Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ નરોલી પંચાયત દ્વારા ગૌશાળા માટે જગ્‍યા ફાળવવા જિ.પં.ના સીઈઓ સમક્ષ માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.21: છેલ્લા ઘણાં વર્ષોથી જાહેર રસ્‍તાઓ, બાગ-બગીચા, જાહેર સ્‍થળોએ પાલતુ પશુઓનો અડીંગો જોવા મળતો હોય છે. કેટલાય પશુઓ રસ્‍તા, હાઈવેની વચ્‍ચોવચ્‍ચ બેસી રહે છે કે ઉભા રહેતા હોય છે. ઘણાં ગાય, બળદ, વાછરડાં આખો દિવસ જાહેરમાં આમતેમ રખડતા હોય છે અને રાત્રિના સમયે જાહેર રસ્‍તાઓ ઉપર, ઘરો-દુકાનોના ઓટલા ઉપર અડીંગો જમાવતા હોય છે. જાહેર રસ્‍તાઓ ઉપર અડીંગો જમાવી બેસતા પશુઓને કારણે ઘણી વખત ગમખ્‍વાર અકસ્‍માતો પણ સર્જાયા છે અને સર્જાતા રહે છે. તેથી દાદરા નગર હવેલીના નરોલી ગ્રામ પંચાયત દ્વારા રખડતા પશુઓ માટે નરોલી અને ખરડપાડા પંચાયતને જોડાઈને આવેલ જગ્‍યામાં આધુનિક ગૌશાળાનું નિર્માણ કરવા જિલ્લા પંચાયત સીઈઓને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્‍યા અનુસાર નરોલીપંચાયત અને ખરડપાડા પંચાયતને જોડાઈને આવેલ સર્વે નંબર 377વાળી જમીન આવેલ છે જે જમીન ઉપર આધુનિક યુગની ગૌશાળાનું નિર્માણ કરવામાં આવે એવી માંગ કરી છે. નરોલી અને ખરડપાડા પંચાયત વિસ્‍તારમાં હાલમાં પણ અનેક ઘર વગરની ગાયો ફરતી હોય છે. જે ગાયોને સ્‍થાયી કરવા માટે ગૌશાળાનું નિર્માણ કરવું જરૂરી છે. આ રખડતી ગાયોના કારણે ઘણી વખતે અકસ્‍માતોની ઘટનાઓ પણ બનતી રહે છે અને કેટલાય લોકોના મોત પણ થયા છે. તથા વાહનો સાથે અથડાવાના કારણે ગાયોના પણ મોત થાય છે. જેથી આમતેમ રખડતી ગાયો, બળદ, વાછરડા, ભેંસ, પાડા વગેરેને સ્‍થાયી કરવા માટે નરોલી પંચાયત અને ખરડપાડા પંચાયત નાણાંકીય રીતે સક્ષમ હોય નવી ગૌશાળાના નિર્માણની જવાબદારી આપવામાં આવે એવી બન્ને પંચાયતો દ્વારા પ્રબળ માંગણી કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, ગત મંગળવારે રાત્રિ 12.40 કલાકે સેલવાસથી વાપી તરફ જઈ રહેલ કારને દાદરા મેઈન રોડ ઉપર બેસેલ ગાયોના ટોળા સાથે અકસ્‍માત સર્જાયો હતો જેમાં એક ગાયનું કરૂણ મોત થયું હતું અને કારચાલકને પણ ભારે નુકસાન થયું હતું.

Related posts

અરણાઈ ખાતે આંતરરાષ્‍ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી તથા દેશી બીજ બેન્‍કનું ઉદઘાટન કરાયું

vartmanpravah

ધરમપુર માકડબન ગામની ખનકીના બ્રિજ ઉપરથી લક્‍ઝરી બસ પલટી મારી અડધી લટકી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નિરોગી દીર્ઘાયુ માટે દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાએ ભાવભક્‍તિપૂર્વક કરેલી ભગવાન વિશ્વકર્મા પૂજા

vartmanpravah

ડીઆઈએના પ્રમુખ અગ્રવાલ અને તેમની ટીમે દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ બાબુભાઈ પટેલ અને ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયા તથા ઉપ પ્રમુખ રશ્‍મિબેન હળપતિનું કરેલું અભિવાદન

vartmanpravah

દમણમાં જરૂરિયાતમંદ મહિલાઓના સશક્‍તિકરણ માટે વિનામૂલ્‍યે ચાલતા તાલીમ કેન્‍દ્ર ‘ઉન્નતિ’માં ત્રીજી બેચને પ્રમાણપત્ર એનાયત કરાયા

vartmanpravah

વાપી કન્‍યા મંદિર શાળાના નવા ભવનનું નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ઉદ્ધાટન

vartmanpravah

Leave a Comment