Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ધરૂનું વિતરણ કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05
દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ડાંગરના ધરૂનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં લગભગ 60થી વધુ ખેડૂતોએ લાભ લીધો હતો. આ ધરૂ વિતરણમાં દાનહના સામરવરણી, આમળી, અથોલા, નરોલી,કીલવણી ગામના ખેડૂતો ધરૂ લેવા માટે આવ્‍યા હતા. ખેતીવાડી વિભાગના અધિકારી શ્રી સુરેશભાઈ ભોયાએ મીડિયા પ્રતિનિધિઓને જણાવ્‍યું હતું કે ગામડાઓમા ખેડૂતો જે ધરૂ માટે બિયારણ નાંખે છે તે વરસાદ નહીં પડતા ધરૂં ઉગી શક્‍યું નહીં હોય અને બિયારણ પક્ષીઓ ખાય જાય છે જેથી એમને ડાંગરની રોપણી કરવા માટે ધરૂની ઘટ પડી જાય છે. જેના માટે ઘણાં વર્ષથી અમે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ધરૂનું વિતરણ કરીએ છીએ જેનાથી ખેડૂતો ડાંગરની રોપણી કરી શકે. આ ધરૂનું વિતરણ લગભગ બે દિવસથી ચાલી રહ્યું છે જેમાં 150 થી વધુ ખેડૂતો લાભ લઈ રહ્યા છે અને પોતપોતાના ખેતરમાં ધરૂની રોપણી કરી રહ્યા છે.

Related posts

ઉદવાડા ગામના મજનુને શબક શીખવાડતી પારડી પોલીસ

vartmanpravah

લોકસભા ચૂંટણીની આદર્શ આચારસંહિતા અંતર્ગત દમણમાં સર્વેલન્‍સ ટીમ દ્વારા એક સપ્તાહમાં રૂા.2.18 લાખની રોકડ અને રૂા.39,420નો દારૂ જપ્ત કરાયો

vartmanpravah

પારડી અરનાલા પાટી કોલકનો કોઝવે ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ

vartmanpravah

મોદી સરકારે દાનહ અને દમણ-દીવના રસ્‍તાના વિસ્‍તૃતીકરણ માટે રૂા. 250 કરોડની ફાળવણી કરતા સંઘપ્રદેશ ભાજપે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, સડક,પરિવહન મંત્રી નિતિન ગડકરી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

દીવ જિલ્લામાં આજે સાત દિવસીય ગણપતિ બાપ્‍પાનું વિસર્જન કરવામાં આવ્‍યું

vartmanpravah

વાપી નોટિફાઈડના કર્મચારીનું દમણમાં હાર્ટએટેકથી મોત

vartmanpravah

Leave a Comment