August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દક્ષિણ ગુજરાતના સૌથી મોટા યાર્ડ સુરત APMC ના પ્રમુખ તરીકે સંદીપ દેસાઈની વરણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સુરત, તા.04: સમગ્ર દક્ષિણ ગુજરાતની સૌથી મોટા સુરત ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ (APMC ) એવી સુરત માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની આજે વરણી કરવામાં આવી હતી. જેમાં 84 વિધાનસભાના ધારાસભ્‍ય શ્રી સંદીપભાઈ દેસાઈને પ્રમુખ તરીકે અને શ્રી હર્ષદભાઈ પટેલની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી.
એપીએમસીના હોદ્દેદારોની નિમણૂક કરવા બાબતે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. શ્રી સંદીપભાઈ દેસાઈનું નામ પહેલાથી જ એપીએમસીના પ્રમુખ તરીકે ખૂબ જ મજબૂત રીતે લેવાતું રહ્યું હતું અને આખરે પાર્ટી દ્વારા જે મેન્‍ડેડ આપવામાં આવ્‍યો છે, તેમાં શ્રી સંદીપભાઈ દેસાઈનું નામ જ જાહેર કરવામાં આવ્‍યું છે. પહેલાંથી જ આખી ગોઠવણ થઈ ગઈ હતી અને તેના મુજબ જ નામ જાહેર કરીને બાકીની તમામ પ્રકારની ઔપચારિકતાઓ પૂરી કરી લેવામાં આવી હતી.
સુરત એપીએમસીનો અંદાજે 2500 કરોડ કરતાં વધારે ટર્નઓવર સાથે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એપીએમસી હોવાને કારણે વહીવટ પણ ખૂબ જ મોટો છે. પાર્ટી દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખનું નામ જાહેર કરવા પહેલાં અભિપ્રાયો લેવામાં આવ્‍યા હતા.સુરત ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિની વ્‍યવસ્‍થાપક કમિટીની ચૂંટણીમાં ખેડૂતની 10 અને વેપારીની 4 મળી 14 બેઠક બિનહરીફ થઈ હતી. એપીએમસીમાં ખેડૂતની 10 વેપારીઓની 4 મંડળી પ્રતિનિધિની 2 પાલિકા 1, જિલ્લા રજિસ્‍ટ્રાર અને 1 ખેતીવાડી અધિકારીની મળીને કુલ 19 બોર્ડ ડિરેક્‍ટર્સ થશે. તમામ પ્રતિનિધિઓના અને હોદ્દેદારોના અભિપ્રાય લેવામાં આવ્‍યા હતા.

Related posts

વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક પ્રભારીમંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને મળી: આદિજાતિ વિસ્‍તારમાં કુલ 728 કામો માટે કુલ રૂા.3203.18 લાખની જોગવાઈને મંજૂરી

vartmanpravah

ચીખલીના સારવણીમાં ચોમાસા પૂર્વે જ ‘નલ સે જલ’ યોજનામાં નિર્માણ કરાયેલ કેબિનમાં તિરાડ પડતા તારથી બાંધવાની નોબત

vartmanpravah

દાનહના અથોલા ગામે નહેરમાં ન્‍હાવા પડેલ યુવાન તણાયો

vartmanpravah

પારડી તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપ પ્રમુખની બિનહરીફ વરણી: પ્રમુખ તરીકે ટુકવાડાના દક્ષેશ પટેલ જ્‍યારે ઉપ પ્રમુખ તરીકે બાલદાના ડિમ્‍પલબેન પટેલ ચૂંટાયા

vartmanpravah

સેલવાસ ન.પા.ના ચીફ ઓફિસર ડો. સુનભ સિંહે નવનિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરના ડો.અક્ષય નાડકર્ણીએ આંતરરાષ્‍ટ્રીય કેન્‍સર કોન્ફરન્સ લંડનમાં આયુષ્‍યમાન ભારત યોજનાની પ્રશંસા કરીનેભારત અને વાપીને વૈશ્વિક પ્‍લેટફોર્મ પર મુકયું

vartmanpravah

Leave a Comment