April 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારી જિલ્લામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી સહાય/કેશડોલ્સ ચૂકવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા. ૧૮: નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી સહાય/કેશડોલ્સની ચૂકવણી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લામાં ૯૦ ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી. આ માટે રાજય સરકાર દ્વારા બે એડિશનલ કલેકટર તથા પાંચ નાયબ કલેકટરની ફાળવવામાં આવ્યા હતાં.
જિલ્લામાં ભારે વરસાદના કારણે થયેલ નુકશાનીનાં સર્વેમાં નવસારી (શહેર)માં ૪૫ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૧૧,૪૪૧ વ્યકિતઓને કેશડોલ્સ ચૂકવવાપાત્ર છે. જેમાંથી ૭,૬૬૨ વ્યકિતઓને રૂા.૪૨ લાખથી વધુ રકમ ચૂકવાઇ ગઇ છે.૩૭૭૯ વ્યકિતઓને કેશડોલ્સ ચૂકવવાના બાકી છે. ચૂકવણીની કામગીરી ચાલુ છે. નવસારી ગ્રામ્યમાં ચાર ટીમો દ્વારા સર્વેની કામગીરી કરાઇ હતી. સર્વેમાં ૧૩૯૯ વ્યકિતઓને ચૂકવાપાત્ર હતાં તેઓને કુલ રૂા.૨,૭૬,૫૪૦/- ચૂકવવામાં આવ્યા હતાં.
જલાલપોર તાલુકાની ૪ ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી. આ સર્વેમાં ૨૬૭૨ વ્યકિતઓને કેશડોલ્સ રૂા.૪,૨૭,૧૬૦/- ચૂકવવામાં આવ્યાં હતાં. ગણદેવી શહેરમાં ૧૪ ટીમો દ્વારા સર્વે કરી ૫૯૦૧ વ્યકિતઓને રૂા.૧૮,૩૩,૩૬૦/- ચૂકવવામાં આવ્યાં હતાં. ગણદેવી ગ્રામ્યમાં ચાર ટીમો દ્વારા સર્વે કરી ૮૭૨૮ વ્યકિતઓને રૂા.૯,૧૨,૦૨૦ ચૂકવવામાં આવ્યાં હતાં. જયારે વાંસદા તાલુકામાં ૯ ટીમો દ્વારા ૨૯૪ વ્યકિતઓને ૭૩૪૮૦ ચૂકવણી કરવામાં આવી હતી.
નવસારી જિલ્લામાં કુલ ૯૦ ટીમો દ્વારા ૬૫,૫૦૩ વ્યકિતઓમાંથી ૬૧,૭૨૪ વ્યકિતઓને રૂા.૨,૦૪,૦૭,૪૪૦/- ચૂકવવામાં આવ્યાં છે. બાકી રહેલા ૩૭૭૯ વ્યકિતઓને કેશડોલ્સ ચૂકવવાની કામીગીરી ચાલુ છે.

Related posts

કેન્‍દ્રિય રાજ્‍ય મંત્રી(આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય) કૌશલ કિશોરની ઉપસ્‍થિતિમાં દાનહ જિ.પં. અને સેલવાસ ન.પા. દ્વારા આયોજીત લાભાર્થી સંમેલન સંપન્નઃ લાભાર્થીઓને ચેક અને કિટનું કરાયેલું વિતરણ

vartmanpravah

દમણના ખેડૂતો બિયારણ અને ખેતી સંબંધિત ચીજવસ્‍તુઓ સબસીડીના દરે લેવા ઈચ્‍છનારા જિ.પં.ના કૃષિ વિભાગનો સંપર્ક કરે

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ, દમણ જિ.પં. ઉપ પ્રમુખ મૈત્રીબેન પટેલ સહિત અનેક મહાનુભાવોએ શિવ કથાનો લીધેલો લાભ

vartmanpravah

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દેશના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે કરેલી અભદ્ર ટિપ્‍પણીનો દમણ ભાજપ અને અન્‍ય મહિલા સંગઠનો દ્વારા ભારે વિરોધ કરાયો

vartmanpravah

દમણમાં દિલ્‍હીની તર્જ ઉપર બનાવવામાં આવેલ બસ સ્‍ટેન્‍ડના બોલાવેલા ભૂક્કા

vartmanpravah

વલસાડમાં ગણેશજીની 9 ફૂટની પ્રતિમાના જાહેરનામાથી ગણેશ આયોજકોમાં નારાજગી : સિટી પો.સ્‍ટે.માં મિટિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment