાયમાન: સંવેદનશીલ અને લોકાભિમુખ વહીવટમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશેઃ જીતેન્‍દ્ર ટંડેલ

vartmanpravah

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલને જન્‍મ દિનની શુભેચ્‍છા આપવા કાર્યકરોની લાગેલી લાંબી હરોળ

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્‍તે ચીખલી તાલુકામાં રૂા.14.74 કરોડ અને વાંસદા તાલુકાના ગામોમાં રૂા.4.49 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા

vartmanpravah

વાપીમાં વિકાસ કામોની ગતિ ટોપ ગેરમાં : બલીઠા રેલવે ફલાય બ્રિજ અને બલીઠા રેલવે અંડરપાસ 30 જૂન પહેલાં કાર્યરત થઈ જશે

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ મુલાકાતના સંદર્ભમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આજે સાયલી ખાતે સભા સ્‍થળનું કરેલું નિરીક્ષણઃ તૈયારી અને સુરક્ષા વ્‍યવસ્‍થાથી પણ રૂબરૂ થયા

vartmanpravah

Leave a Comment