Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણના ડાભેલ સ્થિત રાવલ વસિયા યાર્ન ડાઇંગ પ્રા.લિ.માં લાગેલી આગથી મચેલી અફરાતફરી

૫ જેટલા કામદારોએ પોતાનો જીવ બચાવવા ત્રીજા માળેથી મારેલો કૂદકો, જેમાંથી ૨ કામદારોને પહોંચેલી ગંભીર ઈજા

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૦૧: સંઘપ્રદેશ દમણના ડાભેલ ગામે આવેલી કંપનીમાં ગઈકાલે રવિવારે રાત્રે આગ સળગી ઉઠતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જેના પરિણામે કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી અને ૫ જેટલા કામદારોએ જીવ બચાવવા ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો. જેમાંથી ૨ કામદારોને ગંભીર ઈજા પહોંચી હતી. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવાયું છે.
ઘટના સ્થળેથી પ્રાપ્ત વિગત મુજબ દમણના ડાભેલ ગામે આટિયાવાડ ખાતે યાર્નનું ઉત્પાદન કરતી રાવલ વસિયા યાર્ન ડાઇંગ પ્રા.લિ. નામક કંપની આવેલી છે. આ કંપનીમાં ગઈકાલે રવિવારે મધરાતે અચાનક આગ સળગી ઉઠી હતી. યાર્નના જથ્થાને કારણે આગ આગ વધુ તિવ્ર બનતા જાેતજાેતામાં આખી કંપની આગની લપેટમાં આવી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઉપરાંત આસપાસમાં રહેતા લોકો દોડી ગયા હતા. આગની જ્વાળા આકાશમાં દૂર દૂર સુધી ફેલાઈ જતા લોકોમાં ગભરાટ મચી ગયો હતો.
આગને પગલે દમણ, સેલવાસ, વાપી સહિતના વિસ્તારના ફાયર ફાઈટરોના બંબા ઘટના સ્થળે દોડી ગયા હતા. લાશકરોએ ભીષણ આગને કાબુમાં લેવા હાથ ધરેલી કવાયત દરમિયાન લગભગ ત્રણથી ચાર ક્લાક બાદ આગ પર કાબુ મેળવાયો હતો.
જાે કે કોઈ જાનહાની થઈ ન હતી. પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ કોઈ કારણ બહાર આવ્યું નથી. પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન લગાવાયું છે. ત્યારે એફ.એસ.એલ. રિપોર્ટ બાદ જ આગ લાગવાનું કારણ બહાર આવી શકશે. જ્યારે ભીષણ આગને પગલે કંપનીને ભારે નુકશાન થયાનો અંદાજ આંકવામાં આવ્યો છે.

Related posts

‘સ્‍વચ્‍છતા હી સેવા- કચરા મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત દાનહના મોટા રાંધાની નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી એકેડેમી શાળાના કેમ્‍પસ અને પરિસરની કરાયેલીછ સાફ-સફાઈ

vartmanpravah

સેલવાસમાં સ્‍વસ્‍વરૂપ સંપ્રદાય જગદ્‌ગુરુ નરેન્‍દ્રાચાર્ય મહારાજ સંસ્‍થા દ્વારા રક્‍તદાન શિબિર યોજાશે

vartmanpravah

વાપી ગુંજનમાં ફરજ બજાવતા મહિલા જી.આર.ડી. નિતાબેન મહાલાએ ઈમાનદારીની મિશાલ ઉજાગર કરી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રાષ્‍ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્‍વર્ણિમ યુગની શરૂઆત કરી છે : રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી

vartmanpravah

ધરમપુરના નગારીયામાં રાષ્‍ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવણી નિમિત્તે પુસ્‍તક પરબ ખુલ્લુ મુકાયું

vartmanpravah

એચ.ડી.એસ.વી. સાર્વજનિક હાઈસ્‍કૂલ ફડવેલ ખાતે વિકસિત ભારત સંકલ્‍પ રથયાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

Leave a Comment