September 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

ઉત્તર ભારતીય લોકોનો શ્રાવણ મહિનો શરૂઃ દલવાડા સ્‍થિત વાસુકીનાથ મહાદેવ મંદિરમાં 45 દિવસીય મહાભિષેકનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.14
ઉત્તર ભારતીય લોકોનો પવિત્ર શ્રાવણ મહિનો 14મી જુલાઈ એટલે કે, ગુરુ પૂર્ણિમાના બીજા દિવસથી શરૂ થાય છે અને આજથી તેની શરૂઆત થઈ ચુકી છે. જેથી દમણ સહિત આસપાસના તમામ શિવમંદિરોમાં પૂજા-અર્ચનાનો પણ પ્રારંભ થઈ ગયો છે. તે જ સમયે, દર વર્ષની જેમ, નાની દમણના દલવાડા ખાતેના બાબા વાસુકીનાથ મહાદેવ મંદિરમાં ગુરુ પૂર્ણિમાથી બાબા ભોલેનાથનો 45 દિવસીય અભિષેક શરૂ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુપૂર્ણિમાના દિવસથી દલવાડા ખાતે આવેલ બાબા વાસુકીનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા શરૂ થઈ ગઈ છે. મંદિરનાટ્રસ્‍ટી શ્રી અનિલ અગ્રવાલ સતત 45 દિવસ સુધી બાબા ભોલેનાથનો મહાભિષેક કરશે. આ દરમિયાન વાસુકીનાથ મંદિરમાં 45 દિવસ સુધી હજારો લોકો પવિત્ર શ્રાવણ મહિનામાં મહાભિષેક કરીને ભોલેનાથની પૂજા-અર્ચના કરવામાં વ્‍યસ્‍ત છે. બીજી તરફ, બાબા વાસુકીનાથના અભિષેક માટે દેશની તમામ ધાર્મિક અને પ્રતિષ્ઠિત નદીઓને પાણી, હજારો લિટર દૂધ, મધ, ભાંગ, ધતુરા સહિત ભગવાન શિવને પ્રિય સામગ્રીનો અભિષેક કરવામાં આવશે. મંદિરના આચાર્ય શ્રી અજય શર્માએ શિવ ભક્‍તોને અભિષેકમાં ભાગ લેવા માટે અગાઉથી મંદિર ટ્રસ્‍ટમાં નોંધણી કરાવવાની અપીલ કરી છે, જેથી તેમને કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો કરવો નહીં પડે. નામ નોંધણી કરાવવા માટે આચાર્ય શ્રી અજય શર્માનો મો. નં. 99044 46666 અને ભૂપેન્‍દ્ર શર્મા 99091 13122 પર સંપર્ક કરી શકો છો. આ સાથે સોમનાથ સ્‍થિત શિવમંદિર, નાની દમણ સ્‍થિત ભાવભંજન મહાદેવ મંદિર સહિત અન્‍ય શિવાલયોમાં પણ શ્રાવણને ધ્‍યાનમાં રાખીને વિશેષ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

Related posts

દાદરા નગર હવેલીમાં ગાજવીજ અને ભારે પવન સાથે એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

ભાજપના સભ્‍ય નોંધણી અભિયાન અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલ અને જિ.પં. સભ્‍ય રીનાબેન પટેલે 1000 કરતા વધુ સભ્‍યોની કરેલી નોંધણી

vartmanpravah

છેલ્લા 80 દિવસથી સોમનાથ ગ્રા.પં.ના વોર્ડ નંબર પાંચમાં આવેલ શૌચાલયની ગંદકી છુપાવવા સરપંચ પતિએ કપડું નાંખી વપરાશ બંધ કરાવેલ હોવાનો ગ્રામસભામાં આરોપ

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે ઉપર કથિત ગૌમાસનો જથ્‍થો ભરેલા બે કન્‍ટેનર ઝડપાયા

vartmanpravah

દાનહ પ્રદેશ યુવક કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ કૌશિલ શાહની આદિવાસીની જમીનના મુદ્દે કરેલી છેતરપીંડીના ગુનામાં ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લામાં લોકડાયરાના માધ્‍યમ થકી રાજ્‍ય સરકારની યોજનાઓનો પ્રચાર પ્રસાર

vartmanpravah

Leave a Comment