Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ જગન્નાથ સેવા સમિતિ દ્વારા 13મી જગન્નાથ રથયાત્રા 1 જુલાઈના રોજઆયોજીત કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28
જગન્નાથ મંદિર સેવા સમિતિ સાયલી લીમ્‍બારપાડા દ્વારા આયોજીત 13મી પવિત્ર જગન્નાથ રથયાત્રા મહોત્‍સવ 1જુલાઈથી 9જુલાઈ સુધી મનાવવામા આવશે. 29 જૂનના રોજ સાંજે 6:00 વાગ્‍યાથી રાત્રે 10:00 વાગ્‍યા સુધી મહાપ્રભુજીના નવયૌવન દર્શન નેત્રોત્‍સવ પણ જલારામ સાંઈનાથ મંદિર સંકુલ બાવીસા ફળીયા ઉમરકુઇ રોડ ખાતે મનાવવામાં આવશે. તા.1 જુલાઈને શુક્રવારના રોજ સવારે 6:30 વાગ્‍યે સૂર્યપૂજા અને હોમ હવન બાદ 10:00 વાગ્‍યે જલારામ સાંઈનાથ મંદિર બાવીસા ફળિયાથી પવિત્ર રથયાત્રાનો શુભારંભ થશે અને સેલવાસ શહેરની પરિક્રમા યાત્રા સાથે સાંજે 7:00 વાગ્‍યે નરોલી રોડ રીંગરોડ ચાર રસ્‍તાની બાજુમાં ગુલમોહર રંગ મંડપ અસ્‍થાયી ગુંદીચા મંદિર પર જશે. 2જુલાઈથી 8 જુલાઈ સુધી રોજ દૈનિક પૂજા ભોગ આરતી હોમ હવન સંકલ્‍પ પૂજા અને મહાપ્રસાદનું આયોજન કરવામા આવશે અને રાત્રે સાંસ્‍કળતિક કાર્યક્રમ અને ભગવત વચન કથા કરવામા આવશે. 9 જુલાઈના રોજ સવારે 11 વાગ્‍યે ગુલમહોર રંગ મંડપ શ્રી ગુંડિચા મંદિરથી બાહુડા યાત્રાનો શુભારંભ કરી નગર પરિક્રમા કરતા સાંજે 7:30 વાગ્‍યે જલારામ સાંઈનાથ મંદિર સંકુલ બાવીસા ફળીયા પર સંપન્ન થશે જ્‍યા ભગવાન રાત્રી વિશ્રામ કરશે અને મહાપ્રસાદસેવનનું આયોજન કરવામાં આવ્‍યું છે. 10જુલાઈના રોજ સવારે 9વાગ્‍યે સોનવેશ પૂજા શરૂ કરવામાં આવશે મહાપ્રભુજીની મહાઆરતી રાત્રે 7:30 વાગ્‍યે થશે અને ઉત્‍થાપન વિધિ રાત્રે 9:30 વાગ્‍યે થશે. 13મી પવિત્ર જગન્નાથ રથયાત્રાનો લાભ લેવા માટે ટ્રસ્‍ટી પ્રમુખ શ્રી અશોક પટેલ ઉપ પ્રમુખ શ્રી આશિષ ઠક્કર દ્વારા ભાવિકભક્‍તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામા આવ્‍યું છે.

Related posts

28 મે ના શનિવારે આંબાતલાટ ખાતે આદિવાસી સાંસ્‍કળતિક સંમેલન યોજાશે

vartmanpravah

દમણની કલેક્‍ટર કોર્ટે આપેલો શિરમોર ચુકાદો દમણના આગેવાન ઉદ્યોગપતિ અને લેન્‍ડ ડેવલપર અનિલ અગ્રવાલના ધર્મપત્‍ની સુલોચના દેવી ખેડૂત નથીઃ કૃષિની ખરીદેલી તમામ જમીનની સેલ પરમિશન રદ્‌ કરવાનો પણ આદેશ

vartmanpravah

પાંચ દિવસના દિપોત્‍સવનો દ્રષ્ટિકોણઃ લક્ષ્મીસંપત્તિને માતૃસ્‍વરૂપ માની જીવનમાંથી આળસ પ્રમાદ અસ્‍વચ્‍છતા સહિતના અનિષ્ટોને જીવનમાંથી દૂર કરવાનું પર્વ

vartmanpravah

કપરાડા-નાનાપોંઢા નાસિક રોડ ઉપર ખાંડ ભરેલી ટ્રકમાં અચાનક ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

વાપી છીરી રણછોડ નગરમાં ગંદકીનું સામ્રાજ્‍ય રહેતું હોવાથી સ્‍થાનિક રહિશોએ પંચાયતમાં મોરચો કાઢયો

vartmanpravah

ભિલાડ ખાતે તાજેતરમાં યોજાયેલ આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસીઓની જોવા મળેલી પાંખી હાજરી

vartmanpravah

Leave a Comment