Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી અને દમણ દીવમાં ટી.બી.ની યોજનાઓ ચકાસવા મિશન દિલ્‍હીની ટીમે લીધી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ટી.બી.(ક્ષય)ની યોજનાઓ અને સફળતા જોવા માટે ત્રણસંયુક્‍ત પર્યવેક્ષણીય પર્યવેક્ષણ મિશન દિલ્‍હીની ટીમે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ડો. રઘુરામ રાવ એડીજી સેન્‍ટ્રલ ટીબી ડિવિઝનના નેતૃત્‍વમાં અન્‍ય નવ સભ્‍યો સાથે દાનહ અને દમણની દરેક પીએચસી, સીએચસી અને હેલ્‍થ અને વેલનેસ સેન્‍ટરની મુલાકાત લીધી હતી જે દરમ્‍યાન પ્રદેશના વિવિધ વિસ્‍તારોમાં ફરી ટી.બી.ના દર્દીઓની મુલાકાત લઈ તેઓના અનુભવો એમને મળતી સેવાઓ અંગે ઉપસ્‍થિત પ્રતિનિધિઓને અવગત કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે ડો.રઘુરામે જણાવ્‍યું કે યુ.ટી. હવે ટી.બી. ખતમ કરવાની તૈયારી પર છે. ગત વર્ષે પણ યુ.ટી.ને આ ઉપલબ્‍ધી માટે પુરસ્‍કાર મળી ચુક્‍યો છે અને આગળ પણ યુટી પોતાનુ લક્ષ્ય પ્રાપ્ત કરવા અગ્રેસર રહેશે અને 2025 પહેલાં ટી.બી. મુક્‍ત પ્રદેશ બનાવવાનો પ્રયાસ કરશે. એની સાથે જનજાતીય મામલાના મંત્રાલય મિનિસ્‍ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ દ્વારા પિરામલ સ્‍વાસ્‍થ્‍યના માધ્‍યમથી અશ્વાશન અભિયાન આદિવાસી સમુદાય વચ્‍ચે ક્ષય રોગ શોધવા અને ટી.બી. પ્રત્‍યે જાગૃકતા અભિયાન ચલાવવામાં આવશે અને શંકાસ્‍પદ વ્‍યક્‍તિઓને શોધી ગાડીના માધ્‍યમથી હોસ્‍પિટલ સુધી પહોંચાડવામાં આવશે. આ આશ્વાશન અભિયાનને યુ.ટી.ના સહાયક આરોગ્‍ય મિશન નિર્દેશક, એનએચએમ શ્રી સુરેશ મીણા અને ડો.રઘુરામ રાવ, એડીજી, સીટીડી ભારત સરકારે લીલી ઝંડી બતાવીઅને અભિયાનના રૂપે શરૂ કરવામાં આવી હતી. આ અવસરે ક્ષય રોગ કાર્યક્રમ અધિકારી ડો. મનોજ સિંહ અને એમની ટીમ અને પિરામલ સ્‍વાસ્‍થ્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસના ખાડીપાડામાં એક પરિવારમાં આંતરિક ઝઘડામાં માતા-પુત્રીની કરાયેલી નિર્મમ હત્‍યા

vartmanpravah

ચીખલીના ચિતાલી ગામે ફોર્ચ્‍યુનર કારે ઈકો કારને અડફેટે લીધી: ફોર્ચ્‍યુનર કારમાંથી પોલીસે દારુનો જથ્‍થો કબ્‍જે કરી કાર ચાલક સામે ગુનો નોંધ્‍યો

vartmanpravah

આજે વિશ્વ હૃદય દિવસઃ યુવા વર્ગમાં હાર્ટ એટેકનું વધતું જતું જોખમ ચિંતાજનકઃ જનજાગૃતિથી બચાવી શકાય છે જીવ

vartmanpravah

ચીખલીમાં ભાજપની લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત યોજાયેલ બેઠકમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

vartmanpravah

દીવમાં માછીમારોને દરિયો ખેડવાની પરવાનગી મળતા મચ્છીમારીની નવી મોસમનો આજથી વિધિવત આરંભ

vartmanpravah

Leave a Comment