February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસ તથા કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થતાં સેલવાસ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષ અને પ્રદેશ ભાજપના કદાવર નેતા રાકેશસિંહ ચૌહાણે ન.પા.માં કાર્યરત કર્મચારીઓને ધાબળા અને શ્રમપ્રસાદનું કરેલું વિતરણ

પાલિકાકર્મીઓ આપણાં સ્‍વચ્‍છતા પ્રહરીઃ પ્રશાસકશ્રી હંમેશા છેવાડેના લોકોના કલ્‍યાણ માટે ચિંતિત રહે છેઃ રાકેશસિંહ ચૌહાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સેલવાસ નગરપાલિકાના પૂર્વ અધ્‍યક્ષ અને પ્રદેશના કદાવર ભાજપ નેતા શ્રી રાકેશસિંહ ચૌહાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસ તથા કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થતાં નગરપાલિકામાં કાર્યરત કર્મચારીઓને ધાબળા અને શ્રમપ્રસાદનું વિતરણ કર્યું હતું.
સેલવાસ નગરપાલિકાના 300 જેટલા કર્મચારીઓ કે જેમાં સફાઈકર્મી, ડમ્‍પિંગકર્મી, ઘર ઘર કચરો ઉઠાવનારા કર્મી અને પાલિકા સ્‍ટાફને પૂર્વઅધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણે શ્રમયોગી ગણાવી પ્રશાસકશ્રીના જન્‍મ દિવસ તથા કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થવાના અવસરે વધામણી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, પાલિકાકર્મીઓ આપણાં સ્‍વચ્‍છતા પ્રહરી પણ છે અને પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે હંમેશા સમાજના છેવાડેના લોકોની ચિંતા કરી છે. તેમણે પાલિકા કર્મીઓને પ્રશાસકશ્રીના જન્‍મ દિવસ નિમિત્તે ધાબળાનું વિતરણ કરવા સાથે શ્રમપ્રસાદ સ્‍વરૂપે સ્‍વાદિષ્‍ટ ભોજન કરાવી સમરસતાનું પણ દૃષ્‍ટાંત પુરૂં પાડયું હતું.

Related posts

પારડી વકીલ મંડળે અશ્વમેઘ શાળા ખાતે ઉજવ્‍યો આંતરરાષ્‍ટ્રીય કાનૂની દિવસ

vartmanpravah

સેલવાસ ભુરકુડ ફળિયામાંથી ક્રાઇમ બ્રાન્‍ચે રેડ પાડી બે કિલો ગાંજો જપ્ત કર્યો

vartmanpravah

પંચગીની ખાતે આયોજીત ટ્રાઇબલ લીડરશીપ પ્રોગ્રામમાં દાનહના બે યુવાઓની થયેલી પસંદગી

vartmanpravah

‘ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન (જીપીડીપી), સબકી યોજના, સબકા વિકાસ-2025-26′ અંતર્ગત આજે દમણવાડા ગ્રામ પંચાયતની યોજાનારી ગ્રામસભા

vartmanpravah

નવરાત્રિ દરમિયાન વરસાદથી બચવા સેલવાસમાં વોટરપ્રૂફ ડોમ સાથે ગરબા રમવાની વ્‍યવસ્‍થા ઉભી કરાઈ

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં કરિયાણાની દુકાનમાં લાગી આગ

vartmanpravah

Leave a Comment