April 20, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ ધાપસા બોરીગામ રોડ ઉપર વાવેલા 50 થી 60 ઝાડોને કોઈ સ્‍થાપિત હિતોએ પહોંચાડેલું નુકસાનઃ થયેલી પોલીસ ફરિયાદ

ગુલમહોર, લીમડો, સેવન, કોનોકાર્પસ જેવા 50 થી 60 જેટલા ઝાડો વાવી માલિક મુકેશસિંહ આર. સોલંકીએ તેનું જતન કરી મોટું લીલુંછમ જંગલ પેદા કર્યું હતું પરંતુ કોઈ વિકૃત માનસવાળાની લાગેલી નજર..!

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06
સમગ્ર દેશ સહિત દાદરા નગર હવેલીમાં પણ પ્રશાસન અને સ્‍વયંસેવી સંગઠનો દ્વારા પર્યાવરણની જાળવણી માટે ઠેર ઠેર વૃક્ષારોપણ કરવામાં આવે છે ત્‍યારે દાનહના ધાપસા બોરીગામ રોડ ઉપર જમીન માલિક દ્વારા વાવેલા 50 થી 60 જેટલા ઝાડોનું નિકંદન કોઈ સ્‍થાપિત હિતો દ્વારા કરાતા નરોલી આઉટ પોસ્‍ટમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ધાપસા બોરીગામ રોડ ઉપર સર્વે નં.41 અને 40માં ગુલમહોર, લીમડો, સેવન, કોનોકાર્પસ જેવા 50 થી 60 જેટલા ઝાડો માલિક શ્રી મુકેશસિંહ આર. સોલંકીએ વાવી તેનું જતન કરી મોટું લીલુંછમ જંગલ પેદા કર્યું હતું. એકાદ-બે દિવસ પહેલાં કોઈ સ્‍થાપિત હિતે આ તમામ ઝાડોને મૂળમાંથી ઉખેડી અને વચ્‍ચેથી તોડી નાંખી પોતાની વિકૃત્તિનો પરિચય આપ્‍યો હતો. તેની સામે જમીનના માલિક એવા ફરિયાદી શ્રી મુકેશસિંહ સોલંકીએનરોલી પોલીસ આઉટ પોસ્‍ટમાં ફરિયાદ આપી કસૂરવારો સામે પગલાં ભરવા વિનંતી કરી છે.
મળતી માહિતી પ્રમાણે ફરિયાદીએ શકમંદોના નામ ઉપર પણ ઈશારો કર્યો છે ત્‍યારે જે તે દિવસ અને સમય પ્રમાણે લોકેશન ટ્રેસ કરી પોલીસ તંત્રએ આરોપી સામે પગલાં ભરવા જોઈએ જેના કારણે ભવિષ્‍યમાં પર્યાવરણનું નિકંદન કાઢનારાઓને બોધપાઠ મળે.

Related posts

વાપી સલવાવ ફાર્મસી કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વિદેશ માટેની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

રૂદાનાની સનલેન્‍ડ કંપનીના મહિલા કર્મચારીઓના પ્રશ્નો સંદર્ભે કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકીયાએ આરડીસીને આપેલું આવેદન પત્ર

vartmanpravah

સેલવાસની મહિલા ગુમ

vartmanpravah

પરવાસા ગામના બંધ ઘરમાં આગ લાગતા ઘર સહિત સંપૂર્ણ ઘરવખરી બળીને ખાખ: આશરે 10 લાખથી વધુનું નુકસાન

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે સમગ્ર સંઘપ્રદેશ યોગમય બન્‍યોઃ દેવકા નમો પથ સામુહિક યોગ મુદ્રાથી શોભી ઉઠયો

vartmanpravah

લાઈટિંગ

vartmanpravah

Leave a Comment