(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)દમણ, તા.13
દાનહ અને દમણ-દીવના કૃષિ વિભાગની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, પ્રદેશના દાનહ અને દમણ-દીવ જિલ્લાના પ્રધાનમંત્રી કૃષિ સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓએ પોતાના બેંક ખાતાને બેંકમાં બેંક આધાર સાથે લીંક કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ, 2022 અને eKYC કરવાની છેલ્લી તારીખ 31-07-2022 સુધીમાં સી.એસ.સી. કેન્દ્ર, પીએમ કિસાન પોર્ટલ અને પીએમ કિસાન એપ ઉપરથી તમે જાતે પણ કરી અને કરાવી શકો છો. જો તમે બેંક ખાતાને આધાર સાથે લીંક અને eKYC નહીં કરેલ હશે તો તમારો હપ્તો તમારી બેંકમાં આવશે નહીં, માટે બેંક ખાતાને આધાર સાથે લીંક અને eKYC કરાવવા માટે ભારત સરકાર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે.
આથી દાનહ અને દમણ-દીવ જિલ્લાના પ્રધાનમંત્રી કૃષિ સમ્માન નિધિ લાભાર્થીઓએ પોતાના બેંક ખાતાને તા.15 જુલાઈ, 2022 સુધીમાં આધાર સાથે લીંક કરાવી લેવું અનેતા.31-07-2022 સુધીમાં eKYC કરાવી લેવા કૃષિ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Previous post