Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસ તથા કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થતાં સેલવાસ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષ અને પ્રદેશ ભાજપના કદાવર નેતા રાકેશસિંહ ચૌહાણે ન.પા.માં કાર્યરત કર્મચારીઓને ધાબળા અને શ્રમપ્રસાદનું કરેલું વિતરણ

પાલિકાકર્મીઓ આપણાં સ્‍વચ્‍છતા પ્રહરીઃ પ્રશાસકશ્રી હંમેશા છેવાડેના લોકોના કલ્‍યાણ માટે ચિંતિત રહે છેઃ રાકેશસિંહ ચૌહાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સેલવાસ નગરપાલિકાના પૂર્વ અધ્‍યક્ષ અને પ્રદેશના કદાવર ભાજપ નેતા શ્રી રાકેશસિંહ ચૌહાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસ તથા કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થતાં નગરપાલિકામાં કાર્યરત કર્મચારીઓને ધાબળા અને શ્રમપ્રસાદનું વિતરણ કર્યું હતું.
સેલવાસ નગરપાલિકાના 300 જેટલા કર્મચારીઓ કે જેમાં સફાઈકર્મી, ડમ્‍પિંગકર્મી, ઘર ઘર કચરો ઉઠાવનારા કર્મી અને પાલિકા સ્‍ટાફને પૂર્વઅધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણે શ્રમયોગી ગણાવી પ્રશાસકશ્રીના જન્‍મ દિવસ તથા કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થવાના અવસરે વધામણી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, પાલિકાકર્મીઓ આપણાં સ્‍વચ્‍છતા પ્રહરી પણ છે અને પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે હંમેશા સમાજના છેવાડેના લોકોની ચિંતા કરી છે. તેમણે પાલિકા કર્મીઓને પ્રશાસકશ્રીના જન્‍મ દિવસ નિમિત્તે ધાબળાનું વિતરણ કરવા સાથે શ્રમપ્રસાદ સ્‍વરૂપે સ્‍વાદિષ્‍ટ ભોજન કરાવી સમરસતાનું પણ દૃષ્‍ટાંત પુરૂં પાડયું હતું.

Related posts

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરે 14મી માર્ચથી શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવનો થનારો આરંભ

vartmanpravah

આજે દીવ 23 નેશનલ લો યુનિવર્સિટીના સંઘની જનરલ બોડી મીટિંગની યજમાનગીરી કરશે

vartmanpravah

વલસાડ સિવિલ હોસ્‍પિટલના રેસિડેન્‍ટ ડોક્‍ટરો પડતર માંગણીઓ માટે હડતાલ ઉપર ઉતર્યા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા કૃષિ ક્ષેત્ર આત્મનિર્ભર થાય તે ઘણુ મહત્વનું છેઃ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા:- આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રિ- વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં રાજ્યના કૃષિ ક્ષેત્રમાં ૨૩૫૯ કરોડના એમઓયુ થયા

vartmanpravah

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ તરીકે મોહનભાઈ લકમને સંભાળેલો વિધિવત્‌ અખત્‍યાર

vartmanpravah

દાનહની મુલાકાતના પહેલા દિવસે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 17 કરતા વધુ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટો-વિકાસ કામોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment