July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

આઝાદીના 75 વર્ષ નિમિતે પારડી વકીલ મંડળો દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.10: સમગ્ર દેશ આઝાદીના 75માં વર્ષની ઉજવણી અલગ અલગ રીતે કરી રહ્યો છે. સરકાર તરફથી પણ આઝાદી કા અમૃત મહોત્‍સવના નેજા હેઠળ અનેક કાર્યક્રમો અને તારીખ 13 થી 15દરમ્‍યાન હર ઘર તિરંગાનું આયોજન કરી ઘરે ઘરે રાષ્‍ટ્રધ્‍વજ પહોંચાડી તેને લહેરાવવાનું નક્કી કરેલ છે.
પારડી વકીલ મંડળ તરફથી પણ આઝાદીના 75માં વર્ષના અનુસંધાને એક તિરંગા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રેલીમાં પારડી વકીલ મંડળના તમામ વકીલો, સભ્‍યો, હોદેદારો તથા સિનિયર વકીલો સહિત મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.
આ તિરંગા બાઈક રેલી પારડી કોર્ટથી દમણીઝાંપા, દમણી ઝાંપાથી કંસારવાડ અને બજારમાં ફરી પરત કોર્ટ પરિસર ખાતે આ રેલી આવી પહોંચી સૌ વકીલોના મુખેથી શહીદો અમર રહો, ભારત માતા કી જય, વંદે માતરમના નાદથી સમગ્ર વાતાવરણ દેશ ભક્‍તિમય બની ગયું હતું. આ દરમ્‍યાન કંસારવાડ ખાતે આવેલ મહાત્‍મા ગાંધીજીની મૂર્તિને સુતરની આંટી પહેરાવી એમના દર્શન કરી રાષ્‍ટ્ર ગીત પણ ગાવામાં આવ્‍યું હતું.
પારડી વકીલ મંડળના પ્રમુખ અને સિનિયર વકીલ ભરતભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્‍યુ હતું કે દેશની આઝાદી માટે મહેનત કરનાર દેશ ભક્‍તો, સ્‍વાતંત્ર્ય સેનાનીઓ અને આઝાદી માટે શહિદી વ્‍હોરનારા શહિદોની માનમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્‍યુ હતું અને આ આઝાદી માટે વકીલોનો પણ ખૂબ મોટો ફાળો અને મહત્‍વ રહેલું છે.
આ પ્રસંગે તેમણે આઝાદીના 50 વર્ષ દરમ્‍યાનકોંગ્રેસ-ભાજપ એક થઈ પારડી ખાતે બજારમાં રાતે 12:00 કલાકે નીકળેલ રેલીના સંસ્‍મરણો યાદ કર્યા હતા.

Related posts

રસ્‍તે ચાલીને જતા લોકો પાસેથી મોબાઈલ ઝૂંટવતા આરોપીઓની દમણ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

વાઘલધરા નેશનલ હાઈવે પર ટેન્‍કરપલ્‍ટી જતા ભીષણ આગ લાગીઃ બે લોકોના મોત

vartmanpravah

નવસારી જિલ્લાના કસ્‍બાપાર ખાતે પૂર્ણા નદી પર રૂા.110 કરોડના ખર્ચે પૂર્ણા ટાઈડલ રેગ્‍યુલેટર ડેમ પ્રોજેક્‍ટનું ખાતમુહૂર્ત કરતાં મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલ

vartmanpravah

વાપીની કંપનીમાં નોકરી કરતા વલસાડ માલવણના એન્‍જિનિયર યુવાને ઘરમાં કામ કરતો રોબોટ બનાવ્‍યો

vartmanpravah

મંગળવારે નાની દમણ મહિલા ભવનના હોલમાં પદ્મશ્રી સ્‍વ. પ્રભાબેન શાહની પ્રાર્થના સભા યોજાશે

vartmanpravah

કાયદો કાયદાનું કામ કરે છે દાનહ જિલ્લા પ્રશાસને સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર મનોજ દયાતના શેડની દીવાલ તોડી પાડી

vartmanpravah

Leave a Comment