December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસ તથા કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થતાં સેલવાસ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષ અને પ્રદેશ ભાજપના કદાવર નેતા રાકેશસિંહ ચૌહાણે ન.પા.માં કાર્યરત કર્મચારીઓને ધાબળા અને શ્રમપ્રસાદનું કરેલું વિતરણ

પાલિકાકર્મીઓ આપણાં સ્‍વચ્‍છતા પ્રહરીઃ પ્રશાસકશ્રી હંમેશા છેવાડેના લોકોના કલ્‍યાણ માટે ચિંતિત રહે છેઃ રાકેશસિંહ ચૌહાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સેલવાસ નગરપાલિકાના પૂર્વ અધ્‍યક્ષ અને પ્રદેશના કદાવર ભાજપ નેતા શ્રી રાકેશસિંહ ચૌહાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસ તથા કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થતાં નગરપાલિકામાં કાર્યરત કર્મચારીઓને ધાબળા અને શ્રમપ્રસાદનું વિતરણ કર્યું હતું.
સેલવાસ નગરપાલિકાના 300 જેટલા કર્મચારીઓ કે જેમાં સફાઈકર્મી, ડમ્‍પિંગકર્મી, ઘર ઘર કચરો ઉઠાવનારા કર્મી અને પાલિકા સ્‍ટાફને પૂર્વઅધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણે શ્રમયોગી ગણાવી પ્રશાસકશ્રીના જન્‍મ દિવસ તથા કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થવાના અવસરે વધામણી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, પાલિકાકર્મીઓ આપણાં સ્‍વચ્‍છતા પ્રહરી પણ છે અને પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે હંમેશા સમાજના છેવાડેના લોકોની ચિંતા કરી છે. તેમણે પાલિકા કર્મીઓને પ્રશાસકશ્રીના જન્‍મ દિવસ નિમિત્તે ધાબળાનું વિતરણ કરવા સાથે શ્રમપ્રસાદ સ્‍વરૂપે સ્‍વાદિષ્‍ટ ભોજન કરાવી સમરસતાનું પણ દૃષ્‍ટાંત પુરૂં પાડયું હતું.

Related posts

‘સ્‍વચ્‍છ સાગર, સુરક્ષિત સાગર’નો સંદેશ આપવા માટે આમલોકોની ભાગીદારી આવશ્‍યકઃ રમેશ કુંદનાની-પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝના પ્રેસિડેન્‍ટ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સતત ત્રણ દિવસ અધિકારીઓ સાથે પ્રેઝન્‍ટેશનો અને સમીક્ષા બેઠક બાદ દમણ-સેલવાસના નિર્માણાધીન શૈક્ષણિક સંકુલની લીધેલી મુલાકાત

vartmanpravah

સમાજ કલ્‍યાણ વિભાગ અને રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનર્વાસ કેન્‍દ્ર દ્વારા દાનહમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસ નિમિત્તે કળષિ ટ્રેનિંગ સેન્‍ટર ખાતે સમારોહનું આયોજન કરાયું

vartmanpravah

દમણમાં સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત બાલ ભવનના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી ગાજવીજ સાથે વરસાદ પડતા શિયાળુ પાકને નુકસાન

vartmanpravah

કપરાડાના તાલુકાના સુથારપાડા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં 5368 અરજીઓનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

Leave a Comment