April 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપીમાં ચોમાસાની તારાજીના દસ્‍તક : રેલ નાળામાં સ્‍કૂલ બસ ફસાતા બાળકોને રેસ્‍ક્‍યુ કરી બહાર કઢાયા

રેલવે અંડરપાસમાં વરસાદી પાણીના ભરાવાને લઈ રોજીંદી ઘટનાઓ બની રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વલસાડ જિલ્લા સહિત વાપી વિસ્‍તારમાં છેલ્લા 36 કલાકથી લગાતાર એક ધારો વરસાદ દિવસ-રાત પડી રહ્યો છે. પરિણામે વરસાદથી ખાના-ખરાબી અને આફતો વાપી શહેરમાં સર્જાઈ રહી છે. આજે ગુરૂવારે રેલવે અંડરપાસમાં ચિક્કાર ભરાયેલો પાણીમાંથી સ્‍કૂલ બસ પસાર થતા બસ અચાનક બંધ થઈ ગઈ હતી. બસમાં બેઠેલા બાળકો વધુ ગભરાઈ જાય તે પહેલા લોકોએ બાળકોને રેસ્‍ક્‍યુ કરી સલામત રીતે બહાર કાઢયા હતા.
વાપી શહેર અને જી.આઈ.ડી.સી. વિસ્‍તારમાં વરસાદને લઈ રોજેરોજ મુસીબતોનો પહાડ ખડકાય રહ્યો છે. તમામ રોડો ઉપર મસમોટા ખાડાનુ સામ્રાજ્‍ય છવાઈ ચૂક્‍યુ છે ત્‍યારે સૌથી વધારે ટ્રાફિકની સમસ્‍યાઓ ઠેર-ઠેર આખો દિવસ જોવા મળી રહી છે. કારણ કે પૂર્વ-પヘમિમાં અવર-જવર કરવા માટે રેલવે ફલાય ઓવરબ્રિજ અને અંડરપાસ બે વિકલ્‍પો છે. રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાથી ટ્રાફિકનું તમામ ભારણ રેલવે બ્રિજ ઉપર રહે છે. લાંબી લાંબી વાહનોની કતારો આમ દૃશ્‍ય બની ચૂક્‍યા છે. વાપી પાલિકા, પોલીસ, પીડબલ્‍યુડી અને રેલવે તમામવિભાગોની બેદરકારીનો સીધો ભોગ પ્રજા બની ચૂકી છે. સ્‍કૂલ બસ, એમ્‍બ્‍યુલન્‍સ ફસાઈ જવી જેવી રોજની ઘટનાઓ બની રહી છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણ પોલીસ સામાન્‍ય નાગરિકો માટે શ્રેષ્‍ઠ મિત્ર પણ અસામાજિક તત્ત્વો માટે કાળઃ એસ.પી. આર.પી. મીણા

vartmanpravah

વલસાડમાં પોરબંદર બાન્‍દ્રા ચાલુ ટ્રેનમાં જુગારધામ ઝડપાયું : 9 પુરુષ અને 7 મહિલાઓને રેલવે પોલીસે ધરપકડ કરી

vartmanpravah

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ આપત્તીજનક શબ્‍દનો પ્રયોગ કરવા પર ખાનવેલ જિલ્લા ભાજપા દ્વારા અધિર રંજનનું પૂતળાદહન કરાયું

vartmanpravah

પારડી તાલુકાના  અંબાચ ગામે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે રૂા.૧૩.૭૭ કરોડના ખર્ચના ત્રણ વિકાસ પ્રકલ્‍પો લોકાર્પણ કરાયા

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દીવ દ્વારા જિલ્લા કક્ષાની વક્‍તવ્‍ય સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહનો “નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ” પર સંદેશ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલી માદક દ્રવ્યો સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિના આજે સફળ પરિણામો જોવા મળી રહ્યા છે

vartmanpravah

Leave a Comment