April 19, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત શરૂ થનારા ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણની તમામ ગ્રામ પંચાયતોમાં ચૌપાલ અને ગ્રામસભાનો પ્રારંભ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પંચાયતી રાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતના દિશા-નિર્દેશ અંતર્ગત દમણ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી આશિષ મોહન અને બીડીઓ પ્રેમજીભાઈ મકવાણાની સીધી દેખરેખ હેઠળ તમામ ગ્રામ પંચાયતોમાં શરૂ થયેલા જન જાગૃતિના કાર્યક્રમો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22: આગામી તા.11મી ઓગસ્‍ટથી ભારત સરકાર દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત શરૂ થનારા ‘હરઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા આજથી દમણ જિલ્લાની દરેક ગ્રામ પંચાયતોમાં રાત્રિ ચૌપાલ, વોર્ડ ગ્રામસભા અને પંચાયત ગ્રામસભાનું આયોજન થઈ રહ્યું છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પંચાયતી રાજ વિભાગના સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતના દિશા-નિર્દેશ હેઠળ દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન અને બી.ડી.ઓ. શ્રી પ્રેમજીભાઈ મકવાણાના સીધા નિરીક્ષણ હેઠળ દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં આજથી ચૌપાલ અને ગ્રામસભાનું આયોજન ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે શરૂ કરાયું છે.
દમણ જિલ્લાની તમામ પંચાયતોના સરપંચો, ગ્રામ પંચાયતના સેક્રેટરીઓ આ અભિયાનને સફળ બનાવવા માટે પોતાનો શ્રેષ્‍ઠ પ્રયાસ કરી રહ્યા છે.

Related posts

દાનહ ભાજપની બેઠકમાં પ્રધાનમંત્રીશ્રીની મુલાકાતના એકાદ-બે દિવસ પહેલાં સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ઉપર વેલકમ મોદીજી ટ્રેન્‍ડ કરવા થયેલી ચર્ચા- વિચારણાં

vartmanpravah

ડાંગના શબરીધામ નજીક આવેલા પંપા સરોવરનો અદભૂત નજારો

vartmanpravah

ડુંગરા પોલીસે 1 વર્ષથી પેરોલ પરથી એન.ડી.પી.એસ. ગુનાના ફરાર આરોપીને ઝડપી પાડયો

vartmanpravah

પારડી નેશનલ હાઈવે સ્‍થિત રોહિત ખાડીના બે પુલ વચ્‍ચેના ખાડામાં કન્‍ટેનર ખાબકયું

vartmanpravah

વાપી ડુંગરા પોલીસનો પાંચ વર્ષથી કાર ચોરીઓનો વોન્‍ટેડ આરોપી અમદાવાદથી ઝડપાયો

vartmanpravah

દમણની સુપ્રસિદ્ધ શેમફોર્ડ ફયુચર્સ્‍ટિક્‍સ સ્‍કૂલમાં ડોક્‍ટર્સ ડેની કરવામાં આવેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment