January 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ જિ.પં. પ્રમુખ નિશા ભવરે રાષ્‍ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુની એનડીએ દ્વારા કરાયેલી પસંદગીને આવકારી

  • દાનહ જનતા દળ (યુ)ના તમામ જિ.પં.સભ્‍યોએ દેશના ઈતિહાસમાં પ્રથમ વખત આદિવાસીને રાષ્‍ટ્રપતિ પદની તક આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો માનેલો આભાર

  • આદિવાસી સમુદાયની બહુમતિ ધરાવતા દાનહના સાંસદ કલાબેન ડેલકરને પણ રાષ્‍ટ્રપતિ પદના આદિવાસી ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તરફેણમાં મતદાન કરવા પ્રેરિત કરી પોતાનો આદિવાસી ધર્મ બજાવવા સમગ્ર પ્રદેશમાંથી થઈ રહેલું આહ્‌વાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.07
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવરે એનડીએ દ્વારા રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે શ્રીમતી દ્રૌપદી મુર્મુની કરેલી પસંદગીને આવકારી છે. તેમણે જણાવ્‍યું છે કે, જનતા દળ (યુ) શાસિત દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના તમામ સભ્‍યોપ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા આદિવાસીઓના ગૌરવને વધારનારા અને નવી ઊંચાઈઓ ઉપર લઈ જનારા નિર્ણયની સરાહના કરે છે અને સમસ્‍ત આદિવાસી સમુદાયમાં ઉત્‍પન્ન થયેલ સ્‍વાભિમાનનો જયઘોષ કરતા હોવાનું જણાવ્‍યું છે.
દાનહ જિ.પં.ના પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવરે પોતાના તમામ સભ્‍યો વતી રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી દ્રૌપદી મુર્મુને શુભકામના પણ પાઠવી છે અને તેમનો વિજય નિヘતિ હોવાનો વિશ્વાસ પણ વ્‍યક્‍ત કર્યો છે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલી આદિવાસી બહુમતિ જિલ્લો હોવાથી અહીંના પ્રત્‍યેક આદિવાસીઓનું મસ્‍તક પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ શ્રીમતી દ્રૌપદી મુર્મુની રાષ્‍ટ્રપતિના પદ માટે કરેલી પસંદગીથી ઊંચું થયું છે. તેથી દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરને પણ રાષ્‍ટ્રપતિ પદના આદિવાસી ઉમેદવાર શ્રીમતી દ્રૌપદી મુર્મુની તરફેણમાં મતદાન કરવા પ્રેરિત કરી પોતાનો આદિવાસી ધર્મ બજાવવા સમગ્ર પ્રદેશમાંથી આહ્‌વાન પણ થઈ રહ્યું છે.

Related posts

વલસાડનો સખી મેળો સખી મંડળના 50 સ્‍ટોલોમાં 7 દિવસમાં રૂા. 7 લાખનું વેચાણ થયું: સપ્તાહ દરમિયાન કુલ 11180 લોકોએ વંદે ગુજરાત પ્રદર્શનને પણ મનભરીને નિહાળ્‍યું

vartmanpravah

દક્ષિણ ગુજરાતના સૌથી મોટા યાર્ડ સુરત APMC ના પ્રમુખ તરીકે સંદીપ દેસાઈની વરણી

vartmanpravah

પારડી પીઆઈ બી.જે. સરવૈયાનો સપાટો: પરીયામાં જુગાર રમતા 11 જેટલા મોભીઓને ઝડપી કર્યા જેલના હવાલે

vartmanpravah

વલસાડ ગ્રીનપાર્ક સોસાયટીમાં છૂટક ગાંજો વેચવાનું રેકેટ ઝડપાયું: 3.6 કિ.ગ્રા. ગાંજો તથા રૂા.1.67 લાખ રોકડા ઝડપાયા

vartmanpravah

ચીખલીના સાદકપોર ગામે હનુમાન દાદાના મંદિરમાંથી આરસની મૂર્તિ ચોરી

vartmanpravah

સંઘપ્રદેશમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

vartmanpravah

Leave a Comment