(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: ચીખલી તાલુકાના સાદકપોર ગામે હનુમાન દાદાના મંદિરમાંથી આરસની મૂર્તિ ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ચીખલી તાલુકાના સાદકપોર નવાનગર ખાતે આવેલ હનુમાન દાદાના મંદિરમાં સવારના સમયે સ્થાનિક રહેવાસી અજય ડાહ્યાભાઈ પટેલ જે સવારના સમયે મંદિરમાં દીવો કરવા જતાં મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિ નજરે ન પડતા આરસની હનુમાન દાદાની મૂર્તિ રાત્રી દરમ્યાન કોઈ અજાણ્યો ઈસમ ચોરી ગયેલ હોવાની તેમના દ્વારા લેખિત રજૂઆત પોલીસ મથકે કરવામાં આવી હતી. જોકે આ અંગે પોલીસ મથકે કોઈ ગુનો નોંધાયો ન હતો. પરંતુઅરજીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
Previous post