September 7, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ દમણના દરિયા કિનારે, જેટી, પાર્કિંગ પ્‍લેસ, જાહેર સ્‍થળ કે જાહેર રસ્‍તા ઉપર દારૂ-બિયર પીવા સામે પ્રતિબંધ

હવે શનિ અને રવિવાર કે રજાના દિવસે દરિયા કિનારે મહેફિલ જમાવનારાઓએ પણ સતર્ક રહેવું પડશેઃ દરિયા કિનારે દારૂ-બિયર વેચનારાઓએ પણ સાવધાન રહેવું પડશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.07
દમણના દરિયા કિનારે, જાહેર સ્‍થળોએ, જાહેર રસ્‍તા, પાર્કિંગ પ્‍લેસ, જેટી, વગેરે જગ્‍યા ઉપર દારૂ-બિયર પીવા ઉપર પાબંદી લગાવવામાં આવી છે અને આ આદેશનો ભંગ કરનારા સામે આઈ.પી.સી.ની 188 કલમ અંતર્ગત કામકાજ કરવાનું પણ ફરમાન જિલ્લા કલેક્‍ટર અને ડિસ્‍ટ્રીક્‍ટ મેજીસ્‍ટ્રેટ શ્રીમતી તપસ્‍યા રાઘવે જારી કરી છે.
જિલ્લા મેજીસ્‍ટ્રેટે ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની કલમ 144 અંતર્ગત જારી કરેલ આદેશમાં જણાવાયું છે કે, કેટલાક લોકો દારૂની દુકાનમાંથી દારૂ ખરીદી કાચની બોટલ તોડી જાહેરમાં નાંખવામાં આવે છે અને નશામાં તેઓનું વલણ ઘાતકી, બિહામણું અને ઉપદ્રવી બની જતું હોય છે. જેના કારણે પોતાના પરિવાર સાથે બીચ વિસ્‍તારમાં ફરવા આવેલા પ્રવાસીઓને હેરાગતિનો સામનો કરવો પડતો હોવાની મળેલી વ્‍યાપક ફરિયાદના આધારે દમણના દરિયા કિનારા બીચ સહિત અન્‍ય વિસ્‍તારોમાં દારૂપીવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્‍યો છે.
અત્રે નોંધનીય છે કે, શનિ અને રવિવાર તથા અન્‍ય રજાઓમાં દેવકા, જમ્‍પોર, કડૈયા જેવા બીચ ઉપર પોતાના પરિવાર સાથે પાર્ટી બેસનારાઓ સામે પણ હવે પ્રતિબંધ લાગશે અને વિવિધ બીચ અને દરિયા કિનારે દારૂ-બિયર વેચનારાઓએ પણ જિલ્લા કલેક્‍ટરના આદેશનું પાલન કરવું પડશે.

Related posts

દાનહ અને દમણ-દીવ મહિલાઓ સામેના ગુનાઓ ઉકેલવામાં સમગ્ર ભારતના કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં પ્રથમ

vartmanpravah

દાનહના રખોલી ખાતે આવેલ હોટલ મધુબનમાં સેંકડો યુવાનો સાથે ભાજપની બેઠક: પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની 25મી એપ્રિલની દાનહ મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા પ્રદેશના ગતિશીલ યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે કરેલી અપીલ

vartmanpravah

ઉમરગામની મહેતા સ્‍કૂલમાં બાળકોને રક્ષણ આપતા કાયદાની જાણકારી અને સ્‍વરક્ષણ માટે તાલીમ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની સૂચનાથી દમણના કોળી પટેલ સમાજના હોલમાં તા.22મી ડિસે.એ યોજાનારો રોજગાર મેળો

vartmanpravah

નાની દમણના મિટનાવાડ રામ મંદિર ખાતે 8મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવપૂર્વક કરાયેલી ઉજવણી

vartmanpravah

નવસારીના ઉત્ત્કર્ષ મંડળ દ્વારા ‘લીલોતરી પ્રોજેક્‍ટ’ અંતર્ગત જાગૃતતા સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment