December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માનવતાનું ઉમદા ઉદાહરણ : ધરમપુર આઈસીડીએસ કચેરીની ટીમ દર્દીઓના આધારકાર્ડ અપડેટ કરાવવા હોસ્‍પિટલ પહોંચી

આયુષ્‍યમાન કાર્ડના લાભ માટે દર્દીનો આધારકાર્ડ અપડેટ હોવો જરૂરી છેઃ પ્રોગામ ઓફિસર નિલમ પટેલ

શ્રીમદ રાજચંદ્ર હોસ્‍પિટલમાં જઈ 100થી વધુ દર્દીના આધારકાર્ડ અપડેટ કરાવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: ગુજરાત રાજ્‍યના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા આઈસીડીએસ શાખામાં ચાલતી આધાર યોજના હેઠળ આઈસીડીએસ વિભાગના તમામ લાભાર્થીઓ જેમ કે સગર્ભા, ધાત્રી, બાળકો તથા કિશોરીઓના તેમજ તથા અન્‍ય રહીશોના નવા આધારકાર્ડ કાઢવાની તેમજ આધારકાર્ડમાંતમામ પ્રકારના સુધારા જેવા કે નામ, એડ્રેસ, જન્‍મ તારીખ, મોબાઈલ નંબર તેમજ બાયોમેટ્રિક સુધારા કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે.
વલસાડ જિલ્લામાં આઈસીડીએસ વિભાગ અંતર્ગત ચાલતી આધાર કીટ ગામે ગામ જઈને તમામ રહીશોના આધાર નોંધણી અને સુધારણાની કામગીરી કેમ્‍પ મોડમાં કરી રહી છે. જે અંતર્ગત ધરમપુર તાલુકામાં ચાલતી આધાર કીટ પર અજયભાઈ ગાંવિત દર માસના ચોથા સોમવારે શ્રીમદ રાજચંદ્ર હોસ્‍પિટલમાં જઈને જરૂરિયાતમંદ દર્દીઓના આધાર અપડેશનની કામગીરી કરી રહ્યા છે.
આઈસીડીએસ વિભાગના પ્રોગામ ઓફિસર નિલમ પટેલે જણાવ્‍યું કે, હોસ્‍પિટલમાં દાખલ દર્દીઓને આયુષ્‍યમાન કાર્ડના લાભ માટે તેમનો આધારકાર્ડ અપડેટ હોવો જરૂરી છે, પરંતુ ગ્રામ્‍ય વિસ્‍તારના ઘણા લોકો આ વસ્‍તુથી માહિતગાર ન હોવાથી જ્‍યારે દર્દી હોસ્‍પિટલમાં દાખલ થાય અને આયુષ્‍યમાન કાર્ડનો ઉપયોગ કરવાનો થાય ત્‍યારે તેમને ખ્‍યાલ આવે કે તેમનો આધારકાર્ડ અપડેટ નથી. આ સમયે દર્દી અન્‍ય આધાર સેન્‍ટર પર જઈને પોતાનો આધારકાર્ડ અપડેટ કરાવે તેવી સ્‍થિતિમાં હોતા નથી. આવા સમયે આઈસીડીએસ વિભાગ અંતર્ગત ચાલતી કીટ દ્વારા તેમને ત્‍વરિત સેવા આપી તેમના આધારકાર્ડ અપડેટ કરી આપવામાં આવે છે, જેને પગલે તેમનો આયુષ્‍યમાન કાર્ડનો ખરા સમયે ઉપયોગથઈ શકે છે. માનવતાનું એક ઉમદા ઉદાહરણ આઈસીડીએસ વિભાગે પૂરું પાડ્‍યું છે. આ સિવાય અન્‍ય પણ કોઈ હોસ્‍પિટલમાં દર્દીઓ આઈસીયુમાં દાખલ હોય કે ચાલી શકતા ન હોય તો તેવા સંજોગોમાં આઈસીડીએસ વિભાગની ટીમ તેમની પાસે પહોંચી આધારકાર્ડ અપડેટ કરાવી આપશે. ઉલ્લેખનીય છે કે, ધરમપુર તાલુકામાં આ સમગ્ર કામગીરી શ્રીમદ રાજચંદ્ર હોસ્‍પિટલના મેનેજમેન્‍ટ અને પ્રોગ્રામ અધિકારી નિલમબેન આર. પટેલના સંકલનથી કરવામાં આવી રહી છે.

Related posts

વાપી કોંગ્રેસ દ્વારા ઓવરબ્રિજ પાડવાના મામલે કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી અસરકર્તા માટે વળતરની માંગ

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ના ઉપલક્ષમાં દમણ કોસ્‍ટગાર્ડ એરપોર્ટના નવા રન-વે ઉપર યોજાયો યોગ કાર્યક્રમ

vartmanpravah

નવમાં યોગા દિવસની ઉજવણીનાં ભાગરૂપે વલસાડમાં કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

નીતિ આયોગના સીઈઓ અને જી-20 શેરપા અમિતાભ કાંતે NIFT દમણ ખાતે અંતિમ સેમેસ્‍ટરના વિદ્યાર્થીઓને પરીક્ષાના ભાગરૂપે પ્રદર્શિત ડિઝાઈન સ્‍થાપન ઉપર આપેલું મનનીય વક્‍તવ્‍ય

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દ અને ખરોલીમાં ભાજપના બહિષ્‍કારના લાગેલા બેનરો

vartmanpravah

દમણની સહેલગાહે આવેલા સુરતના પાંચ પૈકી ત્રણ પ્રવાસીઓ લાઈટ હાઉસ પાસે સમુદ્રમાં ડૂબ્‍યા

vartmanpravah

Leave a Comment