September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટવલસાડવાપી

ઉપરવાસમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે વલસાડમાં ઔરંગા નદીમાં પૂરની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા કલેકટર અને ડીડીઓએ પ્રેસ કોન્ફ્રન્સ યોજી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૧૪: જિલ્લામાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે ઔરંગા નદીમાં પાણીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. કપરાડામાં ૩૭૭ મી.મી. અને ધરમપુરમાં ૩૪૦ મી.મી. વરસાદ થયો હતો. જેને કારણે વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થાય એ પહેલા જ જિલ્લા વહીવટી તંત્રએ આગમચેતી પગલા રૂપે એનડીઆરએફની ૨ ટીમે રાત્રિ દરમિયાન જ ૫૫૦ થી ૬૦૦ જેટલા લોકોનું સ્થળાંતર રામલલ્લા મંદિર અને પારડી શાળામાં આશ્રયસ્થાનોમાં કર્યું હતુ. સેગવી ગામમાંથી એનડીઆરએફએ ૭ લોકોનું રેસ્ક્યું કર્યું હતું. પારડી તાલુકાના સોનવાડા ગામનો સંપર્ક કપાતા એમને રહેવાની અને ભોજન વ્યવસ્થા કરવામાં આવી ગઈ છે.
તેમજ આજરોજ પણ નદીમાં પાણીની સપાટી વધતાં આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરાયેલા લોકોને ભોજન અને બીજી જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અમુક ગામોમાં ઊંચાણવાળા સ્થળો પર આશ્રય લીધેલા લોકોને પણ ભોજનની પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારમાં રાત્રિથી ફિલ્ડમાં ફરજ બજાવી રહ્યા છે. જો જરૂરિયાત પડે તો એમને ફરી થી જરૂરી વ્યવસ્થા પૂરી પાડવાની તૈયારી વહીવટીતંત્રએ કરી લીધી હોવાનું જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. કોઈ પણ મુશ્કેલીમાં મદદ માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ઇમરજન્સી સંપર્ક નંબર – ૨૪૩૨૩૮ અને કલેકટરશ્રીના ટ્વીટર – @collectervalsad અને ડીડીઓશ્રીના ટ્વીટર @DdoValsad પર સંપર્ક કરી મદદ મેળવી શકાશે.

Related posts

પ્રધાનમંત્રીએ છત્તીસગઢનાં રાયપુરમાં આશરે રૂ. 7500 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા સેલવાસ કલેક્‍ટર કચેરીના પરિસરમાં સ્‍થાપવામાં આવેલ દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ. ઈન્‍દિરા ગાંધીની પ્રતિમાને હટાવાતા કોંગ્રેસે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

સિંહ અને સિંહણના આગમન સાથે દાનહના વાસોણા લાયન સફારીને પ્રવાસીઓ માટે પુનઃ વિધિવત્‌ રીતે ખુલ્લુ મુકાયું

vartmanpravah

વાપી સહિત ત્રણ રાજ્‍યોમાં 19 ચોરી કરેલ લક્‍ઝરીયસ જીવન જીવતા સાતીર ચોરને એલસીબીએ દબોચી લીધો

vartmanpravah

સંઘપ્રદેશની પૂર્વ પ્રાથમિક શાળાઓમાં નાના બાળકોએ ઉત્‍સાહ અને ધામધૂમથી ગણેશોત્‍સવની કરેલી ઉજવણી

vartmanpravah

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક બોડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણનું 88.49 અને દીવનું 94.86 ટકા આવેલું પરિણામ

vartmanpravah

Leave a Comment