April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ જગન્નાથ સેવા સમિતિ દ્વારા 13મી જગન્નાથ રથયાત્રા 1 જુલાઈના રોજઆયોજીત કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28
જગન્નાથ મંદિર સેવા સમિતિ સાયલી લીમ્‍બારપાડા દ્વારા આયોજીત 13મી પવિત્ર જગન્નાથ રથયાત્રા મહોત્‍સવ 1જુલાઈથી 9જુલાઈ સુધી મનાવવામા આવશે. 29 જૂનના રોજ સાંજે 6:00 વાગ્‍યાથી રાત્રે 10:00 વાગ્‍યા સુધી મહાપ્રભુજીના નવયૌવન દર્શન નેત્રોત્‍સવ પણ જલારામ સાંઈનાથ મંદિર સંકુલ બાવીસા ફળીયા ઉમરકુઇ રોડ ખાતે મનાવવામાં આવશે. તા.1 જુલાઈને શુક્રવારના રોજ સવારે 6:30 વાગ્‍યે સૂર્યપૂજા અને હોમ હવન બાદ 10:00 વાગ્‍યે જલારામ સાંઈનાથ મંદિર બાવીસા ફળિયાથી પવિત્ર રથયાત્રાનો શુભારંભ થશે અને સેલવાસ શહેરની પરિક્રમા યાત્રા સાથે સાંજે 7:00 વાગ્‍યે નરોલી રોડ રીંગરોડ ચાર રસ્‍તાની બાજુમાં ગુલમોહર રંગ મંડપ અસ્‍થાયી ગુંદીચા મંદિર પર જશે. 2જુલાઈથી 8 જુલાઈ સુધી રોજ દૈનિક પૂજા ભોગ આરતી હોમ હવન સંકલ્‍પ પૂજા અને મહાપ્રસાદનું આયોજન કરવામા આવશે અને રાત્રે સાંસ્‍કળતિક કાર્યક્રમ અને ભગવત વચન કથા કરવામા આવશે. 9 જુલાઈના રોજ સવારે 11 વાગ્‍યે ગુલમહોર રંગ મંડપ શ્રી ગુંડિચા મંદિરથી બાહુડા યાત્રાનો શુભારંભ કરી નગર પરિક્રમા કરતા સાંજે 7:30 વાગ્‍યે જલારામ સાંઈનાથ મંદિર સંકુલ બાવીસા ફળીયા પર સંપન્ન થશે જ્‍યા ભગવાન રાત્રી વિશ્રામ કરશે અને મહાપ્રસાદસેવનનું આયોજન કરવામાં આવ્‍યું છે. 10જુલાઈના રોજ સવારે 9વાગ્‍યે સોનવેશ પૂજા શરૂ કરવામાં આવશે મહાપ્રભુજીની મહાઆરતી રાત્રે 7:30 વાગ્‍યે થશે અને ઉત્‍થાપન વિધિ રાત્રે 9:30 વાગ્‍યે થશે. 13મી પવિત્ર જગન્નાથ રથયાત્રાનો લાભ લેવા માટે ટ્રસ્‍ટી પ્રમુખ શ્રી અશોક પટેલ ઉપ પ્રમુખ શ્રી આશિષ ઠક્કર દ્વારા ભાવિકભક્‍તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામા આવ્‍યું છે.

Related posts

અખિલ ભારતીય ટ્રાન્‍સપોર્ટ એસો. આજે બગવાડા ટોલપ્‍લાઝા ઉપર ચક્કાજામ કરશે

vartmanpravah

ચીખલીના સારવણી ગ્રામ પંચાયતના સરપંચ સામે ડેપ્‍યુટી સરપંચ સહિત તમામ વોર્ડ સભ્‍યો દ્વારા અવિશ્વાસની દરખાસ્‍ત રજૂ કરાઈ

vartmanpravah

દમણ-દીવના વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ માહ્યાવંશીને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ ખાતે ભગવદ્‌ ગીતા જયંતિની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત દ્વારા ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સ્‍વચ્‍છતા રથને રવાના કરાયો

vartmanpravah

ગાંધીનગર ખાતે એફ.આઈ.એ.ના સભ્‍યો અને હોદ્દેદારોનો યોજાયેલ સ્‍નેહમિલન કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment