July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના ખેડૂતોને એસઆરઆર યોજના હેઠળ સહાયથી બિયારણ ઉપલબ્‍ધ થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.29: રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં સીડ રીપ્લેસમેન્ટ રેટ(SRR)માં વધારો કરવા અંગેની ૧૦૦% રાજ્ય પુરસ્કૃત યોજના અમલમાં મુકેલી છે, જે અંતર્ગત ખેડૂતોને ખેતી પાકોનું ગુણવત્તાયુક્ત બિયારણ મળી રહે અને વધુ ઉત્પાદન આપતી નવી જાતો અપનાવી તેનો વ્યાપ વધે અને ઉત્પાદનમાં વધારો થાય તેમજ સીડ રીપ્લેસમેન્ટ રેટ વધે તે માટે જુદા જુદા ખેતી પાકોના પ્રમાણિત બિયારણ વિતરણ ઘટક અંતર્ગત વધુ ઉત્પાદન આપતી ૧૫ વર્ષથી ઓછી ઉમરની જાતોમાં ફક્ત સર્ટીફાઇડ(પ્રમાણિત) જાતોના બિયારણ વિતરણ માટે સહાયથી ઉપલબ્ધ કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત વલસાડ જિલ્લાના ખેડૂતો પણ ડાંગર બિયારણ એટસોર્સ સહાય દરે (ખેડૂતોને સબસીડીની રકમ બાદ કર્યા બાદ જ કિંમત ભરવાની રહેશે)થી વધુમાં વધુ ૨ હેકટર ની મર્યાદામાં મેળવી શકશે.
સહાયના ધોરણો અનુસાર ડાંગર (જાત: GAR-13, GNR-3, GR-17 વગેરે) બિયારણની કિંમતના ૫૦% પ્રતિ કિગ્રા, વધુમાં વધુ રૂ.૨૦/- પ્રતિ કિલોગ્રામ બિયારણ મળવાપાત્ર રહેશે, બિયારણનો દર હેકટરે ૨૫ કિલોગ્રામ રહેશે. જિલ્લાના ખેડૂતો પોતાની નજીકના ગુજરાત રાજ્ય બીજ નિગમ લિ.ના અધિકૃત ડીલર, ગુજકોમાસોલના અધિકૃત ડીલર અને નેશનલ સીડ કોર્પોરેશનના અધિકૃત ડીલર પાસેથી સહાય દરે બિયારણ મેળવી શકશે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી(ખેતી) / મદદનીશ ખેતી નિયામક(તા.મુ.) અને જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે કરેલું આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત

vartmanpravah

કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેની દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન સાથેની બેઠકમાં સંઘપ્રદેશમાં એમએસએમઈ અને અન્‍ય ઉદ્યોગોના વિકાસ માટે નિર્ધારિત સમયમાં યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવાનો આપેલો ભરોસો

vartmanpravah

દાદરા ગ્રા.પં.ની સામે નિર્માણ પામી રહેલ ચાર માળની બિલ્‍ડીંગનો સ્‍થાનિકોએ કરેલો વિરોધ

vartmanpravah

વાપી તા.પં. ખાતે વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ પટેલનું હૃદયરોગના હુમલાથી થયેલ નિધન

vartmanpravah

અંતે ઓરિએન્‍ટલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીએ નમતું જોખી વલસાડમાં હંગામી ફટાકડાના વેપારીઓના વીમા લેવાનું શરૂ કર્યું

vartmanpravah

રાષ્ટ્રપતિ શ્રેષ્‍ઠ શિક્ષક એવોર્ડ-2019 વિજેતા વિરેન્‍દ્રભાઈ પટેલનું વાપી પી.ટી.સી. કોલેજમાં ‘શિક્ષક દિન’ નિમિત્તે કરાયેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment