August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપીની ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળાનો સ્‍થાપના દિન ઉજવાયો

વર્ષ 1972માં 2 શિક્ષક અને 25 વિદ્યાર્થી સાથે શરૂ થયેલી શાળામાં હાલ 27 શિક્ષક અને 1085 વિદ્યાર્થીઓ છે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)વલસાડ, તા.29
વાપીની ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળાના સ્‍થાપના દિનની ઉજવણી તા. 23 જૂને વાપી તાલુકા નિવૃત કર્મચારી સેવા મંડળના પ્રમુખ શ્રીહેમંતભાઈ દેસાઈના અધ્‍યક્ષ સ્‍થાને કરવામાં આવી હતી.
શાળાના આચાર્યા મીનાબેન આહિરે શાળાની ભૌતિક અને શૈક્ષણિક માહિતીની સાથે શાળાનો વિકાસ, લોક સહયોગ અને શાળાએ મેળવેલી સિધ્‍ધીની માહિતી આપી હતી. કાર્યક્રમના અધ્‍યક્ષ હેમંતભાઈ કે જેમણે આ શાળામાં 31 વર્ષ સુધી સેવા આપી હતી અને હાલમાં શાળાની વ્‍યવસ્‍થાપન સમિતિના સભ્‍ય તરીકે પણ છે. તેમણે ઉજવણી પ્રસંગે શાળાનો ઈતિહાસ રજૂ કરતા જણાવ્‍યું કે, વર્ષ 1972માં 22મી જૂને સી ટાઈપ જીઆઈડીસી વાપીમાં 2 શિક્ષક અને 25 વિદ્યાર્થી સાથે શાળાની શરૂઆત કરવામાં આવી હતી. હાલમાં 27 શિક્ષકો અને 1085 વિદ્યાર્થીઓ છે. શાળાના પ્રથમ આચાર્ય રતુભાઈ દેસાઈ હતા. 1984માં શાળાનું મકાન બંધાયું હતું. હાલ શાળામાં તમામ સુવિધા ઉપલબ્‍ધ છે. શાળામાં હોલ, કોમ્‍પ્‍યુટર લેબ અને 12 ઓરડાનું નિર્માણ બાયર દ્વારા કરવામાં આવ્‍યું છે.
કાર્યક્રમમાં શાળામાં સિધ્‍ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્‍માન પણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે એસએમસીના સભ્‍યો, વાલી મિત્રો, સીઆરસી અને બીઆરસી કો-ઓર્ડિનેટરો હાજર રહ્યા હતા.

Related posts

દમણની જવાહર નવોદય વિદ્યાલયમાં યુવા સંસદ યોજાઈઃ દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે વિદ્યાર્થીઓને આપેલો જોશ

vartmanpravah

દાનહ લોકસભાની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અજીત માહલાએ પ્રચંડ રેલી યોજી ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

સ્‍વ.દેવકીબા મોહનસિંહજી ચૌહાણની પુણ્‍યતિથિ નિમિત્તે સેલવાસમાં યોજાયો રક્‍તદાન કેમ્‍પ

vartmanpravah

દાદાસાહેબ જાંબુળકર 21 વર્ષની વયે નગર હવેલી સંગ્રામમાં કૂદી પડયા હતા

vartmanpravah

શનિવારે ને.હા.નં.48 ઉપર કાજલી-તલાસરી ખાતે માહ્યાવંશી સમાજના અતિથિ ગૃહનું થનારૂં ભૂમિપૂજન

vartmanpravah

સેલવાસમાં ડિજિટલ હાઉસ અરેસ્‍ટ ફ્રોડનો પ્રથમ કેસ વીડિયો કોલ પર ત્રણ દિવસમાં 15 લાખથી વધુની છેતરપિંડીમાં બે આરોપી ઝડપાયા

vartmanpravah

Leave a Comment