Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ધરૂનું વિતરણ કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05
દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ડાંગરના ધરૂનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં લગભગ 60થી વધુ ખેડૂતોએ લાભ લીધો હતો. આ ધરૂ વિતરણમાં દાનહના સામરવરણી, આમળી, અથોલા, નરોલી,કીલવણી ગામના ખેડૂતો ધરૂ લેવા માટે આવ્‍યા હતા. ખેતીવાડી વિભાગના અધિકારી શ્રી સુરેશભાઈ ભોયાએ મીડિયા પ્રતિનિધિઓને જણાવ્‍યું હતું કે ગામડાઓમા ખેડૂતો જે ધરૂ માટે બિયારણ નાંખે છે તે વરસાદ નહીં પડતા ધરૂં ઉગી શક્‍યું નહીં હોય અને બિયારણ પક્ષીઓ ખાય જાય છે જેથી એમને ડાંગરની રોપણી કરવા માટે ધરૂની ઘટ પડી જાય છે. જેના માટે ઘણાં વર્ષથી અમે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ધરૂનું વિતરણ કરીએ છીએ જેનાથી ખેડૂતો ડાંગરની રોપણી કરી શકે. આ ધરૂનું વિતરણ લગભગ બે દિવસથી ચાલી રહ્યું છે જેમાં 150 થી વધુ ખેડૂતો લાભ લઈ રહ્યા છે અને પોતપોતાના ખેતરમાં ધરૂની રોપણી કરી રહ્યા છે.

Related posts

નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમનું કેન્‍દ્રીય જળશક્‍તિ મંત્રી અને ગુજરાત પ્રેદશ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સી.આર પાટીલના હસ્‍તે ખાતમુહૂર્ત

vartmanpravah

સેલવાસના એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલ શખ્‍સનો કાર્ડ બદલી ઠગે પૈસા ઉપાડી લીધા

vartmanpravah

દાનહના દૂધની ગામના દરેક ફળિયાના મુખ્‍ય પંચે લીધેલો નિર્ણયઃ લગ્ન પ્રસંગોમાં દારૂ-બિયર, તાડી ચિકન-મટન પિરસનાર સામે રૂા.50 હજારનો દંડ કરાશે

vartmanpravah

વાપીના છીરી રામનગરમાં ખખડધજ રોડથી લોકોને છૂટકારો મળશે : આર.સી.સી. રોડ બનાવાની કામગીરી શરૂ

vartmanpravah

મુંબઈની હેર આર્ટિસ્‍ટ નૈના મહંતની હત્‍યામાં આવ્‍યો નવો વળાંક: પૂર્વ પ્રેમી મનોહરે પત્‍ની સાથે મળી 2019 માં કરી હતી નૈનાને મારી નાખવાની કોશિશ

vartmanpravah

આજે રાજ્‍ય નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપીમાં વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

Leave a Comment