October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી એ.મુથમ્‍માને રિલીવ કરાયા

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ઈશારાને સમજી ગતિશીલ અને પારદર્શક વહીવટ દ્વારા દાનહ અને દમણ-દીવની કાયાપલટના પણ રહેલા એક સારથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ સચિવ સહિતની વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક સંભાળનારા 2009 બેચના આઈ.એ.એસ. અધિકારી ડો. એ.મુથમ્‍માની ભારત સરકારના ગૃહ મંત્રાલયે પુડ્ડુચેરી બદલીનો આદેશ જારી કરતા આજે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા તેમને તેમની જવાબદારીમાંથી મુક્‍ત કરાયા હતા.
ડો. એ.મુથમ્‍માએ પોતાના કાર્યકાળ દરમિયાન સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ટીમના સક્રિય અને ઉત્‍સાહી સભ્‍ય બની તેમને સોંપવામાં આવેલ તમામ જવાબદારીઓ ખુબ જ નિષ્‍ઠાપૂર્વક સફળતાથી નિભાવી હતી. તેમણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ પ્રદેશની આરોગ્‍ય સેવાને લોકાભિમુખ અને અસરકારક બનાવવા પોતાની તમામ શક્‍તિ કામે લગાવી હતી. દાદરા નગર હવેલી ખાતે નિર્માણ પામી રહેલ નમો મેડિકલ કોલેજના પણ તેઓ પાયાના પથ્‍થર બન્‍યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ઈશારાને સમજી ગતિશીલ અનેપારદર્શક વહીવટ દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવની કાયાપલટના પણ તેઓ એક સારથી રહ્યા છે.

Related posts

દાનહના ડોકમર્ડી પ્રશિક્ષણ કેન્‍દ્ર ખાતે નવનિયુક્‍ત સરકારી પ્રાથમિક શિક્ષકો માટે તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

ધરમપુર હાઈવે ચોકડી પાસે પુટ્ટી પાવડરની આડમાં ટેમ્‍પોમાં ભરેલ રૂા.13.62 લાખનો દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

સુખાલા આરોગ્‍ય કેન્‍દ્રને પરિવાર કલ્‍યાણ વિભાગ કેન્‍દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું સન્‍માન પત્ર

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’નું સંઘપ્રદેશમાં લગભગ દરેક બુથમાં નિહાળાયું જીવંત પ્રસારણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણ પોલીસે ‘નશામુક્‍ત પખવાડા’ની કરેલી ઉજવણીઃ શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ, ચિત્રકળા સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

પારડીમાં રૂમ ભાડા ના મુદ્દે માલિકના પુત્રએ ભાડુઆતને માર માર્યો

vartmanpravah

Leave a Comment