July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી-ખેરગામ તાલુકામાં વરસાદમાં નુકસાન થયેલા 14 જેટલા માર્ગોની માર્ગ મકાન વિભાગ દ્વારા મરામત હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી અને ખેરગામ તાલુકામાં છેલ્લા દિવસોમાં સતત અવરીત પણે વરસેલા મુશળધાર વરસાદ દરમ્‍યાન માર્ગ મકાન પંચાયતના જ નાના-મોટા 25 થી વધુ માર્ગો પર તથા આ માર્ગો પરના કોઝ-વે, પુલો પર પાણી ફરી વળતા ડૂબી જતાં બે ત્રણ દિવસ વાહન વ્‍યવહાર બંધ થઈ જવા પામ્‍યો હતો. બાદમાં પાણી ઓસરતા આ માર્ગો ઉપરાંત પુલ, કોઝ-વે ના એપ્રોચ પર અનેક જગ્‍યાએ ધોવાણ થતા લોકોને પારાવાર મુશ્‍કેલી પડી રહી હતી.
આ દરમ્‍યાન વરસાદે વિરામ લેતાની સાથે જ માર્ગ મકાન પંચાયત વિભાગ દ્વારા નુકસાનીનો સર્વે કરી યુધ્‍ધના ધોરણે મરામત હાથ ધરવામાં આવી હતી અને મોગરાવાડી તાડ ફળીયા જોઈનિંગ રોડ, માંડવખડક ચીતપાતળ રોડ, કાકડવેરી પાટી રોડ, પાણીખડક મુખ્‍યમાર્ગથી દેસાઈ ફળીયા પીપલખેડને જોડતો રોડ સહિત નાના-મોટા 14-જેટલા માર્ગો આ માર્ગો પર પુલ કોઝ-વે ના એપ્રોચ રોડની મરામત કરી રાબેતા મુજબના વાહન વ્‍યવહાર માટે પુનઃ શરૂ કરી દેવાતા સ્‍થાનિકોને મોટી રાહત થવા પામી હતી. જોકે રજાના દિવસોમાં પણ વરસાદ દરમ્‍યાન ચીખલી-ખેરગામમાં માર્ગ મકાન પંચાયતના અધિકારીઓ દ્વારા માર્ગો, કોઝ-વે, પુલો પર પાણી ભરાવાની સ્‍થિતિ પર સતત દેખરેખ રાખવામાંઆવી રહી હતી અને વરસાદ બંધ પડતાની સાથે જ તાત્‍કાલિક માર્ગોની મરામત કરી ગ્રામ્‍ય વિસ્‍તારમાં લોકોને શકય એટલી ઓછી મુશ્‍કેલી પડે તેની તકેદારી રાખવામાં આવી હતી.

Related posts

સ્‍વ. મીનાબેન કૈલાશનાથ પાંડેની પુણ્‍યતિથિ નિમિત્તે: વલસાડ નગરપાલિકા સંચાલિત મ્‍યુનિસિપલ હોસ્‍પિટલને 8 લાખ રૂપિયાની બજાર કિંમતની જીવનરક્ષક દવાઓનું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

ચીખલી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડ-પાનકાર્ડ લિંક અને સુધારો-વધારો કરવા માટે અરજદારોની લાગેલી કતારો

vartmanpravah

ચીખલીના થાલા ગામેથી પસાર થતા રાષ્‍ટ્રીય ધોરી માર્ગના સર્વિસ રોડ પર ખાડાનું સામ્રાજ્‍યઃ વિકાસ થંભી ગયો

vartmanpravah

નવી નકોર કારમાં દારૂ ભરી લઈ જતાં સેલવાસના ખેપિયાની પારડી વિશ્રામ હોટલ પાસેથી ધરપકડ

vartmanpravah

વલસાડ ગ્રીનપાર્ક સોસાયટીમાં છૂટક ગાંજો વેચવાનું રેકેટ ઝડપાયું: 3.6 કિ.ગ્રા. ગાંજો તથા રૂા.1.67 લાખ રોકડા ઝડપાયા

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ દાનહની મુલાકાતે મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થતાં દાનહ ખાતે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલો સંવાદ

vartmanpravah

Leave a Comment