February 4, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી અને દમણ દીવમાં ટી.બી.ની યોજનાઓ ચકાસવા મિશન દિલ્‍હીની ટીમે લીધી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ટી.બી.(ક્ષય)ની યોજનાઓ અને સફળતા જોવા માટે ત્રણસંયુક્‍ત પર્યવેક્ષણીય પર્યવેક્ષણ મિશન દિલ્‍હીની ટીમે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ડો. રઘુરામ રાવ એડીજી સેન્‍ટ્રલ ટીબી ડિવિઝનના નેતૃત્‍વમાં અન્‍ય નવ સભ્‍યો સાથે દાનહ અને દમણની દરેક પીએચસી, સીએચસી અને હેલ્‍થ અને વેલનેસ સેન્‍ટરની મુલાકાત લીધી હતી જે દરમ્‍યાન પ્રદેશના વિવિધ વિસ્‍તારોમાં ફરી ટી.બી.ના દર્દીઓની મુલાકાત લઈ તેઓના અનુભવો એમને મળતી સેવાઓ અંગે ઉપસ્‍થિત પ્રતિનિધિઓને અવગત કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે ડો.રઘુરામે જણાવ્‍યું કે યુ.ટી. હવે ટી.બી. ખતમ કરવાની તૈયારી પર છે. ગત વર્ષે પણ યુ.ટી.ને આ ઉપલબ્‍ધી માટે પુરસ્‍કાર મળી ચુક્‍યો છે અને આગળ પણ યુટી પોતાનુ લક્ષ્ય પ્રાપ્ત કરવા અગ્રેસર રહેશે અને 2025 પહેલાં ટી.બી. મુક્‍ત પ્રદેશ બનાવવાનો પ્રયાસ કરશે. એની સાથે જનજાતીય મામલાના મંત્રાલય મિનિસ્‍ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ દ્વારા પિરામલ સ્‍વાસ્‍થ્‍યના માધ્‍યમથી અશ્વાશન અભિયાન આદિવાસી સમુદાય વચ્‍ચે ક્ષય રોગ શોધવા અને ટી.બી. પ્રત્‍યે જાગૃકતા અભિયાન ચલાવવામાં આવશે અને શંકાસ્‍પદ વ્‍યક્‍તિઓને શોધી ગાડીના માધ્‍યમથી હોસ્‍પિટલ સુધી પહોંચાડવામાં આવશે. આ આશ્વાશન અભિયાનને યુ.ટી.ના સહાયક આરોગ્‍ય મિશન નિર્દેશક, એનએચએમ શ્રી સુરેશ મીણા અને ડો.રઘુરામ રાવ, એડીજી, સીટીડી ભારત સરકારે લીલી ઝંડી બતાવીઅને અભિયાનના રૂપે શરૂ કરવામાં આવી હતી. આ અવસરે ક્ષય રોગ કાર્યક્રમ અધિકારી ડો. મનોજ સિંહ અને એમની ટીમ અને પિરામલ સ્‍વાસ્‍થ્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દમણ કોર્ટ પરિસરમાં વિદ્યાર્થીઓ માટે યોજાઈ કાનૂની સાક્ષરતા શિબિર

vartmanpravah

વાપી ચલા જ્ઞાનદીપ સ્‍કૂલ બંધ કરવાના નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ફૂંકાયેલો જોરદાર વિરોધ

vartmanpravah

રોટરી ક્‍લબ દમણ દ્વારા 7 શિક્ષકોને એનાયત કરાયા રાષ્‍ટ્ર નિર્માતા પુરસ્‍કાર

vartmanpravah

ગુજરાતનું ગૌરવ-આદિવાસી સમાજનું અણમોલ નારી રત્‍ન: ટાંકલ ગામના ડો.રીટાબેન પટેલે આઈજી તરીકે ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળ્‍યો

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે વિવિધ બેઠકોનું કરેલું નેતૃત્‍વ

vartmanpravah

દાદરાની અમૂલ્‍યા એન્‍જિનિયર્સ કંપનીમાં કામ કરતા ઈસમને કંપનીના કામ અર્થે ભરૂચ કેમિકલ કંપનીમાં કા કરી પરત ફરતા થયું સ્‍કીન ઈન્‍ફેકશન

vartmanpravah

Leave a Comment