Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ઓવરબ્રિજ નવિન કામગીરીમાં ફાટકથી લાઈટ વ્‍હિકલની સાથે મેઈન્‍ટેનન્‍સ માટે એસ.ટી.ને જવાની મંજુરીની માંગ

વલસાડ-વાપી એસ.ટી. કર્મચારી મંડળ દ્વારા કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: આગામી સમયે વાપી રેલવે ફલાય ઓવરબ્રીજ તોડીને નવિન બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થનાર છે તે પૂર્વે કલેક્‍ટર દ્વારા જાહેર વાંધા-સુચન મંગાવાયા હતા તે સંદર્ભે વાપી-વલસાડ એસ.ટી. બસને પણ અવર-જવર માટે મંજુરી આપવામાં આવે તેવી માંગણી કરાઈ છે.
એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ ધનસુખભાઈ પટેલની આગેવાની હેઠળ અપાયેલ આવેદન-વાંધા સુચન અંતર્ગત જ્‍યારે નવા પુલની કામગીરી દરમિયાનટ્રાફિકની વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા માટે નવિન ફાટક એસ.ટી. ડેપોની સામે કાર્યરત કરવાનું છે તેમાં એવી જોગવાઈ કરાઈ છે કે આ ફાટકથી માત્ર લાઈટ વ્‍હિકલ અવર-જવર કરી શકશે. તો બીજી તરફ એસ.ટી. ડેપોનું સ્‍થળાંતર પણ હાઈવે ઉપર થનાર છે ત્‍યારે બસોના મેઈન્‍ટેનન્‍સ માટે વર્કશોપ હાલના ડેપોમાં કાર્યરત છે. સુચિત નવા ડેપોમાં એ સુવિધા નહી હોય તેથી મેઈન્‍ટેનન્‍સ માટેની એસ.ટી. બસોને લાઈટ વ્‍હિકલની સાથે સાથે ડેપો વર્કશોપ સુધી અવર-જવર કરવી જરૂરી હોવાની એસ.ટી. કર્મચારી મંડળે રજૂઆત કલેક્‍ટરને કરી છે. જો આ વ્‍યવસ્‍થા નહી થાય તો આગામી સમયે એસ.ટી. બસ સેવા પ્રભાવિત બની શકે છે તેવુ આવેદનપત્રમાં જણાવાયું છે.

Related posts

મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીર સ્‍થાપના દિનની – મહામાનવ ડૉ. એ.પી.જે અબ્‍દુલ કલામની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

ઉમરગામના નાહુલીમાં લગ્ન મંડપમાંથી 23 તોલા દાગીના ભરેલ બેગ લઈ યુવક રફુચક્કર

vartmanpravah

નવસારીમાં સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય અને નરેન્‍દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ દ્વારા પુસ્‍તક પ્રદર્શન યોજાયું

vartmanpravah

‘હુ ઇસ હુસેન’ નામની લંડનની સંસ્‍થા દ્વારા આખા વિશ્વમાં રક્‍તદાન શિબિરો યોજાઈ

vartmanpravah

અરૂણાચલ પ્રદેશથી આઈ.એ.એસ. અધિકારી સ્‍વપ્‍નિલ નાયકનું થનારૂં સંઘપ્રદેશમાં આગમન

vartmanpravah

સેલવાસ કલાકેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રીય પંચાયત પુરસ્‍કાર અંતર્ગત જિલ્લા સ્‍તરીય પુરસ્‍કાર સમારંભનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment