Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

નવસારી જિલ્લામાં પશુપાલન ખાતાની ૧૫ ટીમો દ્વારા ૧૦૯ ગામોમાં સર્વે પૂર્ણ: અસરગ્રસ્ત ગામોમાં કુલ ૩૮૫૯ પશુઓને સારવાર આપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા. ૧૮: નવસારી જીલ્લામાં અતિવૃષ્ટિના લીધે આવેલા પૂરમાં નવસારી જિલ્લાના ૬ તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં સયુંકત પશુપાલન નિયામકશ્રી, ગાંધીનગર અને વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામકશ્રી, વડોદરાના સીધા માર્ગદર્શન હેઠળ પશુપાલન ખાતાની ૧૫ ટીમો ના ૯૭ અધિકારી/કર્મચારીઓ દ્વારા ૧૦૯ ગામોમાં પશુમરણ સર્વે તેમજ જરૂરી પશુસારવાર અને પશુમાં રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
જેમાં અત્યાર સુધીમાં સર્વે દરમ્યાન નવસારી પાંજરાપોળ ખાતે ૬૫ અને ગણદેવી તાલુકાના જુદા જુદા ગામોમાં કુલ ૧૩ પશુ અને ૧૫૦૩૫ મરઘાઓનું મરણ નોંધાયેલ છે .જેઓના મૃતદેહનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. સર્વેની કામગીરી સાથોસાથ અત્યાર સુધી અસરગ્રસ્ત ગામોમાં કુલ ૩૮૫૯ પશુઓને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત અસરગ્રસ્ત ગામોમાં જિલ્લાના પશુદવાખાના દ્વારા તાત્કાલિક પશુસારવાર આપવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ ચાલુ કરવામાં આવ્યો છે.
વધુમાં જરૂરિયાતમંદ ગામોમાં આગામી દિવસોમાં પશુસારવાર કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. આજદિન સુધી નવસારી, જલાલપોર, ખેરગામ અને વાંસદા તાલુકામાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

Related posts

વલસાડ જિલ્લા પોલીસનો સમાજ લક્ષી અભિગમનો નવતર કાર્યક્રમ : બેંક સહયોગ સાતે લોન મેળાનું આયોજન

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે ખેરડીથી ગેરકાયદેસર દારૂ-બિયર ભરેલ ટેમ્‍પા સહિતનો રૂા.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

vartmanpravah

વલસાડ લોકસભાની બેઠક માટે ઉમેદવારોની લાઈન લાગી : 9 જેટલા ટિકિટ વાંચ્‍છુઓએ ઉમેદવારી જતાવી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી ખાતે નિર્માણાધિન રાજ નિવાસની મુલાકાત લઈ અધિકારી-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

વલસાડના રોણવેલ અને નાની સરોણ ગામે બે પ્રેમી પંખીડાઓનો મોબાઈલ ઉપર વાત થયા પછી જીવનનો અંત: પ્રેમિકાની હત્યા કરી પ્રેમીનો પણ આપઘાત

vartmanpravah

વાપી રેલવેના નવા-જુના બે ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર જબરજસ્‍થ પ્રભાવિત બની

vartmanpravah

Leave a Comment