February 4, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ ધાપસા બોરીગામ રોડ ઉપર વાવેલા 50 થી 60 ઝાડોને કોઈ સ્‍થાપિત હિતોએ પહોંચાડેલું નુકસાનઃ થયેલી પોલીસ ફરિયાદ

ગુલમહોર, લીમડો, સેવન, કોનોકાર્પસ જેવા 50 થી 60 જેટલા ઝાડો વાવી માલિક મુકેશસિંહ આર. સોલંકીએ તેનું જતન કરી મોટું લીલુંછમ જંગલ પેદા કર્યું હતું પરંતુ કોઈ વિકૃત માનસવાળાની લાગેલી નજર..!

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06
સમગ્ર દેશ સહિત દાદરા નગર હવેલીમાં પણ પ્રશાસન અને સ્‍વયંસેવી સંગઠનો દ્વારા પર્યાવરણની જાળવણી માટે ઠેર ઠેર વૃક્ષારોપણ કરવામાં આવે છે ત્‍યારે દાનહના ધાપસા બોરીગામ રોડ ઉપર જમીન માલિક દ્વારા વાવેલા 50 થી 60 જેટલા ઝાડોનું નિકંદન કોઈ સ્‍થાપિત હિતો દ્વારા કરાતા નરોલી આઉટ પોસ્‍ટમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ધાપસા બોરીગામ રોડ ઉપર સર્વે નં.41 અને 40માં ગુલમહોર, લીમડો, સેવન, કોનોકાર્પસ જેવા 50 થી 60 જેટલા ઝાડો માલિક શ્રી મુકેશસિંહ આર. સોલંકીએ વાવી તેનું જતન કરી મોટું લીલુંછમ જંગલ પેદા કર્યું હતું. એકાદ-બે દિવસ પહેલાં કોઈ સ્‍થાપિત હિતે આ તમામ ઝાડોને મૂળમાંથી ઉખેડી અને વચ્‍ચેથી તોડી નાંખી પોતાની વિકૃત્તિનો પરિચય આપ્‍યો હતો. તેની સામે જમીનના માલિક એવા ફરિયાદી શ્રી મુકેશસિંહ સોલંકીએનરોલી પોલીસ આઉટ પોસ્‍ટમાં ફરિયાદ આપી કસૂરવારો સામે પગલાં ભરવા વિનંતી કરી છે.
મળતી માહિતી પ્રમાણે ફરિયાદીએ શકમંદોના નામ ઉપર પણ ઈશારો કર્યો છે ત્‍યારે જે તે દિવસ અને સમય પ્રમાણે લોકેશન ટ્રેસ કરી પોલીસ તંત્રએ આરોપી સામે પગલાં ભરવા જોઈએ જેના કારણે ભવિષ્‍યમાં પર્યાવરણનું નિકંદન કાઢનારાઓને બોધપાઠ મળે.

Related posts

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને સખી વન સ્ટોપ સેન્ટરના પાંચ વર્ષની ઉજવણી કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશમાં ઉચ્‍ચ શિક્ષણના ક્ષેત્રે સ્‍વર્ણિમ પળઃ રાષ્‍ટ્રીય ફેશન ટેક્‍નોલોજી સંસ્‍થા (NIFT) તેમના 18મા કેમ્‍પસની સ્‍થાપના કરશે

vartmanpravah

વાપીમાં છેલ બટાઉ આધેડએ મહિલાની છેડતી કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવ્‍યો

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દમણઃ કચીગામ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં ‘બેટી સુરક્ષા-બેટી શિક્ષા’ વિષય ઉપર યોજાયેલો સ્‍વ જાગૃતિ કાર્યક્રમ

vartmanpravah

સરીગામ પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વાપીમાં રાજ્‍ય સરકારના યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્‍ક યોગ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment